મહેસાણામાં માનવ આશ્રમ ચોકડીથી દેલા વસાહત સુધી રોડના ડિવાયડરમાં વૃક્ષારોપણ સમયે સ્ટ્રીટલાઇટના કેબલ કપાઇ જતાં કેટલીક સ્ટ્રીટલાઇટો બંધ પડી છે. ચોમાસામાં કોઇને વીજકરંટ ન લાગે તે માટે સત્વરે નવી પાઇપ સાથે કેબલ નાંખવા વિસ્તારના સદસ્ય દિપકભાઇ પટેલે નગરપાલિકામાં લેખિત જાણ કરી છે. તાજેતરમાં વોર્ડ નં.3માં માનવ આશ્રમ ચોકડીથી દેલા વસાહત સુધી મુખ્ય રોડ વચ્ચેના ડિવાયડરમાં રાજકોટના સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. અા કામગીરીમાં સ્ટ્રીટલાઇટના લોખંડના પોલના તમામ કેબલ કપાઇ ગયા છે. જે અંગે સદસ્ય દિપકભાઇ પટેલે નગરપાલિકાના ચીફ અોફિસરને જણાવ્યું છે કે, રોડ પર કેટલીક સ્ટ્રીટલાઇટ બંધ હાલતમાં છે. ડેમેજ કેબલના કારણે આગામી ચોમાસામાં વીજકરંટને કારણે અકસ્માત થવાનું જોખમ રહેલું હોઇ સત્વરે માનવ આશ્રમ ચોકડીથી દેલા વસાહત સુધીના તમામ સ્ટ્રીટલાઇટના લોખંડ પોલમાં નવી પાઇપ સાથે સ્ટ્રીટલાઇટ કેબલ નાખવા જરૂરી હોઇ સત્વરે કામગીરી કરાવવી જોઇએ.
http://dlvr.it/T7ZZsT
http://dlvr.it/T7ZZsT

Comments
Post a Comment