Skip to main content

જન આક્રોશનો પડઘો:વડોદરામાં ભાજપના કાઉન્સિલરે વિશ્વામિત્રી કિનારે બંગલાની બાજુમાં કરેલા દબાણો દૂર કર્યા

વડોદરામાં આવેલા પૂર બાદ પ્રજામાં ભાજપના નેતાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી કિનારે બનેલા ગેરકાયદેસર દબાણો કોઈના પણ હશે તે દૂર કરવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખના આ નિવેદન બાદ ભાજપના કોર્પોરેટર દ્વારા વિશ્વામિત્રી નદી કિનારે કરાયેલા દબાણને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ કાઉન્સિલર દ્વારા દબાણો દૂર કરવાની શરૂઆત કરતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પૂર બાદ લોકોમાં ભારે રોષ
વડોદરા શહેરમાં તા. 26 ઓગસ્ટના રોજ આવેલા ભયાનક પૂર પાછળ વિશ્વામિત્રી નદી કિનારે કરેલા દબાણો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના નેતાઓ સમયસર સહાય માટે ન પહોંચતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે શહેર ભાજપ દ્વારા પૂરની વીકટ પરિસ્થિતિ વચ્ચે નેતાઓ અને કાર્યકરો દ્વારા કામગીરી કરવામાં આવી હોવાની વાતો શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા કરવામાં આવી હતી. તમામ દબાણો દૂર કરાશે
તેમણે કોંગ્રેસની જન આક્રોશ રેલી સામે એક પત્રકાર પરિષદનું આયોજન કરી જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી કિનારે જે કોઈ પણ દબાણો હશે તેને દૂર કરવામાં આવશે. તેમણે પત્રકારોને એમ પણ કહ્યું હતું કે, તમે જેના નામ જોગ વાત કરી રહ્યા છો એ દબાણ પણ દૂર કરાશે. ડો. વિજય શાહના આ નિવેદન બાદ વિશ્વામિત્રી નદી કિનારે કરવામાં આવેલા દબાણો હવે દૂર કરવાની કામગીરી સ્વૈચ્છીક શરૂ કરી દેવામાં આવી છે. નદી કિનારે સો ફૂટ ઉપરાંતના દબાણ
શહેરના સમાં હરણી લિંક રોડ પર વિશ્વામિત્રી નદી કિનારે ભાજપના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો આલીશાન બંગલો આવેલો છે. જ્યાં વિશ્વામિત્રી નદીની અંદાજે 100 ફૂટ ઉપરાંત ગમ્મતઅંદર દબાણ કરવામાં આવ્યું હતું. જેની સામે વખતો વખત અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની આંખે પટ્ટી બંધાઈ હોય એમ કોઈ આ દબાણો દૂર કરવા અંગે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. ધોવાણ ન થાય તે માટે બનાવ્યું હતુંઃ પરાક્રમસિંહ જાડેજા
આ અંગે ભાજપ કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોઇપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી. નદી કિનારાનું ધોવાણ ન થાય તે માટે બાંધકામ કરવામાં આવ્યું છે. જે દબાણ આજે દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. હાલ હું દિલ્હી કામ માટે આવ્યો છું. શહેરમાં વિશ્વામિત્રી નદી ઉપર અનેક દબાણો છે. જે આવનાર સમયમાં ઉજાગર કરીશ.


http://dlvr.it/TDFyq8

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp