Skip to main content

તંત્ર નિદ્રાંધિન:નર્મદા પાઇપલાઇનમાં ફલો મીટર હજુપણ મૂકાયું નથી

પાણી પુરવઠા બોર્ડ અને પાલિકા તંત્ર દ્વારા પાણીની પાઇપ લાઇનમાં હજુસુધી ફલો મીટર મૂકવામાં આવ્યું નથી, જેને કારણે કેટલા એમએલડી પાણી મળ્યું તે જાણી શકાતું નથી. પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાનું પાણી દરરોજ આપવામાં આવે છે. ફોદાળા, ખંભાળા ડેમ અને નર્મદાનું પાણી પાઇપ લાઈન મારફત પાલિકાને આપવામાં આવે છે. પાલિકા તંત્ર કહે છેકે,પાણી પુરવઠા વિભાગ દ્વારા જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવતું નથી. જ્યારે પાણી પુરવઠા બોર્ડના અધિકારી કહે છે કે, દરરોજનું ચોક્કસ આંકડા મુજબનું જરૂરિયાત જેટલું એમએલડી પાણી આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, મુખ્ય પાઇપલાઇનમાં આંકડા દર્શાવતું મીટર મૂકવામાં આવ્યું ન હોવાથી બન્ને વિભાગ એક બીજા પર દોષારોપણ કરે છે. ગત માસે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાઇપલાઇન ખાતે ફલો મીટર મૂકવામાં આવ્યું હતું. પરંતુ એરર આવતા આખરે આ મીટર રીપ્લેશ કરવામાં આવ્યું હતું જેને 1 માસનો સમય વીત્યો છતાં મીટર મૂકવામાં આવ્યું નથી તો બીજીતરફ પાલિકા તંત્રએ પણ ફલો મીટર લેવાની તૈયારી બતાવી બજેટમાં પણ ઉલ્લેખ કર્યો હતો, હજુસુધી મીટર આવ્યું નથી. જો મીટર મૂકવામાં આવે તોજ પાણીના જથ્થા અંગેના સાચા આંકડા આવી શકે. બાકી હાલતો બન્ને વિભાગ એક બીજા પર દોષારોપણ કરી રહી છે અને પ્રજા પાણીનો પોકાર કરી રહી છે.


http://dlvr.it/T66Nnm

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n