Skip to main content

5 સેકન્ડના અંતરે અકસ્માત ટળ્યો, CCTV:વલસાડના રામવાડી વિસ્તારમાં મોટર સાયકલ સવાર પસાર થયા'ને જર્જરિત એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી થયો

વલસાડ નગર પાલિકા દ્વારા ચોમાસા પહેલા શહેરમાં આવેલા 37થી વધુ જર્જરિત મકાનોને નોટિસ પાઠવી હતી. રામવાડી વિસ્તારમાં રામ એપાર્ટમેન્ટ 05 અને આજુબાજુના એપાર્ટમેન્ટને જર્જરિત જાહેર કર્યા હતા. છેલ્લા 3 દિવસથી રામ એપાર્ટમેન્ટ 05ની અલગ અલગ બાલ્કનીનો ભાગ ધરાશાય થયો હતો. બુધવારે સાંજે પણ રામ એપાર્ટમેન્ટનો જર્જરિત ભાગ ધરાશાયી થતા બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. એપાર્ટમેન્ટમાં 20 ફ્લેટ પૈકી 18 ફ્લેટ બંધ છે. 2 ફ્લેટ ધારકો રહે છે ચોમાસાની શરૂઆત પૂર્વે નગર પાલિકા દ્વારા જર્જરિત ઇમારતોનો જર્જરિત ભાગ દૂર કરવા મિલ્કત ધારકોને નોટિસ પાઠવવામાં આવે છે. તેમ છત્તા ઘણી જર્જરિત મિલ્કત ધારકો નગર પાલિકાની નોટિસ ધ્યાને લેતા નથી. ચાલુ વર્ષે વલસાડ નગર પાલિકા દ્વારા શહેરમાં આવેલી 37થી વધુ ઇમારતો જર્જરિત જાહેર કરવામાં આવી છે. રામવાડી વિસ્તારમાં આવેલા રામ એપાર્ટમેન્ટ 05માં 20 ફ્લેટ બનાવ્યા છે. જે પૈકી 2 ફ્લેટ કાર્યરત છે. છેલ્લા 3 દિવસથી વલસાડ શહેરમાં પડી રહેલા વરસાદને લઈને રામ એપાર્ટમેન્ટ 05નો જર્જરિત બાલ્કની નો ભાગ ધરાશાય થઈ રહ્યો હતો. રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓને જીવ બચ્યા હતા. ઘટનાની જાણ વલસાડ નગર પાલિકાની ટીમને થતા વલસાડ નગર પાલિકા દ્વારા રામવાડી વિસ્તારમાં આવેલા રામ એપાર્ટમેન્ટ 05ની અજુબાજુ કોડર્ન કરી તકેદારીના ભાગ રૂપે રસ્તો વાહન ચાલકની અવર જવાર માટે બંધ કરવામાં આવ્યો છે. વલસાડ નગર પાલિકાનો ટીમ દ્વારા એપાર્ટમેન્ટમાં રહેતા 2 પરિવારના સભ્યોને વારંવાર સમજાવવા છત્તા ફ્લેટ ખાલી કરતા ન હોવાનું આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. હાલ એપાર્ટમેન્ટ વધુ જર્જરિત થયો હોવાથી એપાર્ટમેન્ટની આજુબાજુમાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.


http://dlvr.it/T96Z99

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp