Skip to main content

આરોગ્ય વિભાગની કાર્યવાહી:એસજી હાઇ-વે પર શિલ્પ બિઝનેસ હબ સહિત 21 બાંધકામ સાઈટો પર મચ્છરના બ્રીડિંગ મળી આવતા સીલ

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મચ્છરજન્ય રોગચાળાની પણ શરૂઆત થઈ જાય છે. ઘરે ઘરે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો વધે છે. ખાસ કરીને વરસાદી પાણી ભરાઈ રહેતાં હોય એવા સ્થળ ઉપર મચ્છરોની ઉત્પત્તિ વધુ થતી હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આવેલી બાંધકામ સાઈટો ઉપર આજે (31 જુલાઈના) રોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 21 જેટલી બાંધકામ સાઇટો ઉપર મોટી સંખ્યામાં મચ્છરોના બ્રિડિંગ મળી આવતા સીલ કરવામાં આવી છે. બિલ્ડરને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી બનાવવામાં આવી રહેલી એલજી હોસ્પિટલની બાંધકામ સાઈટ, ગીતામંદિર નવા એસટી બસ સ્ટેન્ડ બાંધકામ સાઈટ, એસજી હાઈવે નિરમા વિદ્યાવિહાર ઉપર પણ મચ્છરના બ્રીડિંગ મળી આવતા બિલ્ડરને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો છે. બિલ્ડરો અને ડેવલોપર દ્વારા બાંધકામ સાઈટો ઉપર વરસાદ બાદ પાણીના નિકાલની વ્યવસ્થા કે સફાઈ કરવામાં ન આવતા તેમજ અન્ય જગ્યાએ વરસાદી પાણી ભરાઈ રહે છે. જેના કારણે ખૂબ મચ્છરોનો ઉપદ્રવ વધે છે. 21 બાંધકામ સાઈટોને સીલ કરી
અમદાવાદમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો વધવાની શક્યતા ને પગલે આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીને શહેરમાં રોગચાળો અટકાવવા માટે કરવામાં આવતી કામગીરી મામલે નારાજગી વ્યક્ત કરવામાં આવ્યા બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. શહેરમાં આવેલી વિવિધ બાંધકામ સાઈટો ઉપર આજે સવારથી હેલ્થ વિભાગના મેલેરિયા ખાતાની ટીમો ચેકિંગમાં નીકળી હતી. સાંજ સુધીમાં 315 જેટલી બાંધકામ સાઈટો ઉપર ચેકિંગ હાથ ધરી 21 બાંધકામ સાઈટોને સીલ કરી છે જ્યારે 143 બાંધકામ સાઈટોને નોટિસ આપવામાં આવી છે. મચ્છરોના બ્રીડિંગ મળી આવતા કુલ રૂ. 7.43 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. કઈ-કઈ સાઈટ સીલ?


http://dlvr.it/TBKFFq

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n