Skip to main content

અકસ્માતના CCTV આવ્યા સામે:મોરબી નજીક નેશનલ હાઇવે રોડ ઉપર આખલો આડો આવતા સર્જાયેલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓએ ગુમાવ્યો હતો જીવ

મોરબીના બંધુનગર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર આખલો આડો આવતાં ડમ્પર તેની સાથે અથડાયું હતું અને વાહન ચાલકે તેના ડમ્પરના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ડમ્પર ડિવાઈડર કૂદીને બાજુના રોડ ઉપરથી પસાર થતી આર્ટિકા કાર ઉપર પડ્યું હતું. જે ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નીપજયાં હતા. આ અકસ્માતના બાનવનો સીસીટીવી કેમેરાનો વિડીયો હાલમાં સોશયલ મીડિયામાં વાઈરલ થયેલ છે. ગત ઋષિ પાંચમના દિવસે વહેલી સવારે 5:50 વાગ્યાના અરસામાં મોરબીના બંધુનગર ગામ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉમા ટાઉનશીપમાં રહેતા પિયુષભાઈ બાબુભાઈ માલવીયાએ ડમ્પર નંબર જીજે 36 ટી 3484 ના ચાલક મૃતક વરુણભાઈ તોલસિંગ વાસ્કલે (ઉ.30) ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરે છે જો કે, અકસ્માતના આ બનાવના સીસીટીવી કેમેરાના ફૂટેજ હાલમાં સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલ છે. અત્રે ઉલેખનીય છેકે, તુષારભાઈ બાબુભાઈ માલવિયા (ઉ.30) તેના પત્ની સુવિધાબેન અને દીકરી દ્વિજા (ઉ.9) સાથે આર્ટિકા કાર નંબર જીજે 36 એએલ 7520 લઈને મોરબીથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા. ત્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામ પાસે વાંકાનેર બાજુથી મોરબી તરફ આવી રહેલ ડમ્પર ચાલકે તેના ડમ્પરની આડે આખલો આવતા તેની સાથે વાહન અથડાવ્યૂ હતું અને ત્યારબાદ ડમ્પરના ચાલકે તેના વાહનના સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા ડમ્પર ડિવાઈડર કૂદીને બાજુના રોડ ઉપરથી પસાર થતી તુસારભાઈની આર્ટિકા કાર ઉપર પડ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવમાં તુષાર માલવિયાનું મોત નિપજ્યું હતું તેમજ ટ્રક ડમ્પરના ક્લીનર મહેશભાઈ અમરસિંહ સિંગાર (ઉ.23) અને ડમ્પર ચાલક વરૂણભાઇ તોલસિંગ વાસ્કલે (ઉ.30) આ ત્રણ વ્યક્તિઓના મોત નીપજયાં હતા. અને મૃતક તુષારભાઈના પત્ની સુવિધાબેન અને દીકરી દ્વિજાને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અને આ બનાવમાં મૃતક સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી રહી છે તેવામાં ત્રણ વ્યક્તિનો જીવ લેનાર અકસ્માતના આ બનાવના સીસીટીવી ફૂટેજ વાયરલ થયેલ છે.


http://dlvr.it/TD5gK1

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp