Skip to main content

ભાવનગરમાં વરસાદી માહોલ:વલ્લભીપુર, સિહોર અને પાલીતાણામાં વરસાદી ઝાપટાં વરસ્યા, અન્ય તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા

ભાવનગર શહેર અને જિલ્લામાં અષાઢી અમાસના અંતિમ દિવસે પણ અમુક તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. વલ્લભીપુર, સિહોર તથા પાલીતાણામાં હળવા ઝાપટાં વરસ્યા હતા, જયારે શહેરમાં દિવસભર માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહ્યા હતા, પરંતુ મેઘો મનમૂકીને વરસ્યો ન હતો. ભાવનગર જિલ્લામાં સરેરાશ 1.6 MM જેટલો વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં પડેલ વરસાદના આંકડા
ભાવનગર જિલ્લામાં આજ સવારના 6 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં - 4 મિમી, ઉમરાળામાં -2 મિમી, ભાવનગરમાં - 1 મિમી, ઘોઘામાં - 1 મિમી, સિહોરમાં - 4 મિમી, ગારીયાધારમાં - 0 મિમી, પાલીતાણામાં - 4 મિમી, તળાજામાં - 0 મિમી, મહુવામાં - 0 મિમી તથા જેસરમાં - 0 મિમી વરસાદ વરસ્યો હતો, આમ, ભાવનગર જિલ્લાના 10 તાલુકામાંથી 6 તાલુકામાં ઝરમર વરસાદ જ્યારે 4 તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા હતા. છેલ્લા 5 દિવસનું શહેરનું તાપમાનનો પારો
તા.31 જુલાઈના રોજ મહતમ તાપમાન 33.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.8 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61 ટકા નોંધાયું હતું અને 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.તા.1 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 26.3 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું હતું અને 18 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.તા.2 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 32.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 85 ટકા નોંધાયું હતું અને 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તા.3 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 32.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.6 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 98 ટકા નોંધાયું હતું અને 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.તા.4 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 26.1 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 78 ટકા નોંધાયું હતું અને 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.


http://dlvr.it/TBVg0K

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n