ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ:ડાંગના જુંનેર ગામે ગણેશ વિસર્જન વેળાએ પાણીમાં ડૂબી જવાથી એક આધેડનું મૃત્યુ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ જુંનેર ગામે પાણીમાં ડૂબી જવાથી એક 65 વર્ષિય આધેડ વ્યક્તિનું મૃત્યુ થયાનું નોંધાયું છે. સુબીર તાલુકાના જુંનેર ગામના રહેવાસી એવા 65 વર્ષિય આધેડ નામે સીતારામ લાહનુભાઈ ચૌધરી, ધોધડ નદીના નવા પુલ પાસે સાંજેના સુમારે, ગણેશ વિસર્જન વેળાએ, પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે.ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા તેમની તપાસ અંગેની કામગીરી પૂર્ણ કરી મૃત્યુ પામનારા બુઝુર્ગની લાશ પોસ્ટમોર્ટમ અર્થે સુબીર સ્થિત સી.એચ.સી.ખાતે મોકલવામાં આવી છે.
http://dlvr.it/TDM4St
http://dlvr.it/TDM4St
Comments
Post a Comment