Skip to main content

ઠગાઇ:બોટાદમાં 25 લોકો સાથે રૂ.7.87 લાખની છેતરપિંડી કરનાર 3 ઝડપાયા

બોટાદમાં સબસીડીવાળી લોન લેવાનું કહી 25 લોકો સાથે રૂ.7.87 લાખની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીને બોટાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદના ભાવનગર રોડ, ઝવેરનગર શ્યામ માર્બલવાળી શેરી ખાતે રહેતાં મંજુબેન શૈલેષભાઈ ચાવડાએ (ઉ.વ.27) બોટાદ ખોડિયાર નગર ખાતે રહેતાં વિક્રમ ભુપતભાઈ વાળા, ચિરાગ બહાદુરભાઇ મકવાણા અને અરવિંદ જેસાભાઇ ડાભી વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી કે ડિસેમ્બર 2021 માં મંજુબેન ચાવડાના જમાઈ પ્રવિણભાઈ વાળાએ તેમના પતિને જાણ કરી હતી કે ખોડીયાર નગર 1 ખાતે રહેતાં વિક્રમ ભુપતભાઈ વાળા સીજે ફાયનાન્સની સબસીડીવાળી લોન આપે છે. તમારે લોન લેવી હોય તો તમારા વિસ્તારમાંથી માણસોને કહેજો. તેમ વાત કરતાં મંજુબેનના પતિએ તેના વિસ્તાર તથા ઝવેરનગરમાં રહેતા લોકોને વાત કરી હતી. આ બંને વિસ્તારના મળી કુલ 25 જેટલા લોકોએ લોન લેવાનું નક્કી કર્યું હતું. જેથી વિક્રમ વાળાએ તેના 2 એજન્ટ ચિરાગ બહાદુરભાઈ મકવાણા અને અરવિંદ જેસાભાઇ ડાભીને મોકલી અને ફોર્મમાં તમામની સહીઓ કરાવી તમામના બે ફોટા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, લાઈટ બિલ, બેંકની પાસબુક વગેરેના ડોક્યુમેન્ટ મેળવી ત્રણ-ચાર દિવસ બાદ ચિરાગ અને અરવિંદ ઓનલાઇન અંગુઠો લગાવવાનું મશીન લઈ આવ્યા હતા. તમામ 25 લોન લેનાર વ્યક્તિઓના ઓનલાઇન અંગુઠાઓ લઇ તમામને 9-9 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યાર બાદ ડિસેમ્બર 2022માં ફરિયાદી મંજુબેન સહિત લોન લેનાર તમામના ઘરે અમદાવાદના વકીલની નોટિસ આવતા જાણવા મળ્યું હતું કે, ઉપરોક્ત ત્રણેય આરોપીએ તમામના નામે રૂ.30-30 હજારની લોન લઈ રૂ.7,87,950ની લોન લઈ તમામના ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો છે. જે મામલે બોટાદ પોલીસ સ્ટેશનમાં મંજુબેન ચાવડાએ આરોપી વિક્રમ ભુપતભાઈ વાળા, ચિરાગ બહાદુરભાઇ મકવાણા અને અરવિંદ જેસાભાઇ ડાભી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાબત અંગે તાત્કાલિક પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતાં આરોપીઓ ઝડપી લેવાયા હતા.


http://dlvr.it/T7d7YR

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...