આયુષ્માન કાર્ડ યોજનાનો ભરપૂર ગેરલાભ ઉઠાવવાનું ગુનાહિત ષડયંત્ર:તંદુરસ્ત નવજાતને ગંભીર બીમારી બતાવીને રાજકોટના ડૉક્ટરે માત્ર 8 મહિનામાં અઢી કરોડ રૂપિયા પડાવી લીધા
ઈમરાન હોથી આયુષ્માન યોજના હેઠળ વધારે રૂપિયા મળે તે માટે સ્વસ્થ અને તંદુરસ્ત નવજાતના શરીરમાં છ-છ દિવસ નળીઓ અને સિરિન્જ ભોંકાવી રાખી કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા એક તબીબનાં કાળા કરતૂતો બહાર આવ્યાં છે. નવજાતને કોઈપણ પ્રકારની બીમારી ન હોવા છતાં સાચા રિપોર્ટમાં છેડછાડ કરી તેમાં નવજાતને ગંભીર બીમારી છે તેવા નકલી રિપોર્ટ તૈયાર કરાવાતા હોવાનું કારસ્તાન દિવ્ય ભાસ્કરની તપાસમાં બહાર આવ્યું છે. આયુષ્માન યોજના હેઠળ અનેક પ્રકારની બીમારીઓ આવરી લેવાઈ છે. આ પૈકી નવજાત બાળકોને કમળો, ઈન્ફેક્શન, ગેસ, ન્યુમોનિયા જેવા રોગ થાય અને એનઆઈસીયુમાં રાખવા પડે તો તેની પણ જોગવાઈ છે. આ કારણે નવજાતની સારવારનો ખર્ચ પરિવારની માથે આવતો નથી અને તેનો જીવ પણ બચાવી શકાય છે. નવજાતના કિસ્સામાં સૌથી ગંભીર સ્થિતિ એ હોય છે કે તેને શું દર્દ થાય છે તે જણાવી શકતું નથી. આ જ બાબતનો ફાયદો રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલી નિહિત બેબીકેર હોસ્પિટલના ડો.હિરેન મશરૂએ ઉઠાવ્યો છે. અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી તેમને ત્યાં નિદાન માટે આવતા બાળકો અથવા તો પ્રસૂતિ બાદ સીધા ગાયનેક રીફર કરે તે કેસમાં તેમણે કૌભાંડનો નવો રસ્તો અપનાવ્યો છે. પરિવાર પાસે આયુષ્માન કાર્ડ છે કે નહિ તેની ખરાઈ કરવામાં આવે છે. નવજાતના સેમ્પલ લઈને મંગલમ લેબોરેટરીમાં મોકલવામાં આવે અને જ્યારે રિપોર્ટ આવે અને તેમાં કોઇ સમસ્યા ન હોય તો ડો.મશરૂ તે રિપોર્ટમાં ચેડાં કરી એડિટિંગ કરી તેના આંકડા ફેરવી ઈન્ફેક્શન બતાવી નવજાતને 7થી 10 દિવસ એનઆઈસીયુમાં દાખલ કરાવી દે છે. ત્યારબાદ આ ડોક્યુમેન્ટ તેઓ આયુષ્માન યોજના કે જે પીએમજેએવાય તરીકે ઓળખાય છે તેના પોર્ટલમાં અપલોડ કરી મંજૂરી મેળવી લે છે. મંજૂરી મળતા પ્રતિ દિવસ તેમને 9થી 10 હજાર રૂપિયા મળવાના શરૂ થાય છે. માત્ર લેબ રિપોર્ટમાં જ ચેડાં કર્યા બાદ તેમણે એક્સ-રેમાં પણ આવી જ ચીટિંગ કરી છે. બે વર્ષ જૂના એક નવજાતને રોગનું નિદાન થયાનું એક્સ રેની પ્લેટના ફોટો લઈ તેમાં નામ કાઢી તેનો ફરી ફોટો પાડી બાળકને સમસ્યા હોવાનું બતાવી તેની પણ સારવારના પૈસા મેળવી લીધા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના પરિવારજનો પાસે એમ્બ્યુલન્સ ચાર્જ પણ લઈ લે છે. ડો.મશરૂએ માત્ર પૈસા જ નહિ પણ અનેક પરિવાર સાથે રમત કરી છે પ્રસૂતાથી તેના સંતાનને દૂર રાખ્યા અને પરિવાર કે જેની ઉપર હવે પ્રસૂતા અને બાળક બંને માટે અલગ અલગ હોસ્પિટલ જવાની ચિંતા પણ આવી છે. આવા અનેક પરિવારો ફક્તને ફક્ત ડો.મશરૂની લાલચને કારણે પીડાયા છે. સ્વસ્થ નવજાતને ભયાનક યાતના આપી શરીરમાં છ-છ દિવસ નળીઓ અને સિરિન્જ ભોંકાવી રાખતો, દર્દી જેને ભગવાન માને છે તે પૈસાનો પૂજારી નીકળ્યો મંગલમ લેબમાં બાવળિયા પરિવારના નવજાતના રિપોર્ટ કરાયા હતા જેમાં સીઆરપી 3.80 હતું જેને કમ્પ્યૂટરમાં એડિટ કરીને 43.80 કરી દેવાયા હતા. આ રહ્યા અસલ અને નકલી બંને રિપોર્ટ
ડો.મશરુએ આઠ મહિનામાં જ 523 દર્દીમાંથી 2.53 કરોડની કમાણી કરી
ડો.મશરુએ અત્યાર સુધીમાં કેટલા દર્દીઓની સારવાર આયુષ્માન કાર્ડના લાભાર્થી તરીકે કરી છે તેની વિગતો મેળવવા પ્રયત્ન કરાયો હતો. જુલાઈ 2023થી અત્યાર સુધીમાં 523 દર્દીની સારવાર કરી છે અને 2.53 કરોડ રૂપિયા મેળવી લીધા છે. ડો. મશરુનું કારસ્તાન ચાર વર્ષથી ચાલી રહ્યું છે. જેનો આંક મેળવવામાં આવે તેમજ લેબ રિપોર્ટની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવશે.
