Skip to main content

અરજદારોને રાહત:પાટણ જિલ્લામાં વિલંબિત જન્મ-મરણ નોંધણી માટે તાલુકા મામલતદારોને અધિકૃત કરાયા

પાટણ જિલ્લાનાં તાલુકા મથકેથી જ જે તે તાલુકાની મામલતદાર કચેરી ખાતેથી જ હવે જન્મ અને મરણની વિલંબિત નોંધણીનાં હુકમો મળી શકશે તેવી વ્યવસ્થા પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ વ કલેકટરે ગોઠવતાં જન્મ અને મરણનો વિલંબિત નોધણીનાં હુકમો માટે કોર્ટના ધક્કા ખાવા નહિ પડે. જે તે તાલુકા સ્તરેથી તેઓને જન્મ-મરણ નોંધણીનાં હુકમો મળી શકશે. અત્યાર સુધીની વ્યવસ્થા પ્રમાણે પાટણ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જન્મતા કે મૃત્યુ પામેલા લોકોની સમયસર નોંધણી ન કરાવી શકેલા પરિવારો તેમનાં જન્મેલા કે નિધન પામેલાઓનાં જન્મ-મરણની નોંધણી માટેનાં ઓર્ડર જે તે તાલુકાનાં કાર્યક્ષેત્રની અદાલતોમાથી હુકમો મેળવીને જન્મ-મરણ નોંધણી કચેરીમાં રજૂ કરવા પડતા હતા તે ત્યારબાદ નોંધણી કરવાની વ્યવસ્થા છે. આ વ્યવસ્થાનું અગાઉ વિસ્તરણ કરીને કોર્ટ ઉપરાંત પાટણ જિલ્લાનાં વિવિધ તાલુકા સ્તરનાં સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ વ પ્રાંત અધિકારીઓને આ પ્રકારના હુકમો આપવાની સત્તા પાટણ કલેક્ટરે સોંપી હતી. પરંતુ પાટણ જિલ્લાનાં પ્રાંત અધિકારીઓ પર વિવિધ કામગીરીઓનું ભારણ વધારે હોવાથી તેઓની રજૂઆતો બાદ પાટણ જિલ્લા કલેક્ટરે આ પ્રકારની વિલંબીત જન્મ-મરણની નોંધણી માટેનાં હુકમોની સત્તા પાટણ તાલુકા શહેરી મામલતદારોને સુપ્રત કરી છે. કલેક્ટરનાં આ હુકમથી પાટણ શહેર જેવા જિલ્લા મથકનાં અને તાલુકાનાં લોકોને વધારે ફાયદો થશે. કારણ કે, સૌથી વધારે જન્મ-મરણની નોંધણી પાટણ નગરપાલિકાની રજિસ્ટ્રાર કચેરીમાં થતી હોય છે ને એનાં વિલંબિત નોંધણીનાં હુકમો મેળવવા માટેની પાટણ મામલતદાર કચેરી પણ નગરપાલિકાની પાસે જ હોવાથી લોકોને સરળતા રહેશે. પાટણ જિલ્લા કલેક્ટરે પાટણ જિલ્લાનાં એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ વ મામલતદારોને આ સત્તા આપતાં તા. 16-5-2024 નાં હુકમમાં જણાવ્યું છે કે, જન્મ-મરણ નોંધણી (સુધારો) એક્ટ-2023 અન્વયે જણાવેલી સત્તાઓ સુપ્રત કરવાની થતી હોવાથી ભારત સરકારનાં કાયદા અને ન્યાય મંત્રાલય (લેજીસ્ટેટિવ ડિપાર્ટમેન્ટ) દ્વારા પ્રસિધ્ધ થયેલ જન્મ-મરણ નોંધણી સુધારા એક્ટ-2023 તા. 11-8-2023 થી મળેલી સત્તાની રૂએ પાટણ જિલ્લામાં જ્યાં જન્મ અને મરણ થાય તે વિસ્તાર પર અધિકાર ક્ષેત્ર ધરાવતા તમામ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટને આ સુધાર અધિનિયમ મુજબ જન્મ-મરણની નોંધણી બાબતે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવ્યાં છે. તેવું પાટણ જિલ્લા કલેક્ટર વ જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ વિજયને પોતાનાં હુકમમાં જણાવ્યું છે.


http://dlvr.it/T7XR6C

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...