Skip to main content

5 સેકન્ડના અંતરે અકસ્માત ટળ્યો, CCTV:વલસાડના રામવાડી વિસ્તારમાં મોટર સાયકલ સવાર પસાર થયા'ને જર્જરિત એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી થયો

વલસાડ નગર પાલિકા દ્વારા ચોમાસા પહેલા શહેરમાં આવેલા 37થી વધુ જર્જરિત મકાનોને નોટિસ પાઠવી હતી. રામવાડી વિસ્તારમાં રામ એપાર્ટમેન્ટ 05 અને આજુબાજુના એપાર્ટમેન્ટને જર્જરિત જાહેર કર્યા હતા. છેલ્લા 3 દિવસથી રામ એપાર્ટમેન્ટ 05ની અલગ અલગ બાલ્કનીનો ભાગ ધરાશાય થયો હતો. બુધવારે સાંજે પણ રામ એપાર્ટમેન્ટનો જર્જરિત ભાગ ધરાશાયી થતા બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. એપાર્ટમેન્ટમાં 20 ફ્લેટ પૈકી 18 ફ્લેટ બંધ છે. 2 ફ્લેટ ધારકો રહે છે ચોમાસાની શરૂઆત પૂર્વે નગર પાલિકા દ્વારા જર્જરિત ઇમારતોનો જર્જરિત ભાગ દૂર કરવા મિલ્કત ધારકોને નોટિસ પાઠવવામાં આવે છે. તેમ છત્તા ઘણી જર્જરિત મિલ્કત ધારકો નગર પાલિકાની નોટિસ ધ્યાને લેતા નથી. ચાલુ વર્ષે વલસાડ નગર પાલિકા દ્વારા શહેરમાં આવેલી 37થી વધુ ઇમારતો જર્જરિત જાહેર કરવામાં આવી છે. રામવાડી વિસ્તારમાં આવેલા રામ એપાર્ટમેન્ટ 05માં 20 ફ્લેટ બનાવ્યા છે. જે પૈકી 2 ફ્લેટ કાર્યરત છે. છેલ્લા 3 દિવસથી વલસાડ શહેરમાં પડી રહેલા વરસાદને લઈને રામ એપાર્ટમેન્ટ 05નો જર્જરિત બાલ્કની નો ભાગ ધરાશાય થઈ રહ્યો હતો. રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓને જીવ બચ્યા હતા. ઘટનાની જાણ વલસાડ નગર પાલિકાની ટીમને થતા વલસાડ નગર પાલિકા દ્વારા રામવાડી વિસ્તારમાં આવેલા રામ એપાર્ટમેન્ટ 05ની અજુબાજુ કોડર્ન કરી તકેદારીના ભાગ રૂપે રસ્તો વાહન ચાલકની અવર જવાર માટે બંધ કરવામાં આવ્યો છે. વલસાડ નગર પાલિકાનો ટીમ દ્વારા એપાર્ટમેન્ટમાં રહેતા 2 પરિવારના સભ્યોને વારંવાર સમજાવવા છત્તા ફ્લેટ ખાલી કરતા ન હોવાનું આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. હાલ એપાર્ટમેન્ટ વધુ જર્જરિત થયો હોવાથી એપાર્ટમેન્ટની આજુબાજુમાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.


http://dlvr.it/T96Z99

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

અમદાવાદ નવરાત્રિ LIVE:માડી તારા મંદિરીયામાં ઘંટારવ વાગે... અમદાવાદીઓએ ગરબાની રમઝટ બોલાવી, સાણંદમાં ખેલૈયાઓએ ઠુમકાં લગાવ્યા https://ift.tt/eA8V8J

સાણંદના કલ્હાર બંગલો ખાતે ગરબાની રમઝટ બોલાવી,સાઉથ બોપલના ગાલા ગ્લોરી ખાતે નવરાત્રિની ઉજવણી,અમદાવાદ એરપોર્ટ ખાતે શેરી ગરબાનું આયોજન કરાયું from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3v3ERcz

સૌરાષ્ટ્રની રસધાર:ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘બહારવટિયો’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે https://ift.tt/eA8V8J

from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3bvkk7q