Skip to main content

સંત સમાજના ઇતિહાસમાં પહેલીવાર:અમદાવાદમાં SC-ST સમાજના 4 સંતને મહામંડલેશ્વરની પદવી અપાશે, 8 હજારથી વધુ સનાતન સમર્થકો હાજરી આપશે

સંત સમાજના ઇતિહાસમાં સૌપ્રથમ વાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવશે. આજે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર એક સમારંભમાં ગુજરાતના ચાર સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવશે. અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા આ સમારંભ યોજવામાં આવ્યો છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્રપુરીજી મહારાજ અને અખિલ ભારતીય અખાડા પરિષદ અને જુના અખાડા આંતરરાષ્ટ્રીય વાલીના જનરલ સેક્રેટરી મહંત હરિગીરીજી મહારાજ દ્વારા પટ્ટાભિષેક કરવામાં આવશે. નામાંકિત મહાનુભાવો હાજરી આપશે
ભારતીય સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય તરફની સીમાચિહ્નરૂપ પહેલ તરીકે, “સમતા મૂળક સમાજ કી સ્થાપના પ્રોજેક્ટ” વર્ષો જૂની પરંપરાઓમાં બદલાવ લાવવા માટેનું અતિમહત્વપૂર્ણ પગલુ ભરવામાં આવી રહ્યુ છે જેમાં રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકાર રાજેશ શુક્લાની આગેવાની હેઠળ રવિન્દ્ર પુરીજી મહારાજ, શ્રી હરિગિરીજી મહારાજ, અને સ્વામી નારાયણ ટ્રસ્ટના સ્વામી પુરુષોત્તમ શાસ્ત્રીજી, ગુજરાત, એ કે મિશ્રા, ચાણક્ય આઈએએસ એકેડમીના અધ્યક્ષ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના પત્ની સોનલ શાહ, પુત્ર જય શાહ, પૂર્વ DGP કમલ કુમાર ઓઝા, ભૂતપૂર્વ સંસદ સભ્ય અને ભાજપ ઉપાધ્યક્ષ અમર સાબલેજી, આર.એસ.એસ. વિચારક અને ભૂતપૂર્વ રાજ્યસભા સંસદ રાકેશ સિન્હાજી, વિશ્વ બ્રાહ્મણ પરિષદના અધ્યક્ષ ગૌરવ કુલકર્ણી સહિત નામાંકિત મહાનુભાવો આ પ્રસંગે હાજરી આપશે. 8 હજાર સનાતન સમર્થકો જોડાશે
પરિવર્તન સ્વીકારી, પ્રાચીન પરંપરાને પડકારી, સર્વસમાવેશકતા દ્વારા બધાને એકીકૃત કરી સમાજને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જતી આ પહેલનો હેતુ જાતિ આધારિત અવરોધોને દૂર કરી સમાનતાને પ્રોત્સાહન આપવાનો અને મંદિરોને અગાઉ પ્રાચીન કાળમાં પોતાના શિક્ષણ માટે પ્રખ્યાત એવા નાલંદા, તક્ષશિલા, કાશી અને હરિદ્વાર જેવા શિક્ષણ કેન્દ્રોની જેમ વિકસાવવાનો છે. બાબાસાહેબ આંબેડકરની સમાનતાના વિચારધારા પર આધારિત આ કાર્યક્રમ 30મી એપ્રિલના રોજ અમદાવાદના સોલામાં પ્રતિષ્ઠિત સાયન્સ સિટી ખાતે યોજાશે અને ભારતભરમાંથી આશરે 8000 સનાતન સમર્થકો હાજરી આપે એવી અપેક્ષા છે. અનેક સંતો મહામંડલેશ્વરની પદવી મેળવી ચૂક્યા
મહામંડલેશ્વરે શંકરાચાર્ય દ્વારા સ્થાપિત સ્વામીઓના દશનામી ક્રમના કેટલાક હિંદુ સાધુઓ દ્વારા ઉપયોગમાં લેવાતું શીર્ષક છે. મહામંડલેશ્વર શબ્દનો અર્થ થાય છે "મહાન અથવા અસંખ્ય મઠોમાં શ્રેષ્ઠ" અથવા "ધાર્મિક જિલ્લા અથવા પ્રાંતનો શ્રેષ્ઠ" કહેવાય છે. એક મહાન આધ્યાત્મિક વ્યક્તિત્વ તરીકે આ પદવી આપવામાં આવતી હોય છે. અનેક સંતો મહામંડલેશ્વરની પદવી મેળવી ચૂક્યા છે. અલગ-અલગ મઠોના શ્રેષ્ઠિ તરીકે મહામંડલેશ્વર કહેવાય છે.


http://dlvr.it/T6C1Vq

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

અમદાવાદ નવરાત્રિ LIVE:માડી તારા મંદિરીયામાં ઘંટારવ વાગે... અમદાવાદીઓએ ગરબાની રમઝટ બોલાવી, સાણંદમાં ખેલૈયાઓએ ઠુમકાં લગાવ્યા https://ift.tt/eA8V8J

સાણંદના કલ્હાર બંગલો ખાતે ગરબાની રમઝટ બોલાવી,સાઉથ બોપલના ગાલા ગ્લોરી ખાતે નવરાત્રિની ઉજવણી,અમદાવાદ એરપોર્ટ ખાતે શેરી ગરબાનું આયોજન કરાયું from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3v3ERcz

સૌરાષ્ટ્રની રસધાર:ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘બહારવટિયો’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે https://ift.tt/eA8V8J

from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3bvkk7q