Skip to main content

રજૂઆત:મોડાસા નગરપાલિકાના વ્યવસાય વેરાના નવા દરો વિસંગતતાથી ભરેલા

નગરપાલિકાઓમાં વ્યવસાય વેરાઓમાં નવા દરો જાહેર કરી અને તે અમલમાં મૂકાયા છે. પણ નવા દરો વિસંગતતાઓથી ભરેલા હોવાથી જે નિયત કરેલા દરો પુનઃ વિચારણા કરવા બાબતે મોડાસા પાલિકાના વિરોધ પક્ષના નેતા હુસેનભાઇ ખાલકે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા 2021માં રાજ્યપાલને એપ્રિલ - 2021ના રોજ વ્યવસાય વેરા ટેક્ષ માટે જે મુસદ્દા મોકલાયા હતા. જે આધારે મોડાસા પાલિકામાં 1-4-2023થી પ્રોફેશનલ ટેક્ષના જે નવા દરો અમલમાં મૂકાયા છે.જે સદંતર વિસંગતતાઓથી ભરેલા છે અને નાના સ્વરોજગાર કરનારા વેપારીઓ તેમજ અન્ય ક્ષેત્રમાં કામ કરતાં દુકાનદારો માટે ભેદભાવ ભર્યા હોય કોઈપણ સંજોગોમાં ન્યાય સંગત ન હોવાનું જણાવ્યું છે. સરકાર દ્વારા તબીબો, બેન્કિંગ તેમજ એજન્સીનો વ્યવસાય કરતાં વેપારીઓ માટે વાર્ષિક 1500 વ્યવસાય વેરો અમલમાં લવાયો છે. જ્યારે નાના વેપારીઓ, સ્વરોજગાર કરનારાઓ વેપારીઓ માટે રૂ.2500 વ્યવસાય વેરાના દર નક્કી કરાયા છે. જે સંપૂર્ણ રીતે વિસંગતતાથી ભરેલા છે. જેથી સમગ્ર વેપારીઓ વતી વિસંગતતા દૂર કરવા તેમજ જ્યાં સુધી વિસંગતતા દૂર ન થાય ત્યાં સુધી અમલવારી મુલત્વી રાખવી જોઈએ અને પહેલાના સમયમાં નાના વેપારીઓ પાંચ લાખ કરતાં ઓછી રકમના ટર્ન ઓવર વાળાઓને વ્યવસાય વેરામાંથી મુક્તિ અપાઇ હતી અને વધુ ટર્ન ઓવર કરતાં વેપારીઓને અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ દરો નક્કી કરાયા હતા. પરંતુ નવા દરો નાના અને શ્રીમંત વેપારીઓના માથે મોટો બોજ નાખવામાં આવ્યો છે. તેથી સંપૂર્ણ વિગતો તપાસી આ અંગે ન્યાય સંગત નિર્ણય લેવા અને ઘટતું કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.


http://dlvr.it/TBbNXp

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp