Skip to main content

ગારા-કિચ્ચડનું સામ્રાજ્ય:ગારા-કીચડ અને પાણી વચ્ચે એસટી વર્કશોપ!

ભાસ્કર ન્યૂઝ | જામનગર જામનગર શહેરના મધ્યમાં આવેલા એસટી ડેપોમાં દરરોજ હજારો મુસાફરો આવ-જા કરે છે. ત્યારે એસટી બસ ડેપોની પાછળ જ આવેલા વર્કશોપમાં જાળવણીના અભાવે ગારા-કિચ્ચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. અહીં બસ ડ્રાઈવરો બસના નાના મોટા કામ કરાવવા આવે છે પરંતુ ચોતરફે પાણી અને ગારા-કિચ્ચડ હોવાથી બસ ક્યા ઉભી રાખવી તેમજ કેમ ઉતરવું તે મોટો પ્રશ્ન છે. આ પ્રશ્ન દર ચોમાસે સર્જાય છે પરંતુ એસટીના સત્તાવાળાઓને આની કંઈ પડી નથી! જામનગર શહેરમાં હાલ વરસાદી માહોલની વચ્ચે વરસાદથી થતી ગંદકી તેમજ ગારા-કિચ્ચડ જોવા હોય તો જામનગર એસટી સ્ટેન્ડની મુલાકાત લેવી પડે. અહીં ગારા-કિચ્ચડ અને પાણીની ભયંકર સમસ્યા હોવા છતાં સત્તાવાળાઓના પેટનું પાણી હલતું નથી. આનો ભોગ બસના ડ્રાઈવરો બની રહ્યા છે. શહેરની વચ્ચોવચ્ચ આવેલ એસ.ટી. વર્કશોપમાં ફેલાયેલ ગંદકી, ગારો-કીચડ કે ભરાયેલા પાણી કોઈને દેખાતા નથી ? અત્યારે જામનગર શહેરમાં પાણી જન્ય રોગચાળો ફેલાયો છે, માખી-મચ્છર -જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે શહેરની વચ્ચે આવેલ એસ.ટી. વર્કશોપ આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફેલાવા માટે નિમિત્ત બની રહ્યું હોય તેમ જણાય છે. એસ.ટી.ના વિભાગીય અધિકારી કે અન્ય કોઈ જવાબદાર દ્વારા એસ.ટી. વર્કશોપમાંથી ગારો-કીચડ દૂર કરી, પાણી દૂર કરી સફાઈ કરાવવા જેટલી દરકાર લેવામાં નિષ્ક્રિય-નિષ્ફળ રહ્યા છે...!


http://dlvr.it/TBddxT

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp