Skip to main content

ઠગાઇ:બોટાદમાં 25 લોકો સાથે રૂ.7.87 લાખની છેતરપિંડી કરનાર 3 ઝડપાયા

બોટાદમાં સબસીડીવાળી લોન લેવાનું કહી 25 લોકો સાથે રૂ.7.87 લાખની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીને બોટાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદના ભાવનગર રોડ, ઝવેરનગર શ્યામ માર્બલવાળી શેરી ખાતે રહેતાં મંજુબેન શૈલેષભાઈ ચાવડાએ (ઉ.વ.27) બોટાદ ખોડિયાર નગર ખાતે રહેતાં વિક્રમ ભુપતભાઈ વાળા, ચિરાગ બહાદુરભાઇ મકવાણા અને અરવિંદ જેસાભાઇ ડાભી વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી કે ડિસેમ્બર 2021 માં મંજુબેન ચાવડાના જમાઈ પ્રવિણભાઈ વાળાએ તેમના પતિને જાણ કરી હતી કે ખોડીયાર નગર 1 ખાતે રહેતાં વિક્રમ ભુપતભાઈ વાળા સીજે ફાયનાન્સની સબસીડીવાળી લોન આપે છે. તમારે લોન લેવી હોય તો તમારા વિસ્તારમાંથી માણસોને કહેજો. તેમ વાત કરતાં મંજુબેનના પતિએ તેના વિસ્તાર તથા ઝવેરનગરમાં રહેતા લોકોને વાત કરી હતી. આ બંને વિસ્તારના મળી કુલ 25 જેટલા લોકોએ લોન લેવાનું નક્કી કર્યું હતું. જેથી વિક્રમ વાળાએ તેના 2 એજન્ટ ચિરાગ બહાદુરભાઈ મકવાણા અને અરવિંદ જેસાભાઇ ડાભીને મોકલી અને ફોર્મમાં તમામની સહીઓ કરાવી તમામના બે ફોટા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, લાઈટ બિલ, બેંકની પાસબુક વગેરેના ડોક્યુમેન્ટ મેળવી ત્રણ-ચાર દિવસ બાદ ચિરાગ અને અરવિંદ ઓનલાઇન અંગુઠો લગાવવાનું મશીન લઈ આવ્યા હતા. તમામ 25 લોન લેનાર વ્યક્તિઓના ઓનલાઇન અંગુઠાઓ લઇ તમામને 9-9 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યાર બાદ ડિસેમ્બર 2022માં ફરિયાદી મંજુબેન સહિત લોન લેનાર તમામના ઘરે અમદાવાદના વકીલની નોટિસ આવતા જાણવા મળ્યું હતું કે, ઉપરોક્ત ત્રણેય આરોપીએ તમામના નામે રૂ.30-30 હજારની લોન લઈ રૂ.7,87,950ની લોન લઈ તમામના ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો છે. જે મામલે બોટાદ પોલીસ સ્ટેશનમાં મંજુબેન ચાવડાએ આરોપી વિક્રમ ભુપતભાઈ વાળા, ચિરાગ બહાદુરભાઇ મકવાણા અને અરવિંદ જેસાભાઇ ડાભી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાબત અંગે તાત્કાલિક પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતાં આરોપીઓ ઝડપી લેવાયા હતા.


http://dlvr.it/T7d7YR

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q