Skip to main content

પતિએ જ પત્નીને મોતે ધાટ ઉતારી:વડાલીમાં પતિએ પત્નીને ગળામાં ધરિયાના ઘા મારી હત્યા કરી, પોલીસે હત્યા કરનાર પતિની ધરપકડ કરી

સાબરકાંઠા જિલ્લાના વડાલીના સગરવાસમાં ઘરમાં જ પતિએ અગમ્ય કારણોસર પત્નીને ગળાના ભાગે ધારિયાના ઘા મારીને હત્યા કરી નાખી છે. જેને લઈને વડાલી પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, વડાલીમાં આવેલ સગરવાસમાં બુધવારે સવારે મગન દેવકરણભાઈ સગરે પત્ની લક્ષ્મીબેન (ઉવ.35)ને કોઈપણ કારણોસર ધારિયા વડે ગાળામાં તેમજ દાઢીની બંને બાજુ ઘા કરી ગંભીર ઈજાઓ કરી હત્યા કરી નાખી હતી. આ ઘટના અંગે વડાલી પોલીસને જાણ કરતા PSI જે.એમ.રબારી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એફ.એસ.એલ.ને બોલાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યા કરનાર પતિ મગનભાઈ સગરની ધરપકડ કરી હતી અને મૃતદેહને પીએમ માટે વડાલી આરોગ્ય કેન્દમાં ખસેડવામાં આવી હતી. વડાલી પોલીસ સ્ટેશનમાં જીવણ શંકરભાઈ સગરની ફરિયાદ આધારે મગન સગર સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


http://dlvr.it/TBLFv9

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n