Skip to main content

જમીનમાં ચાલવા મામલે બબાલ:પાલીતાણાના રાજસ્થાની ગામે બે પરિવારો વચ્ચે માથાકૂટ સર્જાતા સામસામી પોલીસ ફરિયાદ

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાનીરાજસ્થળી ગામે પડતર પ્લોટ અને ચાલવા મુદ્દે બે પરિવારો વચ્ચે ડખો સર્જાતા મારામારી થઈ હતી જેમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ પાલીતાણા રૂલર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ અંગે પાલીતાણા રૂલર પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસાર પ્રથમ પક્ષે બટુક રઘુ મકવાણા રે.નાની રાજસ્થળી ગામ વાળાએ આજ ગામના રાણા નરસિંહ મકવાણા, શંભુ નરસિંહ મકવાણા, ઉત્તમ રાણા મકવાણા, વિજય આંબા મકવાણા તથા ઓઘડ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેના ઘર પાસે આવેલ સરકારી પ્લોટ પડતર હાલતમાં હોય આ પ્લોટ ને રાણા નરસિંહ પચાવી પાડવા માગતો હોય અને પ્લોટમાંથી ચાલવાનો રસ્તો બંધ કરી બાવળના કાંટા નાખી રસ્તો બ્લોક કરી દેતા બટુકે રસ્તો બ્લોક કરવાની ના પાડતા તમામ આરોપીઓએ એક સંપ રચી લાકડી વડે હુમલો કરી તેમજ ઢીકાપાટોનો મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજા પક્ષે શંભુ નરસિંહ મકવાણાએ બટુક મકવાણા, ઘુઘા રઘુભાઈ મકવાણા, રાજુ ઘુઘાભાઈ મકવાણા તથા ઘુઘાની પત્ની અને રવજી ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આ પ્લોટ બટુક રઘુ મકવાણાને પચાવી પાડવો હોય આથી ઝઘડાઓ ચાલતા હોય જે બાબતે આરોપીઓએ તેના પર હુમલો કરી ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો, આ અંગે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધ વધુ તપાસ કરી છે.


http://dlvr.it/TB8HZ3

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp