Skip to main content

વિરોધ:ટીપી સ્કીમ રદ્દ ન થાય તો જૂનાગઢ અને ગીર સોમનાથના એક લાખ ખેડૂત પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે

જૂનાગઢની ટીપી સ્કિમ રદ નહિ થાય તો 2 જિલ્લાના 1 લાખ ખેડૂત પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે. આ અંગે ભારતિય કિસાન સંઘના સંયોજક મનસુખ પટોળીયાએ જણાવ્યું છે કે,ઝાંઝરડામાં ધરાર લાગુ પડનાર ટીપી સ્કિમ નંબર 5 અને 7 રદ કરવાની માંગ છે. કારણ કે, આ ટીપી સ્કિમના કારણે ખેડૂતોને 40 ટકા જમીન કપાત થવા ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ પણ ભરવો પડશે. આ સામે અનેક વખત વાંધા, વચકા રજૂ કરાયા હતા. પરંતુ ખેડૂતોની રજૂઆત સરકાર સુધી ન પહોંચે તે માટે જૂડાના અધિકારીઓએ ટીપી સ્કિમ સામે કોઇ વાંધો નથી તેમ બતાવવા તેની ઓનલાઇન ડેટા એન્ટ્રી જ કરી નથી. આ અંગે રજૂઆત બાદ સીએમએ આદેશ કર્યો તેમ છતાં ઓનલાઇન ડેટા એન્ટ્રી કરાતી નથી. ખાસ કરીને અમુક બિલ્ડરોનો ડોળો કરોડો રૂપિયાની કિંમતી જમીન પર છે.ત્યારે ટીપી અને વિકાસના નામે આ સોનાની લગડી જેવી જમીન મેળવવા બિલ્ડરોએ કરોડો રૂપિયા આપી જૂનાગઢ મહાનગરપાલિકાની જૂડા કચેરીના અધિકારીઓ સાથે મળી ભ્રષ્ટાચાર કરી પ્લાન, નકશામાં ફેરફાર કરેલ છે. ત્યારે જૂડાના અધિકારીઓ સામે સીબીઆઇની તપાસ કરાવી ખેડૂતોને ન્યાય આપવા માંગ છે.જો સમયસર ઉકેલ નહિ આવે તો જૂનાગઢ જિલ્લાના ખેડૂત પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે. જ્યારે ભારતિય કિસાન સંઘ, ગિર સોમનાથના ખેડૂત પરિવારો તેને ટેકો જાહેર કરશે. પરિણામે જૂનાગઢ અને ગિર સોમનાથના મળી 2 જિલ્લાના 1 લાખથી વધુ ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરશે. તંત્રનો પ્રયાસ આભ ફાટે ત્યારે થિગડા મારવા સમાન
હાલમાં મતદાન વધે તે માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરાઇ રહ્યા છે.આમાં સક્કરબાગની ટિકીટ પર, ઉપરકોટની ટિકીટ પર તેમજ ડોકટરોના પ્રિસ્ક્રિપશન પર 7 મેએ મતદાન કરવા અપીલ કરાય છે. જો મતદાનની નીશાની બતાવે તો શહેરની 45થી વધુ હોટેલ- રેસ્ટોરન્ટમાં 7 ટકા ડિસ્કાઉન્ટ અપાશે તેવું જણાવાય છે. પરંતુ જો ખેડૂતોને ન્યાય નહિ મળે અને 1 લાખ ખેડૂત પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે તો તંત્રનો મતદાન વધારવાનો પ્રયાસ આભ ફાટે ત્યારે થિગડા મારવા સમાન બની રહેશે. > મનસુખ પટોળીયા, ભારતિય કિસાન સંઘ.


http://dlvr.it/T5z3sz

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...