Skip to main content

તપાસ:ગુજરાતી ઝવેરીએ પકડાવેલા લાંચિયા ઈડીના અધિકારીને સીબીઆઈ કસ્ટડી

મુંબઈ સ્થિત ગુજરાતી જ્વેલરી પાસેથી રૂ. 20 લાખની લાંચ લેવા સંબંધે ગુરુવારે ધરપકડ કરવામાં આવેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંદીપ સિંહ યાદવને શુક્રવારે વિશેષ કોર્ટમાં હાજર કરાતાં 14 ઓગસ્ટ સુધી સીબીઆઈ કસ્ટડી આપવામાં આવી હતી. વિશેષ સીબીઆઈ જજ એસ પી નાઈકે યાદવને સીબીઆઈ કસ્ટડી આપી હતી. ઝવેરીના પુત્રને મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવાની ધમકી આપીને યાદવે ભીનું સંકેલવા માટે રૂ. 20 લાખની લાંચની માગણી ઝવેરી પાસે કરી હતી. કોર્ટે એફઆઈઆર અને કેસ ડાયરી વાંચ્યા પછી એવી નોંધ કરી હતી કે આ તબક્કે આરોપોમાં તથ્ય છે એવું મને જણાય છે. સીબીઆઈ અનુસાર ઈડી દ્વારા 4 ઓગસ્ટે મની લોન્ડરિંગ કેસ સંબંધમાં વી એસ ગોલ્ડ નામે બુલિયન કંપનીના માલિક વિપુલ ઠક્કરનાં સંકુલોમાં સર્ચ કરવામાં આવી હતી. આ પછી યાદવે ઠક્કરના પુત્ર નિહારની ધરપકડ કરવાની ધમકી આપીને મામલો રફેદફે કરવો હોય તો રૂ. 25 લાખ આપવા કહ્યું હતું, જે પછી રૂ. 20 લાખ લેવા તૈયાર થયો હતો. ઠક્કરે જોકે સીબીઆઈમાં ફરિયાદ કરી હતી, જેને તપાસ કરતાં પ્રથમદર્શી આરોપ સાચા હોવાનું જણાયું હતું. નવી દિલ્હીમાં વડામથકે બેસતા યાદવની નવી દિલ્હીમાં લાંચ લેતાં રંગેહાથ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ કહ્યું કે તપાસ આરંભિક તબક્કામાં હોવાથી કસ્ટડીની જરૂર છે. યાદવના વકીલે કહ્યું કે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેના ઘરમાંથી કોઈ રોકડ મળી નહોતી એવી દલીલ પણ કરાઈ હતી. તપાસમાં સહયોગ આપી રહ્યો છે, અવાજના નમૂના આપ્યા છે એમ કહીને કસ્ટડીનો વિરોધ કર્યો હતો. જોકે કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી વધુ તપાસ માટે તેને સીબીઆઈની કસ્ટડીમાં સોંપ્યો હતો.


http://dlvr.it/TBkQ3R

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp