Skip to main content

દિવાળીમાં લોકો થશે હેરાન:તળાવ દરવાજાના દોઢ વર્ષથી વન-વે રોડથી લોકો ત્રસ્ત બન્યા

જૂનાગઢ શહેરના તળાવ દરવાજાના દોઢ વર્ષથી વન-વે રોડના કારણે લોકો ત્રાહિમામ બન્યા છે. આગામી દિવસોમાં નોરતા,દિવાળીનો તહેવાર આવતો હોય તે પહેલા બન્ને તરફ રોડ ચાલુ કરવા લોકોમાંથી માંગ ઉઠી રહી છે.
શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામને લઇને તળાવ દરવાજા તરફના રસ્તાને વન - વે કરી દેવાયો છે. જોકે, એક વર્ષના બદલે દોઢેક વર્ષ વિતી ગયા પછી પણ બ્યુટિફિકેશનનું કામ હજુ પુરૂં થયું નથી. જેને કારણે આ રોડને વન-વે જ રાખી દેવાતા લોકોની હાલાકી વધી છે.
ખાસ કરીને આગામી દિવસોમાં નોરતા અને દિવાળી જેવા તહેવારો આવવાના હોય તે પહેલા આ રોડને વન-વેથી મુક્તિ મળે તે જરૂરી છે. એક તો સાંકડો રસ્તો અને તેમાં વન - વે કરી દેવાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ રોડને હવે બન્ને તરફ ચાલુ કરવાની લોકોમાંથી પણ માંગ ઉઠી રહી છે. રેલવે ફાટકના લીધે ટ્રાફીક જામ થાય છે
તળાવ દરવાજાના છેલ્લા દોઢ વર્ષથી વન- વે રોડથી લોકો પરેશાન છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નરસિંહ મહેતા સરોવરનો રસ્તો બંને તરફ ચાલુ કરવા અતિ જરૂરી છે. એક તરફ રેલવેના ફાટકને હિસાબે ટ્રાફિકજામ થાય છે તો બીજી તરફ વન-વે રસ્તો હોવાને કારણે લોકોને પરેશાન થઈ રહ્યા છે. તો આ રસ્તો તાત્કાલિક બંને સાઈડ ચાલુ થાય તે માટે મનપાના કમિશનરને રજૂઆત કરી છે.> પ્રવિણ મકવાણા,આમ આદમી પાર્ટી.


http://dlvr.it/TDMXBN

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q