Skip to main content

બાળકોને પ્રવેશની તક ના મળી:ONGC કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.1માં 382માંથી 64 બાળકોને પ્રવેશ મળ્યો

મહેસાણામાં ઓએનજીસી સંચાલિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1માં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં બે વર્ગની કુલ 64 બેઠક સામે 382 બાળકોએ અરજી કરી હતી. જેમાં પ્રથમ પ્રવેશ યાદીમાં જ તમામ બેઠકો ભરાઇ થતાં બાકી રહેલા બાળકોને અન્ય શાળામાં પ્રવેશ મેળવવો પડશે. કેન્દ્રીય વિદ્યાલયના સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું કે, પ્રવેશ માટે પાંચ કેટેગરી ક્રમશ: પ્રાથમિકતામાં હોય છે. જેમાં ઓએનજીસી, સેન્ટ્રલ ગર્વમેન્ટ, સેન્ટ્રલ ગર્વમેન્ટ પીએસયુ, સ્ટેટ ગર્વમેન્ટ પીએસયુ અને છેલ્લે પાંચમી કેટેગરી જનરલ હોય છે. જેમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 25 ટકા બેઠક પ્રમાણે 16 વિદ્યાર્થીઓને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જ્યારે બાકી 48 બેઠકમાં કેટેગરી ક્રમ મુજબ ઓએનજીસી અને સેન્ટ્રલ ગર્વમેન્ટ કર્મચારીઓના બાળકો કેન્દ્રીયકૃત પ્રવેશયાદીમાં આવતાં તમામ બેઠકો ભરાઇ ગઇ છે. આ ઉપરાંત, કેન્દ્રીય વિદ્યાલયમાં કાર્યરત બાલવાટિકાથી સીધા ધોરણ 1માં આવતા બાળકો માટે એક વર્ગ કાર્યરત છે.


http://dlvr.it/T5wQ01

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp