Skip to main content

સ્વજનોની રાહમાં 3-3 રાતના ઉજાગરા:રાજકોટ TRP ગેમઝોન આગ દુર્ઘટનામાં 28 મૃતકો પૈકી 13ની થઇ ઓળખ હજુ 15 મૃતકોની ઓળખ બાકી, 8 મૃતદેહ પરિવારને સોંપાયા

રાજકોટમાં બે દિવસ પૂર્વે ટી.આર.પી. ગેમઝોનમાં થયેલી આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગાંધીનગર FSLમાંથી ડી.એન.એ. મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા પરિવારજનોનો સંપર્ક કરી મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધી 28 મૃતદેહો પૈકી 13 મૃતદેહના DNA સેમ્પલ મેચ થયાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે પૈકી 8 મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. જયારે બાકી મૃતદેહની રાહમાં સતત ત્રણ ત્રણ રાતથી સ્વજનો ઉજાગરા કરવા પડી રહ્યા છે. 8 મૃતદેહની ઓળખ થતા મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા
મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને વહેલા મળી રહે તે માટે 18થી વધુ સભ્યોની એફ.એસ.એલ ટીમ કામગીરી કરી રહી છે. મોટરમાર્ગે સમય ના બગડે તે માટે તાત્કાલીક એર એમ્બ્યુલન્સ દ્વારા સેમ્પલ પહોંચાડવામાં આવ્યા હતા. જે બાદ સોમવારે સાંજ સુધીમાં કુલ 28 મૃતદેહ પૈકી 13 મૃતદેહના ડી.એન.એ. મેચિંગના આધારે ઓળખ કરી દેવામાં આવ્યા છે. જે પૈકીના 8 મૃતદેહની ઓળખ થતા મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે. પરિવારને સોંપવામાં આવેલ મૃતકોની યાદી 1) જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.વ.34),
2) સ્મિત મનીષભાઈ વાળા (ઉ.વ.22)
3) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.વ.21)
4) સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.વ.30)
5) આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.વ.19)
6) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ.36)
7) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.વ.24)
8) હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.વ.20)


http://dlvr.it/T7TB8C

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n