Skip to main content

બાળકોને પ્રવેશની તક ના મળી:ONGC કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.1માં 382માંથી 64 બાળકોને પ્રવેશ મળ્યો

મહેસાણામાં ઓએનજીસી સંચાલિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1માં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં બે વર્ગની કુલ 64 બેઠક સામે 382 બાળકોએ અરજી કરી હતી. જેમાં પ્રથમ પ્રવેશ યાદીમાં જ તમામ બેઠકો ભરાઇ થતાં બાકી રહેલા બાળકોને અન્ય શાળામાં પ્રવેશ મેળવવો પડશે. કેન્દ્રીય વિદ્યાલયના સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું કે, પ્રવેશ માટે પાંચ કેટેગરી ક્રમશ: પ્રાથમિકતામાં હોય છે. જેમાં ઓએનજીસી, સેન્ટ્રલ ગર્વમેન્ટ, સેન્ટ્રલ ગર્વમેન્ટ પીએસયુ, સ્ટેટ ગર્વમેન્ટ પીએસયુ અને છેલ્લે પાંચમી કેટેગરી જનરલ હોય છે. જેમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 25 ટકા બેઠક પ્રમાણે 16 વિદ્યાર્થીઓને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જ્યારે બાકી 48 બેઠકમાં કેટેગરી ક્રમ મુજબ ઓએનજીસી અને સેન્ટ્રલ ગર્વમેન્ટ કર્મચારીઓના બાળકો કેન્દ્રીયકૃત પ્રવેશયાદીમાં આવતાં તમામ બેઠકો ભરાઇ ગઇ છે. આ ઉપરાંત, કેન્દ્રીય વિદ્યાલયમાં કાર્યરત બાલવાટિકાથી સીધા ધોરણ 1માં આવતા બાળકો માટે એક વર્ગ કાર્યરત છે.


http://dlvr.it/T5wQ01

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n