Skip to main content

દિવાળીમાં લોકો થશે હેરાન:તળાવ દરવાજાના દોઢ વર્ષથી વન-વે રોડથી લોકો ત્રસ્ત બન્યા

જૂનાગઢ શહેરના તળાવ દરવાજાના દોઢ વર્ષથી વન-વે રોડના કારણે લોકો ત્રાહિમામ બન્યા છે. આગામી દિવસોમાં નોરતા,દિવાળીનો તહેવાર આવતો હોય તે પહેલા બન્ને તરફ રોડ ચાલુ કરવા લોકોમાંથી માંગ ઉઠી રહી છે.
શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામને લઇને તળાવ દરવાજા તરફના રસ્તાને વન - વે કરી દેવાયો છે. જોકે, એક વર્ષના બદલે દોઢેક વર્ષ વિતી ગયા પછી પણ બ્યુટિફિકેશનનું કામ હજુ પુરૂં થયું નથી. જેને કારણે આ રોડને વન-વે જ રાખી દેવાતા લોકોની હાલાકી વધી છે.
ખાસ કરીને આગામી દિવસોમાં નોરતા અને દિવાળી જેવા તહેવારો આવવાના હોય તે પહેલા આ રોડને વન-વેથી મુક્તિ મળે તે જરૂરી છે. એક તો સાંકડો રસ્તો અને તેમાં વન - વે કરી દેવાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ રોડને હવે બન્ને તરફ ચાલુ કરવાની લોકોમાંથી પણ માંગ ઉઠી રહી છે. રેલવે ફાટકના લીધે ટ્રાફીક જામ થાય છે
તળાવ દરવાજાના છેલ્લા દોઢ વર્ષથી વન- વે રોડથી લોકો પરેશાન છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નરસિંહ મહેતા સરોવરનો રસ્તો બંને તરફ ચાલુ કરવા અતિ જરૂરી છે. એક તરફ રેલવેના ફાટકને હિસાબે ટ્રાફિકજામ થાય છે તો બીજી તરફ વન-વે રસ્તો હોવાને કારણે લોકોને પરેશાન થઈ રહ્યા છે. તો આ રસ્તો તાત્કાલિક બંને સાઈડ ચાલુ થાય તે માટે મનપાના કમિશનરને રજૂઆત કરી છે.> પ્રવિણ મકવાણા,આમ આદમી પાર્ટી.


http://dlvr.it/TDMXBN

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp