નગરપાલિકાઓમાં વ્યવસાય વેરાઓમાં નવા દરો જાહેર કરી અને તે અમલમાં મૂકાયા છે. પણ નવા દરો વિસંગતતાઓથી ભરેલા હોવાથી જે નિયત કરેલા દરો પુનઃ વિચારણા કરવા બાબતે મોડાસા પાલિકાના વિરોધ પક્ષના નેતા હુસેનભાઇ ખાલકે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા 2021માં રાજ્યપાલને એપ્રિલ - 2021ના રોજ વ્યવસાય વેરા ટેક્ષ માટે જે મુસદ્દા મોકલાયા હતા. જે આધારે મોડાસા પાલિકામાં 1-4-2023થી પ્રોફેશનલ ટેક્ષના જે નવા દરો અમલમાં મૂકાયા છે.જે સદંતર વિસંગતતાઓથી ભરેલા છે અને નાના સ્વરોજગાર કરનારા વેપારીઓ તેમજ અન્ય ક્ષેત્રમાં કામ કરતાં દુકાનદારો માટે ભેદભાવ ભર્યા હોય કોઈપણ સંજોગોમાં ન્યાય સંગત ન હોવાનું જણાવ્યું છે. સરકાર દ્વારા તબીબો, બેન્કિંગ તેમજ એજન્સીનો વ્યવસાય કરતાં વેપારીઓ માટે વાર્ષિક 1500 વ્યવસાય વેરો અમલમાં લવાયો છે. જ્યારે નાના વેપારીઓ, સ્વરોજગાર કરનારાઓ વેપારીઓ માટે રૂ.2500 વ્યવસાય વેરાના દર નક્કી કરાયા છે. જે સંપૂર્ણ રીતે વિસંગતતાથી ભરેલા છે. જેથી સમગ્ર વેપારીઓ વતી વિસંગતતા દૂર કરવા તેમજ જ્યાં સુધી વિસંગતતા દૂર ન થાય ત્યાં સુધી અમલવારી મુલત્વી રાખવી જોઈએ અને પહેલાના સમયમાં નાના વેપારીઓ પાંચ લાખ કરતાં ઓછી રકમના ટર્ન ઓવર વાળાઓને વ્યવસાય વેરામાંથી મુક્તિ અપાઇ હતી અને વધુ ટર્ન ઓવર કરતાં વેપારીઓને અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ દરો નક્કી કરાયા હતા. પરંતુ નવા દરો નાના અને શ્રીમંત વેપારીઓના માથે મોટો બોજ નાખવામાં આવ્યો છે. તેથી સંપૂર્ણ વિગતો તપાસી આ અંગે ન્યાય સંગત નિર્ણય લેવા અને ઘટતું કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.
http://dlvr.it/TBbNXp
http://dlvr.it/TBbNXp

Comments
Post a Comment