પાણી પુરવઠા બોર્ડ અને પાલિકા તંત્ર દ્વારા પાણીની પાઇપ લાઇનમાં હજુસુધી ફલો મીટર મૂકવામાં આવ્યું નથી, જેને કારણે કેટલા એમએલડી પાણી મળ્યું તે જાણી શકાતું નથી. પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાનું પાણી દરરોજ આપવામાં આવે છે. ફોદાળા, ખંભાળા ડેમ અને નર્મદાનું પાણી પાઇપ લાઈન મારફત પાલિકાને આપવામાં આવે છે. પાલિકા તંત્ર કહે છેકે,પાણી પુરવઠા વિભાગ દ્વારા જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવતું નથી. જ્યારે પાણી પુરવઠા બોર્ડના અધિકારી કહે છે કે, દરરોજનું ચોક્કસ આંકડા મુજબનું જરૂરિયાત જેટલું એમએલડી પાણી આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, મુખ્ય પાઇપલાઇનમાં આંકડા દર્શાવતું મીટર મૂકવામાં આવ્યું ન હોવાથી બન્ને વિભાગ એક બીજા પર દોષારોપણ કરે છે. ગત માસે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાઇપલાઇન ખાતે ફલો મીટર મૂકવામાં આવ્યું હતું. પરંતુ એરર આવતા આખરે આ મીટર રીપ્લેશ કરવામાં આવ્યું હતું જેને 1 માસનો સમય વીત્યો છતાં મીટર મૂકવામાં આવ્યું નથી તો બીજીતરફ પાલિકા તંત્રએ પણ ફલો મીટર લેવાની તૈયારી બતાવી બજેટમાં પણ ઉલ્લેખ કર્યો હતો, હજુસુધી મીટર આવ્યું નથી. જો મીટર મૂકવામાં આવે તોજ પાણીના જથ્થા અંગેના સાચા આંકડા આવી શકે. બાકી હાલતો બન્ને વિભાગ એક બીજા પર દોષારોપણ કરી રહી છે અને પ્રજા પાણીનો પોકાર કરી રહી છે.
http://dlvr.it/T66Nnm
http://dlvr.it/T66Nnm

Comments
Post a Comment