Skip to main content

તંત્ર નિદ્રાંધિન:નર્મદા પાઇપલાઇનમાં ફલો મીટર હજુપણ મૂકાયું નથી

પાણી પુરવઠા બોર્ડ અને પાલિકા તંત્ર દ્વારા પાણીની પાઇપ લાઇનમાં હજુસુધી ફલો મીટર મૂકવામાં આવ્યું નથી, જેને કારણે કેટલા એમએલડી પાણી મળ્યું તે જાણી શકાતું નથી. પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાનું પાણી દરરોજ આપવામાં આવે છે. ફોદાળા, ખંભાળા ડેમ અને નર્મદાનું પાણી પાઇપ લાઈન મારફત પાલિકાને આપવામાં આવે છે. પાલિકા તંત્ર કહે છેકે,પાણી પુરવઠા વિભાગ દ્વારા જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવતું નથી. જ્યારે પાણી પુરવઠા બોર્ડના અધિકારી કહે છે કે, દરરોજનું ચોક્કસ આંકડા મુજબનું જરૂરિયાત જેટલું એમએલડી પાણી આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, મુખ્ય પાઇપલાઇનમાં આંકડા દર્શાવતું મીટર મૂકવામાં આવ્યું ન હોવાથી બન્ને વિભાગ એક બીજા પર દોષારોપણ કરે છે. ગત માસે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાઇપલાઇન ખાતે ફલો મીટર મૂકવામાં આવ્યું હતું. પરંતુ એરર આવતા આખરે આ મીટર રીપ્લેશ કરવામાં આવ્યું હતું જેને 1 માસનો સમય વીત્યો છતાં મીટર મૂકવામાં આવ્યું નથી તો બીજીતરફ પાલિકા તંત્રએ પણ ફલો મીટર લેવાની તૈયારી બતાવી બજેટમાં પણ ઉલ્લેખ કર્યો હતો, હજુસુધી મીટર આવ્યું નથી. જો મીટર મૂકવામાં આવે તોજ પાણીના જથ્થા અંગેના સાચા આંકડા આવી શકે. બાકી હાલતો બન્ને વિભાગ એક બીજા પર દોષારોપણ કરી રહી છે અને પ્રજા પાણીનો પોકાર કરી રહી છે.


http://dlvr.it/T66Nnm

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...