Skip to main content

લોન મેળાનું આયોજન:હળવદમાં માર્કેટ યાર્ડ ખાતે પોલીસ દ્વારા બેંક સ્ટાફને સાથે રાખી લોકો માટે લોન મેળો યોજાયો

હળવદ શહેરમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોકો વ્યાજખોરમાં ચંગુલમાં ન ફસાઈ અને તેઓને બેંક તરફથી કઈ રીતે લોન મળી શકે છે. તેની જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. તેની સાથે સાથે લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા અરજદારોને મંજૂર કરવામાં આવેલ 22 લાખ જેટલી રકમની લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ગેરકાયદેસર નાણાધીરતા વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા ન લેવા માટે અધિકારીઓ દ્વારા લોકોને સમજૂત કર્યા હતા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારીમાં પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરના ચંગુલમાં લોકો ન ફાસાય તે માટે જનસંપર્ક સભા અને લોન મેળાનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે મોરબી જિલ્લાના હળવદમાં આવેલ માર્કેટ યાર્ડના મીટીંગ હોલમાં હળવદ પોલીસ સ્ટેશન દ્વારા સામાન્ય પ્રજાજનોને સસ્તા દરે લોન મળી રહે અને વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ મળે તે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદની જુદીજુદી 11 જેટલી બેંકનાં પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને જુદી-જુદી બેંકો દ્વારા લોકોની મંજૂર કરવામાં આવેલી 22 લાખની લોનના ચેક આપવામાં આવ્યા હતા. ત્યારે હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ, યાર્ડના સેક્રેટરી મહેશભાઇ સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ લોન મેળાનો લગભગ અઢીસો કરતા વધુ લોકોએ લાભ લીધો હતો તેવું અધિકારી પાસેથી જાણવા મળ્યું છે


http://dlvr.it/TB6Nc6

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q