Skip to main content

બે યુવકના તાવથી મોત:સુરતના ચોક બજારમાં 30 વર્ષીય યુવક અને પુણામાં 33 વર્ષીય યુવકનું તાવ બાદ મોત નીપજ્યું

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે યુવકના તાવથી મોત થયા હતા. જેમાં ચોકબજારના 30 વર્ષીય અને પુણા વિસ્તારના 33 વર્ષીય યુવકનું તાવ બાદ મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે અને એક બાદ એક મોતને ભેટી રહ્યાં છે. રત્નકલાકારનું સારવાર દરમિયાન મોત
મળતી માહિતી પ્રમાણે, ચોક બજાર વિસ્તારમાં આવેલા હળપતિવાસમાં 30 વર્ષીય શનિ કાંતિભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો. રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શનિને ચાર દિવસથી તાવ આવી રહ્યો હતો. જેથી નજીકમાં આવેલા ખાનગી દવાખાનામાં તેની સારવાર પણ ચાલી રહી હતી. દરમિયાન તેની તબિયત લથડતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 33 વર્ષીય યુવક બેભાન થઈને ઢળી પડ્યો
બીજા બનાવમાં, મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તરપ્રદેશ અને પુણા વિસ્તારમાં આવેલી રોયલ ટાઉનશિપમાં 33 વર્ષીય સ્તેન્દ્ર સુરજ બલી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે સંતાન છે. સ્તેન્દ્ર એમ્બ્રોડરીના ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સ્તેન્દ્ર બે દિવસથી તાવ આવી રહ્યો હતો. દરમિયાન તેને ઉલટીઓ થવા લાગી હતી અને બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.


http://dlvr.it/TD1kY2

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q