Skip to main content

મહાકાય અજગરનું રેસ્ક્યૂ:બગસરાના સાપરથી સુડાવડ જવાના માર્ગ પર મહાકાય અજગર આવી ચડ્યો, વનવિભાગે રેસ્ક્યૂ કરી જંગલમાં છોડ્યો

અમરેલીના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સિંહ અને દીપડાની લટારની સાથે સાથે હવે અજગર નીકળવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે બગસરાની સાતલડી નદી વિસ્તારમાંથી મહાકાય અજગર બહાર આવી સાપર સુડાવડ જવાના માર્ગ પર આવી ચડ્યો હતો. જેથી સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વનવિભાગને જાણ કરી હતી. જેને પગલે વનવિભાગની ટીમ રહેણાંક વિસ્તારમાં અજગર ઘુસે તે પહેલા તેનું રેસ્ક્યૂ કરી લીધું હતું. જેથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વનવિભાગ દ્વારા અજગરને પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો છે. જંગલ વિસ્તારમાં વસવાટ કરતા અજગરો હવે રેવન્યુ અને શહેરી વિસ્તાર સુધી પહોંચી રહ્યા છે. ખાંભા, જાફરાબાદ, સાવરકુંડલા વિસ્તારમાં અજગરની અવર જવર વધી રહી છે. થોડા દિવસ પહેલા ખાંભા અને જાફરાબાદ તાલુકાના વાડી વિસ્તારમાં 3 કરતા વધુ અજગરોને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યાં હતા. અજગરની અવર જવર વધતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.


http://dlvr.it/TBhVLc

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp