Skip to main content

બસની સુવિધા મળી જ નથી!:સાવરકુંડલા પંથકના 4 ગામને આઝાદી બાદ પણ બસની સુવિધા મળી જ નથી!

સાવરકુંડલા તાલુકાના વંડા આસપાસના ચાર ગામોમાં આઝાદીના 76 વર્ષ પછી પણ એસ.ટી. બસની સુવિધાઓ મળી નથી. ચારેય ગામના લોકોને બસ સુવિધા ન મળતા ખાનગી વાહનોનો સહારો મેળવવો પડી રહ્યો છે. સાવરકુંડલા તાલુકાનાં ફાચરીયા, ખાલપર, હઠીલાવાવ અને કુકવાવ ચારેય ગામોને ભુતકાળમાં એસટી બસનાં ચારથી પાંચ ટ્રીપ મળતી પરંતુ અચાનક એસટીના અધિકારીઓના અણઘણ વહિવટના કારણે બંધ કરી દીધી છે. હઠીલાવાવ ગામમાં વર્ષોથી સાવરકુંડલા એસ.ટી.ડેપોની રાત્રી રોકાણ કરતી હતી તે બસ પણ બંધ કરી દીધી છે. વંડા હાઈસ્કૂલના મેનેઝિંગ ટ્રસ્ટી મનજીભાઈ તળાવીયા દ્વારા સાવરકુંડલા તાલુકાના સતાધીશો અને એસ.ટી.તંત્રને રજુઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારનો એવો હેતુ હતો કે ગામડાનાં લોકોને દિવસમાં એકવાર તાલુકા તથા જિલ્લા મથકે જવા આવવા માટે સરકારી એસ.ટી.બસની સુવિધા આપવામાં આવે. સાવરકુંડલા તાલુકાના ફાચરીયા, ખાલપર, હઠીલાવાવ અને કુકવાવ ચારેય ગામોને પાંચ વર્ષ પહેલા સાવરકુંડલાથી હઠીલાવાવ બસ સાવરકુંડલાથી સાંજે 6:30 કલાકે ઉપડી હઠીલાવાવ ગામ ખાતે નાઈટ હોલ્ટ કરવામાં આવતો હતો. હઠીલાવાવ ખાતેથી વહેલી સવારે ઉપડી સાવરકુંડલા પરત ફરતી જે બસ સાવરકુંડલાથી ઝીંઝુડા, પીઠવડી, પીયાવા, વંડા, ફાચરિયા, ખાલપર, કુંકાવાવ થઈને હઠીલાવાવ પહોંચતી હતી. આ ઉપરાંત બપોરે 12 કલાકે સાવરકુંડલાથી હઠીલાવાવ વિદ્યાર્થીઓ માટેની ટ્રીપ તેમજ સાંજે 4 કલાકે સાવરકુંડલાથી હઠીલાવાવ વિદ્યાર્થીઓની ટ્રીપ ઉપરાંત સાવરકુંડલા વાયા ધાર વંડાની બે ટ્રીપ ચાલતી હતી. આ ત્રણ ટ્રીપો બંધ કરી દેવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા બસની સુવિધા શરૂ કરવામા આવે તેવી માંગ ઉઠી છે.


http://dlvr.it/TB2HWf

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp