સાવરકુંડલા તાલુકાના વંડા આસપાસના ચાર ગામોમાં આઝાદીના 76 વર્ષ પછી પણ એસ.ટી. બસની સુવિધાઓ મળી નથી. ચારેય ગામના લોકોને બસ સુવિધા ન મળતા ખાનગી વાહનોનો સહારો મેળવવો પડી રહ્યો છે. સાવરકુંડલા તાલુકાનાં ફાચરીયા, ખાલપર, હઠીલાવાવ અને કુકવાવ ચારેય ગામોને ભુતકાળમાં એસટી બસનાં ચારથી પાંચ ટ્રીપ મળતી પરંતુ અચાનક એસટીના અધિકારીઓના અણઘણ વહિવટના કારણે બંધ કરી દીધી છે. હઠીલાવાવ ગામમાં વર્ષોથી સાવરકુંડલા એસ.ટી.ડેપોની રાત્રી રોકાણ કરતી હતી તે બસ પણ બંધ કરી દીધી છે. વંડા હાઈસ્કૂલના મેનેઝિંગ ટ્રસ્ટી મનજીભાઈ તળાવીયા દ્વારા સાવરકુંડલા તાલુકાના સતાધીશો અને એસ.ટી.તંત્રને રજુઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારનો એવો હેતુ હતો કે ગામડાનાં લોકોને દિવસમાં એકવાર તાલુકા તથા જિલ્લા મથકે જવા આવવા માટે સરકારી એસ.ટી.બસની સુવિધા આપવામાં આવે. સાવરકુંડલા તાલુકાના ફાચરીયા, ખાલપર, હઠીલાવાવ અને કુકવાવ ચારેય ગામોને પાંચ વર્ષ પહેલા સાવરકુંડલાથી હઠીલાવાવ બસ સાવરકુંડલાથી સાંજે 6:30 કલાકે ઉપડી હઠીલાવાવ ગામ ખાતે નાઈટ હોલ્ટ કરવામાં આવતો હતો. હઠીલાવાવ ખાતેથી વહેલી સવારે ઉપડી સાવરકુંડલા પરત ફરતી જે બસ સાવરકુંડલાથી ઝીંઝુડા, પીઠવડી, પીયાવા, વંડા, ફાચરિયા, ખાલપર, કુંકાવાવ થઈને હઠીલાવાવ પહોંચતી હતી. આ ઉપરાંત બપોરે 12 કલાકે સાવરકુંડલાથી હઠીલાવાવ વિદ્યાર્થીઓ માટેની ટ્રીપ તેમજ સાંજે 4 કલાકે સાવરકુંડલાથી હઠીલાવાવ વિદ્યાર્થીઓની ટ્રીપ ઉપરાંત સાવરકુંડલા વાયા ધાર વંડાની બે ટ્રીપ ચાલતી હતી. આ ત્રણ ટ્રીપો બંધ કરી દેવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા બસની સુવિધા શરૂ કરવામા આવે તેવી માંગ ઉઠી છે.
http://dlvr.it/TB2HWf
http://dlvr.it/TB2HWf

Comments
Post a Comment