Skip to main content

મતદાન કરવા અપીલ:લોકસભાની ચૂંટણીમાં પદ્મશ્રી માલજીભાઈ દેસાઈએ પાટણ જિલ્લાવાસીઓને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી

લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મતદાન શપથ ગ્રહણ, રંગોળી સ્પર્ધા, મહેંદી, શેરી નાટક વગેરે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી હોતા જિલ્લાના વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા ખ્યાતનામ લોકો જિલ્લાના નાગરિકોને મતદાન કરવા માટે અનુરોધ કરી રહ્યા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ ઝીલીયા આશ્રમના સંચાલક અને પદ્મશ્રી માલજીભાઈ દેસાઈએ લોકોને મતદાન કરવા માટે અનુરોધ કરતા જણાવ્યું હતું કે, બંધારણમાં આપણે સૌને જે હકો અને ફરજ આપવામાં આવ્યા છે તેમાં સૌથી મોટો હક છે મત આપવાનો હક. લોકશાહીમાં લોકોની ભાગીદારી જરૂરી છે. હાલમાં આપણા દેશમાં ચૂંટણીનો મહાપર્વ ચાલી રહ્યો છે. તેથી ઝીલીયા આશ્રમના સંચાલક અને લોકસેવક તરીકે મારી તમામ નાગરિકોને અપીલ છે કે આપણને જે હક મળ્યો છે તેનો આગામી 7મી મેના રોજ ઉપયોગ કરીએ. જેમ આપણે આપણા ધાર્મિક અને સામાજીક પ્રસંગો ઉજવીએ છીએ એમ જ ઉમળકાભેર મતદાન કરીને આ મહાપર્વને ઉજવીએ. પાટણ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વયોવૃદ્ધ અને શારીરીક રીતે અશક્ત લોકો માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી મતદાનના દિવસે થોડો સમય ફાળવીને અવશ્ય મતદાન કરીએ.


http://dlvr.it/T6Llg5

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...