તબીબના કહેવાથી રિપોર્ટમાં ફેરફાર કરતા કમ્પ્યૂટર ઓપરેટરે જ કર્યો ભાંડાફોડ
નિહિત બેબીકેરમાં ફરજ બજાવતા કમ્પ્યૂટર ઓપરેટર રવિ સોલંકીને ડો.મશરુ વિવિધ રિપોર્ટ મોકલતો હતો. તે રિપોર્ટમાં શું ફેરફાર કરવા તેની મોબાઈલ ફોન પર સૂચના આપીને બાદમાં તેની પ્રિન્ટ કાઢવાનું કહેતો હતો. રવિએ ભાસ્કરને જણાવ્યું હતું કે, તેની પાસે અનેક રિપોર્ટમાં ફેરફાર કરાવાયા હતા. તેને મેડિકલનું જ્ઞાન ન હોવાથી જેમ ડોક્ટર કહેતા તેમ કરતો હતો. જોકે ગુનાહિત કામ હોવાની જાણ થતા તેણે નોકરી છોડી હતી. તેણે ભાસ્કરને વોટ્સએપ દ્વારા રિપોર્ટમાં ફેરફારની વાતચીતની ઓડિયો ક્લિપ આપી હતી.
http://dlvr.it/T6LK3B
ડો.મશરુએ આઠ મહિનામાં જ 523 દર્દીમાંથી 2.53 કરોડની કમાણી કરી
ડો.મશરુએ અત્યાર સુધીમાં કેટલા દર્દીઓની સારવાર આયુષ્માન કાર્ડના લાભાર્થી તરીકે કરી છે તેની વિગતો મેળવવા પ્રયત્ન કરાયો હતો. જુલાઈ 2023થી અત્યાર સુધીમાં 523 દર્દીની સારવાર કરી છે અને 2.53 કરોડ રૂપિયા મેળવી લીધા છે. ડો. મશરુનું કારસ્તાન ચાર વર્ષથી ચાલી રહ્યું છે. જેનો આંક મેળવવામાં આવે તેમજ લેબ રિપોર્ટની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવશે.
તબીબના કહેવાથી રિપોર્ટમાં ફેરફાર કરતા કમ્પ્યૂટર ઓપરેટરે જ કર્યો ભાંડાફોડ
નિહિત બેબીકેરમાં ફરજ બજાવતા કમ્પ્યૂટર ઓપરેટર રવિ સોલંકીને ડો.મશરુ વિવિધ રિપોર્ટ મોકલતો હતો. તે રિપોર્ટમાં શું ફેરફાર કરવા તેની મોબાઈલ ફોન પર સૂચના આપીને બાદમાં તેની પ્રિન્ટ કાઢવાનું કહેતો હતો. રવિએ ભાસ્કરને જણાવ્યું હતું કે, તેની પાસે અનેક રિપોર્ટમાં ફેરફાર કરાવાયા હતા. તેને મેડિકલનું જ્ઞાન ન હોવાથી જેમ ડોક્ટર કહેતા તેમ કરતો હતો. જોકે ગુનાહિત કામ હોવાની જાણ થતા તેણે નોકરી છોડી હતી. તેણે ભાસ્કરને વોટ્સએપ દ્વારા રિપોર્ટમાં ફેરફારની વાતચીતની ઓડિયો ક્લિપ આપી હતી.
http://dlvr.it/T6LK3B
Comments
Post a Comment