શહેરના માંગનાથ રોડમાં રોડ પાણીની લાઇન માટે ખોદવા માટે આવતા વેપારીઓએ ભારે વિરોધ કર્યો હતો. નજીકના દિવસોમાં જ દિવાળીનો તહેવાર આવવાનો હોય તેવા સમયે જ રોડ ખોદવામાં આવતા વેપાર ધંધાને ભારે નુકસાન પહોંચે તેમ હતું. જેને લઇને વેપારીઓએ રોડ ખોદવા સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. અેટલું જ નહિ જો હવે રોડ ખોદાશે તો જેસીબી આડે સૂઇ જવાની ચિમકી ઉચ્ચારી હતી. ભલે અમારી પર જેસીબી ફરી વળે રોડ તો તોડવા નહિ જ દઇએ તેવી ચિમકી આપતા ચકચાર મચી જવા પામી હતી. બાદમાં કોન્ટ્રાક્ટર અને વેપારીઓની મિટીંગ મળી હતી. જેમાં દરરોજ રાત્રિના સમયે જ કામ કરવાનું અને જેટલું કામ થયું હોય તેટલું કસ્તર પણ રાત્રેજ ઉપાડી લેવાની તેમજ મજૂરોની રેકડી ચાલી શકે તેવું લેવલીંગ કરવાની કોન્ટ્રાકટરે ખાત્રી આપી હતી. જો કસ્તર નહિ ઉપડે તો આગળ કામ કરવા નહિ દઇએ તેવી પણ વેપારીઓએ ચિમકી આપી હતી. સાથે 12 દિવસમાં જ કામ પુરૂં કરવાની કોન્ટ્રાકટરે ખાત્રી આપી હતી. જેને પગલે આંદોલન સમેટાયું હતું.આ તકે ક્લોથ એન્ડ રેડીમેઇડ એસોસિએશનના પ્રમુખભૂપેન્દ્ર તન્ના, ઉપપ્રમુખ હિતેષ સંઘવી તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોકટરોના ખીસ્સા ભરાય છે: રાહદારી હું 60 વર્ષથી લંડનમાં રહું છું, મૂળ જૂનાગઢની છું. મારા ભાઇ ગુજરી જતા અહિં આવી છું. રસ્તામાં એટલા ખાડા છે કે ચાલી પણ શકાતું નથી, રિક્ષા પણ આવતી નથી.97વર્ષના ભાભીને ચલાવીને લાવતા નાકે દમ આવી ગયો છે. આવા રસ્તાથી ડોકટરોના ખીચ્ચા ભરાય રહ્યા છે. > ભારતીબેન લાખાણી,એનઆરઆઇ. બજારને તોડવાનું કૃત્ય: વેપારી અગ્રણી વરાપ નિકળે, ઘરાકી નિકળે ત્યારે જ ખોદવાનું ? ત્યારે જ વિકાસના કામો સુઝે છે ? વેપારીઓને ત્રાસ ગુજારવાની પણ હદ હોય.999 ગામનું હટાણું જ્યાં છે તે બજારને તોડી બારોબાર નવી બજાર બનાવવાનું બિલ્ડર લોબી, રાજકીય પક્ષના બિલ્ડરનું કૃત્ય છે. > હિતેષ સંઘવી, ઉપપ્રમુખ, કાપડ બજાર.
http://dlvr.it/TD4sNV
http://dlvr.it/TD4sNV

Comments
Post a Comment