Skip to main content

વાતાવરણમાં પલટો આવ્યો:નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, કેરી અને ચીકુના પાકમાં નુકસાનની ભીતિ

નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ સહિત વાતાવરણમાં બદલાવની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે આજે વહેલી સવારથી નવસારી શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેથી લોકોને ઠંડકનો અનુભવ થયો હતો. સાથે જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. વાંસદા તાલુકામાં આવેલા ઉપસળ વાંસદા ટાઉન સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નવસારી શહેરમાં પણ અમી છાંટણા જોવા મળ્યા હતા. કેરી અને ચીકુના તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની શક્યતા જોવાઇ રહી છે. જિલ્લામાં આંબા ઉપર રહેલી કેરી હજુ અપરિપકવ છે. ત્યારે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે આંબા પર રહેલી કેરીને નુકસાન થવાની સંભાવના જોવામાં આવી રહી છે. પહેલો ફાળ માર્કેટમાં વેચાણ માટે આવ્યાં બાદ એકાએક વેપારીઓએ આંબા પરથી કેરી બેડવાનું માંડી વાળ્યું હતું, વાતાવરણમાં આવેલા બદલાવ સાથે જો માવઠું આવે તો ખેડૂતોને બમણી મુશ્કેલી ઊભી થઈ શકે છે.


http://dlvr.it/T626tf

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n