Skip to main content

મ્યુનિ.એ 2 દિવસ ઓરેન્જ, 3 દિવસ યલો એલર્ટ આપી:આજથી બે દિવસ 43થી 45 ડિગ્રી ગરમી રહેવાનું એલર્ટ

મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવાર અને મંગળવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. અર્થાત્ ગરમીનો પારો 43થી 45 ડિગ્રી વચ્ચે રહી શકે છે. જ્યારે બુધવારથી ત્રણ દિવસ માટે યલો એલર્ટ એટલે કે પારો 41થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. શનિવારની સરખામણીએ ગરમી વધુ 1.1 ડિગ્રી ઘટી 43.3 ડિગ્રીએ પહોંચી હતી. છેલ્લા 3 દિવસમાં 3.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
શહેરમાં એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી બે દિવસમાં પવનની દિશા બે વાર બદલાઈ છે. રવિવારે પણ પવનની દિશા બદલાઇને પશ્ચિમી પવનો શરૂ થતાં ગરમીનો પારો 1 ડિગ્રી ઘટ્યો છે. તેમજ છેલ્લાં 3 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થયો છે.પરંતુ, રવિવારે ભેજનું પ્રમાણ વધતાં દિવસ દરમિયાન બફારાથી લોકો પરેશાન થયાં હતા.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 30.6 ડિગ્રી નોંધાયું હતું. તેમજ સવારથી શરૂ થયેલાં પશ્ચિમી પવનોની અસરથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. સાંજ પડતાં શરૂ થયેલાં 10થી 15 કિલોમીટરની ગતિના પવનોને કારણે વાતાવરણમાં બફારો ઘટ્યો હતો. પવનની દિશા બદલાતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. સમગ્ર રાજ્યમાં 43.3 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું.


http://dlvr.it/T7R5gF

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n