જૂનાગઢની ટીપી સ્કિમ રદ નહિ થાય તો 2 જિલ્લાના 1 લાખ ખેડૂત પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે. આ અંગે ભારતિય કિસાન સંઘના સંયોજક મનસુખ પટોળીયાએ જણાવ્યું છે કે,ઝાંઝરડામાં ધરાર લાગુ પડનાર ટીપી સ્કિમ નંબર 5 અને 7 રદ કરવાની માંગ છે. કારણ કે, આ ટીપી સ્કિમના કારણે ખેડૂતોને 40 ટકા જમીન કપાત થવા ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ પણ ભરવો પડશે. આ સામે અનેક વખત વાંધા, વચકા રજૂ કરાયા હતા. પરંતુ ખેડૂતોની રજૂઆત સરકાર સુધી ન પહોંચે તે માટે જૂડાના અધિકારીઓએ ટીપી સ્કિમ સામે કોઇ વાંધો નથી તેમ બતાવવા તેની ઓનલાઇન ડેટા એન્ટ્રી જ કરી નથી. આ અંગે રજૂઆત બાદ સીએમએ આદેશ કર્યો તેમ છતાં ઓનલાઇન ડેટા એન્ટ્રી કરાતી નથી. ખાસ કરીને અમુક બિલ્ડરોનો ડોળો કરોડો રૂપિયાની કિંમતી જમીન પર છે.ત્યારે ટીપી અને વિકાસના નામે આ સોનાની લગડી જેવી જમીન મેળવવા બિલ્ડરોએ કરોડો રૂપિયા આપી જૂનાગઢ મહાનગરપાલિકાની જૂડા કચેરીના અધિકારીઓ સાથે મળી ભ્રષ્ટાચાર કરી પ્લાન, નકશામાં ફેરફાર કરેલ છે. ત્યારે જૂડાના અધિકારીઓ સામે સીબીઆઇની તપાસ કરાવી ખેડૂતોને ન્યાય આપવા માંગ છે.જો સમયસર ઉકેલ નહિ આવે તો જૂનાગઢ જિલ્લાના ખેડૂત પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે. જ્યારે ભારતિય કિસાન સંઘ, ગિર સોમનાથના ખેડૂત પરિવારો તેને ટેકો જાહેર કરશે. પરિણામે જૂનાગઢ અને ગિર સોમનાથના મળી 2 જિલ્લાના 1 લાખથી વધુ ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરશે. તંત્રનો પ્રયાસ આભ ફાટે ત્યારે થિગડા મારવા સમાન
હાલમાં મતદાન વધે તે માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરાઇ રહ્યા છે.આમાં સક્કરબાગની ટિકીટ પર, ઉપરકોટની ટિકીટ પર તેમજ ડોકટરોના પ્રિસ્ક્રિપશન પર 7 મેએ મતદાન કરવા અપીલ કરાય છે. જો મતદાનની નીશાની બતાવે તો શહેરની 45થી વધુ હોટેલ- રેસ્ટોરન્ટમાં 7 ટકા ડિસ્કાઉન્ટ અપાશે તેવું જણાવાય છે. પરંતુ જો ખેડૂતોને ન્યાય નહિ મળે અને 1 લાખ ખેડૂત પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે તો તંત્રનો મતદાન વધારવાનો પ્રયાસ આભ ફાટે ત્યારે થિગડા મારવા સમાન બની રહેશે. > મનસુખ પટોળીયા, ભારતિય કિસાન સંઘ.
http://dlvr.it/T5z3sz
હાલમાં મતદાન વધે તે માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરાઇ રહ્યા છે.આમાં સક્કરબાગની ટિકીટ પર, ઉપરકોટની ટિકીટ પર તેમજ ડોકટરોના પ્રિસ્ક્રિપશન પર 7 મેએ મતદાન કરવા અપીલ કરાય છે. જો મતદાનની નીશાની બતાવે તો શહેરની 45થી વધુ હોટેલ- રેસ્ટોરન્ટમાં 7 ટકા ડિસ્કાઉન્ટ અપાશે તેવું જણાવાય છે. પરંતુ જો ખેડૂતોને ન્યાય નહિ મળે અને 1 લાખ ખેડૂત પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે તો તંત્રનો મતદાન વધારવાનો પ્રયાસ આભ ફાટે ત્યારે થિગડા મારવા સમાન બની રહેશે. > મનસુખ પટોળીયા, ભારતિય કિસાન સંઘ.
http://dlvr.it/T5z3sz

Comments
Post a Comment