Skip to main content

માગ:ધારીમાં પ્રવાસન વિકસાવવા માટે ઓપન સફારી પાર્ક ફાળવો

અમરેલી જિલ્લામા દેશની શાન અને ગૌરવ સમા સાવજોની મોટી વસતિ છે. અને આ સાવજો દેશ દુનિયાના પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ પ્રવાસન વિકસાવવાના યોગ્ય પ્રયાસો થયા ન હોય અમરેલી જિલ્લાને તેનો પુરતો લાભ મળતો નથી. હવે ધારી પંથકમા ઓપન સફારી પાર્ક ફાળવવાની માંગ વધુ તીવ્ર બની છે. સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડીયા દ્વારા આ મુદે રાજયના મુખ્યમંત્રી અને વનમંત્રી સહિત છેક કેન્દ્ર સરકાર સુધી રજુઆતો કરવામા આવી છે. ગીર જંગલની જેમ ગીર બહાર કાંઠાળ વિસ્તારમા પાંખા જંગલમા તથા રેવન્યુ વિસ્તારમા પણ મોટા પ્રમાણમા સાવજો વસી રહ્યાં છે. લોકો ગેરકાયદે સિંહ દર્શન માટે હડીયાપાટી કરે છે. તેના બદલે અહી સિંહ દર્શનનુ સુવ્યવસ્થિત માળખુ ગોઠવાવુ જોઇએ. જેથી દેશ દુનિયાના પ્રવાસીઓને સિંહ દર્શન કરાવી શકાય. વનવિભાગના કર્મચારીઓ ગીરકાંઠાના સાવજોની અવરજવર પર સતત વોચ રાખે છે. આફ્રિકન દેશોની જેમ જ જો અહી વનવિભાગ પ્રવાસીઓને પોતાના વાહનમા જ લઇ જઇ ખુલ્લામા વીહરતા સિંહોના દર્શન કરાવે તો સરકારી તંત્રને આવક પણ થશે અને આ વિસ્તારમા પ્રવાસનનો ઝડપી વિકાસ થશે. આગામી 20મી તારીખે મુખ્યમંત્રી ધારીની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે અહીના લોકો ધારી શહેરને નગરપાલિકાનો દરજ્જો ફાળવવા માટે પણ માંગણી ઉઠાવશે. અમરેલી જિલ્લામાં સાવજોની મોટી વસ્તી


http://dlvr.it/TDCmhr

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp