ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર પાસે રહેતા અને કર્મકાંડના વ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઈ જીવણલાલ રાજ્યગુરુ (મૂળ જુના વિરમદળ વારા) નામના 45 વર્ષના બ્રાહ્મણ યુવાન ગઈકાલે ગુરુવારે સાંજના સમયે તેમના ઘરે સુતા હતા. ત્યારે એકાએક તેમનો શ્વાસ રૂંધાવવા લાગતા તેમને મૂર્છિત અવસ્થામાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતા. આ બનાવની જાણ મૃતકના પિતરાઈ ભાઈ રજનીકાંત લાલજીભાઈ રાજ્યગુરુ (ઉ.વ.40)એ અહીં પોલીસની કરી છે. ચાર દિવસમાં વધુ એક વિપ્ર યુવાનનું હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યાના આ બનાવે બ્રહ્મ સમાજ સાથે સમગ્ર શહેરમાં શોક સાથે પ્રસરાવી છે.
http://dlvr.it/T6M3Zg
http://dlvr.it/T6M3Zg
Comments
Post a Comment