Skip to main content

પોલીસે એકની અટક કરી:શેરપુરા નજીક ટ્રકમાં કતલખાને લઈ જવાતાં 24 પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવાયાં

વડગામ તાલુકાના શેરપુરા (મ) હાઇવે ઉપરથી પસાર થતી ટ્રકમાંથી ગેરકાયદેસર ખીચોખીચ ભરી શનિવારે કતલખાને લઈ જવાતાં 24 ગૌવંશને જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડી મૂંગા પશુઓના જીવ બચાવ્યા હતા. છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત જીવદયા પ્રેમીઓ સક્રીય બનતા શેરપુરા થી અમદાવાદ કતલખાને લઈ જવાતાં ગૌવંશને છાપી નજીક શેરપુરા-મજાદર હાઇવે ઉપર બાતમીના આધારે શેરપુરાના બે જીવદયા પ્રેમીઓએ એક ટ્રકનો પીછો કરી ટ્રકને ઉભી રાખવી તલાસી લીધી હતી. દરમિયાન ટ્રકમાં ખીચોખીચ ભરેલ 24 ગૌવંશને ઝડપી પાડી છાપી પોલીસને જાણ કરતા એએસઆઈ ઉદેસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી ક્રૂરતા પૂર્વક ઘાસચારા તેમજ પાણીની સગવડ વિના 24 ગૌવંશ મળી આવતા પોલીસે ટ્રક સહિત ગૌવંશ મળી કુલ રૂ. 98 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક મિશ્રિલાલ મનિરામ પાલ ગડરિયા (રહે.બસંત પીપળી,જી.નાસિક, મહારાષ્ટ્ર) ની અટકાયત કરી હતી. જ્યારે ગૌવંશને ડીસા પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા. પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


http://dlvr.it/TBVSw5

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n