જમીનમાં ચાલવા મામલે બબાલ:પાલીતાણાના રાજસ્થાની ગામે બે પરિવારો વચ્ચે માથાકૂટ સર્જાતા સામસામી પોલીસ ફરિયાદ
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાનીરાજસ્થળી ગામે પડતર પ્લોટ અને ચાલવા મુદ્દે બે પરિવારો વચ્ચે ડખો સર્જાતા મારામારી થઈ હતી જેમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ પાલીતાણા રૂલર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ અંગે પાલીતાણા રૂલર પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસાર પ્રથમ પક્ષે બટુક રઘુ મકવાણા રે.નાની રાજસ્થળી ગામ વાળાએ આજ ગામના રાણા નરસિંહ મકવાણા, શંભુ નરસિંહ મકવાણા, ઉત્તમ રાણા મકવાણા, વિજય આંબા મકવાણા તથા ઓઘડ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેના ઘર પાસે આવેલ સરકારી પ્લોટ પડતર હાલતમાં હોય આ પ્લોટ ને રાણા નરસિંહ પચાવી પાડવા માગતો હોય અને પ્લોટમાંથી ચાલવાનો રસ્તો બંધ કરી બાવળના કાંટા નાખી રસ્તો બ્લોક કરી દેતા બટુકે રસ્તો બ્લોક કરવાની ના પાડતા તમામ આરોપીઓએ એક સંપ રચી લાકડી વડે હુમલો કરી તેમજ ઢીકાપાટોનો મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજા પક્ષે શંભુ નરસિંહ મકવાણાએ બટુક મકવાણા, ઘુઘા રઘુભાઈ મકવાણા, રાજુ ઘુઘાભાઈ મકવાણા તથા ઘુઘાની પત્ની અને રવજી ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આ પ્લોટ બટુક રઘુ મકવાણાને પચાવી પાડવો હોય આથી ઝઘડાઓ ચાલતા હોય જે બાબતે આરોપીઓએ તેના પર હુમલો કરી ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો, આ અંગે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધ વધુ તપાસ કરી છે.
http://dlvr.it/TB8HZ3
http://dlvr.it/TB8HZ3
Comments
Post a Comment