Skip to main content

રજૂઆત:સ્માર્ટ મીટર લગાવતા પહેલા જુના મિટરનું અલગ બીલ આપો

ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્માર્ટ મીટર લગાવતા પહેલા જુના સ્ટેટેસ્ટિકલ મિટરનું અલગ બીલ આપવા અંગે પી.જી.વી.સી.એલ.નાં મેનેજિંગ ડિરેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાતનાં જુદા જુદા શહેરોમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલમાં ચાલી રહેલ છે. જ્યાં-જ્યાં સ્માર્ટ મીટરો લાગવામાં આવે છે ત્યાં-ત્યાં ગ્રાહકો દ્વારા આ પ્રી-પેઈડ મીટરમાં વધારે રકમનું બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામેલ છે. તેના સંદર્ભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પી.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર પાઠવી આ સમસ્યાનું નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવેલ છે. ચેમ્બર દ્વારા આ પત્રમાં જણાવવામાં આવેલ છે કે જુના સ્ટેટેસ્ટિકલ મીટરનું બીલ પ્રી-પેઈડ મીટરમાં કેરી ફોરવર્ડ કરવામાં આવે તો એક દિવસમાં પ્રી-પેઈડ મીટરનુ રિચાર્જ સમાપ્ત થાય છે. તેથી જો સ્ટેટેસ્ટિકલ મીટરનું અલગ બીલ આપવામાં આવે તો ગ્રાહકોને આ બાબતે કોઈ મુંઝવણ રહેશે નહિ. આ ઉપરાંત ચેમ્બર દ્વારા પી.જી.વી.સી.એલ.ને પાઠવેલ પત્રમાં સૂચન કરવામાં આવેલ છે કે વીજ કંપની દ્વારા ગુજરાતની તમામ ચેમ્બરને સાથે રાખી નવી નીતિ અંગે માહિતી માર્ગદર્શન આપવામાં આવે તો પ્રી-પેઈડ મીટરના સંદર્ભમાં જાહેર ફરિયાદોનાં ઉકેલ લાવવામાં ચેમ્બર પણ મદદરૂપ થઇ શકે.
આ પત્રની નકલ જાણકારી અર્થે ભાવનગર સર્કલનાં ચીફ એન્જીનીયરને પણ મોકલવામાં આવેલ છે.


http://dlvr.it/T7MSwv

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp