Skip to main content

વધુ એક હૃદય ધબકતું બંધ થયું:ખંભાળિયાના વધુ એક વિપ્ર યુવાનનું હૃદયરોગના કારણે મૃત્યુ

ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર પાસે રહેતા અને કર્મકાંડના વ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઈ જીવણલાલ રાજ્યગુરુ (મૂળ જુના વિરમદળ વારા) નામના 45 વર્ષના બ્રાહ્મણ યુવાન ગઈકાલે ગુરુવારે સાંજના સમયે તેમના ઘરે સુતા હતા. ત્યારે એકાએક તેમનો શ્વાસ રૂંધાવવા લાગતા તેમને મૂર્છિત અવસ્થામાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતા. આ બનાવની જાણ મૃતકના પિતરાઈ ભાઈ રજનીકાંત લાલજીભાઈ રાજ્યગુરુ (ઉ.વ.40)એ અહીં પોલીસની કરી છે. ચાર દિવસમાં વધુ એક વિપ્ર યુવાનનું હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યાના આ બનાવે બ્રહ્મ સમાજ સાથે સમગ્ર શહેરમાં શોક સાથે પ્રસરાવી છે.


http://dlvr.it/T6M3Zg

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q