Skip to main content

વિમાનમાં સર્જાયેલી ખામી સુધારવામાં સમય લાગ્યો:દુબઈ જતી ફ્લાઈટ 8 કલાક મોડી ઉપડી, 155 પેસેન્જર અટવાયા

સ્પાઈસ જેટની રવિવારે સવારે 9.55 વાગ્યાની અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટ 8 કલાકના વિલંબ પછી સાંજે 6.15 વાગ્યે રવાના થતાં 155 પેસેન્જરો અટવાઈ પડ્યા હતા. એરલાઇન અગાઉથી પેસેન્જરોને ફોન અને મેસેજથી જાણ કરી હતી તેમ છતાં 30 પેસેન્જર એરપોર્ટ પહોંચી જતાં તેમને રિફ્રેશમેન્ટ આપવાની ફરજ પડી હતી. આ ફ્લાઈટ પર સમયસર આવી હતી પરંતુ અમદાવાદમાં એરક્રાફટના એન્જિનિયરિંગનું કામ ચાલતું હોવાથી મોડી પડી હોવાનું સૂત્રોનું કહેવું છે. વરસાદથી ખરાબ વાતાવરણના કારણે અમદાવાદથી ડોમેસ્ટિક સેક્ટરની 13 ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા હતા જેમાં સૌથી વધુ દિલ્હીની 5 ફ્લાઇટો 2 કલાક સુધી મોડી પડતાં પેસેન્જરો હેરાન થયા હતા. અમદાવાદથી ઉપડતી ઈન્ડિગોની હૈદરાબાદ, બેંગ્લુરુ 2 કલાક, ઔરંગાબાદ, વારાણસી, પૂણે 1 કલાક, વિસ્તારાની મુંબઈ અને દિલ્હીની 1 કલાક, સ્પાઈસ જેટની દિલ્હીની ફ્લાઈટ પણ 1 કલાક સુધી મોડી પડી હતી. છેલ્લા કેટલાક દિવસથી ખરાબ વાતાવરણના કારણે ફ્લાઈટો મોડી પડવાનો સિલસિલો યથાવત્ છે જેના કારણે પેસેન્જરોને હેરાન થવાનો વારો આવે છે.


http://dlvr.it/TBVJ64

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp