Skip to main content

સામાજીક સંવેદનાને ઉજાગર કરતાં યુવાનો:મોરવા હડફના મોરા ગામે વિધવા વૃધ્ધાની મદદે આવ્યા સમાજના યુવાનો, સોશિયલ મીડિયાના માધ્યમથી ધનરાશિ ભેગી કરી બનાવી રહ્યાં છે રહેણાંક મકાન

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ગામે રહેતી વૃધ્ધા મહિલા અને તેમની બે પુત્રી અને ચાર પૌત્રોને મદદે સમાજના યુવાનો આવ્યા છે. આર્થિક કટોકટીનો સામનો કરતા આ પરિવારને સોશિયલ મીડિયાથી મદદની ગુહાર લગાવામાં આવી જેના કારણે આર્થિક મદદ પણ મળી રહી છે. હાલમાં આ વૃધ્ધાનું મકાન પણ બનાવાની કામગીરી સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આર્થિક કટોકટીને કારણે પરિવાર ચલાવું મુશ્કેલ
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામા મોરા ગામ આવેલું છે. આ ગામમા રહેતા વિધવા રમીલાબેન આર્થિક કટોકટીને કારણે પરિવાર ચલાવું મુશ્કેલ બન્યું હતું. તેમના પતિ અવસાન પામ્યા બાદ તેમના ત્રણ પુત્રો પણ અકાળે અવસાન પામતા તેઓના માથે આભ તુટી પડ્યું હતું. પથારીવશ બનેલા આ વૃધ્ધાને એક ઝુપડામાં રહેવાની ફરજ પડી હતી, સાથે સાથે તેમની બે દિકરી અને ચાર પૌત્રો પણ સાથે રહેતા હતા. સોશિયલ મીડિયા પર આર્થિક મદદ કરવા આવાહન કર્યુ
આ વાત ગામના અને સમાજના અગ્રણીઓને થતા તેમને આ વૃધ્ધા રમીલાબેનને આર્થિક રીતે સરભર બનાવીને ઘર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. સાથે સાથે સોશિયલ મીડિયા પર આર્થિક મદદ કરવા માટે આવાહન કર્યુ, તેના કારણે આર્થિક મદદ પણ મળી. હાલમાં તેમના મકાન બનાવાનું કામ ચાલી રહ્યું છે. સમાજના યુવાનો દ્વારા તેમની પુત્રીઓ માટે આરોગ્યલક્ષી સુવિધાઓ તેમજ બાળકોના ભણતર માટે પણ મદદ કરવાની ખાતરી આપવામાં આવી છે. યોગ્ય લાભાર્થીઓને આવાસ મળે તે જરૂરી
આમ ગામના યુવાનોની સમાજ પ્રત્યેની લાગણીને કારણે આજે એક વિધવા વૃધ્ધાના પરિવારને નવજીવન મળવા જઈ રહ્યું છે. નોંધનીય એ પણ છે કે સરકાર દ્વારા આવાસ યોજનાઓ અંતગર્ત ઘર ફાળવામાં આવે છે. પણ જેને હકીકતમાં ઘરની જરુર છે. તેના માટે કોઈ આવાસ યોજનાનો લાભ મળતો નથી. તેવું આ વાત પરથી પણ લાગે છે. ખરેખર તંત્રએ યોગ્ય લાભાર્થીઓને આવાસ મળે તે દિશામાં પગલા ભરવા જોઈએ. ત્યારે મોરા ગામના યુવાનોની સામાજીક પહેલને પણ સૌ કોઈ બિરદાવી રહ્યા છે.


http://dlvr.it/T7dYgx

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...