Skip to main content

ભાટિયા-રાવલની ખાસ મુલાકાત લેતાં સાંસદ તથા કૃષિમંત્રી:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને અનુલક્ષીને કૃષિમંત્રીએ નુકસાન અંગે અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક યોજી

દ્વારકા સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે જિલ્લામાં ભારે વરસાદથી થયેલ નુકસાનની માહિતી મેળવી હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલા રાહત બચાવ અને પુનઃ સ્થાપનની કામગીરી, પાણી નિકાલ બાદ સાફ સફાઈ અને દવા છંટકાવ, ચાંદીપુરા વાઈરસ અંગેની પરિસ્થિતિની વિગતોથી અવગત થઈને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં પાક નુકસાન સર્વેની ચાલી રહેલી કામગીરીની સમિક્ષા કરી હતી. સરવેની કામગીરી માટે વધારાની ટીમો ફાળવી સત્વરે સર્વે પૂર્ણ કરવા તાકિદ કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલુ વરસાદે કરવામાં આવેલ રાહત બચાવની કામગીરીની સરાહના કરી હતી. વધુમાં વૃક્ષારોપણ અભિયાનને વધુ સઘન બનાવવા માટે સૂચના આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય પબુભા માણેક, કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, સાથે સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા તેમજ રાવલ ગામે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ,ધારાસભ્ય પબુભા માણેક, સાંસદ પૂનમબેન માડમ સાથે જિલ્લાના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન સમાજ વાડી ખાતે સ્થાનિક પદાધિકારીઓ, ગામના અગ્રણીઓ અને ગ્રામજનો સાથે બેઠક દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિને લીધે ખેતીમાં થયેલા નુકસાન વિશે માહિતી મેળવી હતી. ઉપરાંત, સ્થાનિક પ્રશ્નો વિશે ગ્રામજનોની રજૂઆત સાંભળીને ચર્ચા કરી હતી. સાથે આ ભારે વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન તેમજ સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.


http://dlvr.it/TBVgDH

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n