વાતાવરણમાં પલટો આવ્યો:નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, કેરી અને ચીકુના પાકમાં નુકસાનની ભીતિ
નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ સહિત વાતાવરણમાં બદલાવની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે આજે વહેલી સવારથી નવસારી શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેથી લોકોને ઠંડકનો અનુભવ થયો હતો. સાથે જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. વાંસદા તાલુકામાં આવેલા ઉપસળ વાંસદા ટાઉન સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નવસારી શહેરમાં પણ અમી છાંટણા જોવા મળ્યા હતા. કેરી અને ચીકુના તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની શક્યતા જોવાઇ રહી છે. જિલ્લામાં આંબા ઉપર રહેલી કેરી હજુ અપરિપકવ છે. ત્યારે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે આંબા પર રહેલી કેરીને નુકસાન થવાની સંભાવના જોવામાં આવી રહી છે. પહેલો ફાળ માર્કેટમાં વેચાણ માટે આવ્યાં બાદ એકાએક વેપારીઓએ આંબા પરથી કેરી બેડવાનું માંડી વાળ્યું હતું, વાતાવરણમાં આવેલા બદલાવ સાથે જો માવઠું આવે તો ખેડૂતોને બમણી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
http://dlvr.it/T626tf
http://dlvr.it/T626tf
Comments
Post a Comment