Skip to main content

રાણપુર ખાતે ભાજપ દ્વારા કોળી સમાજનું સંમેલન:સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુ સિહોરાના સમર્થનમાં સંમેલન યોજાયું, ચુવાળીયા કે તળપદા કોળીનો કોઈ વિવાદ નથી, સમસ્ત કોળી એક છે: બાવળિયા

સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ સિહોરાના સમર્થનમાં કોળી સમાજ સંવાદ બેનર હેઠળ કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. રાજ્યનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિત કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર બેઠક પર ચુવાળીયા કોળી અને તળપદા કોળીના ચાલતા વિવાદનો હવે અંત આવ્યો છે અને સમસ્ત કોળી સમાજ એક છે અને સમસ્ત કોળી સમાજ ભાજપને મતદાન કરવાના હોવાનું કુંવરજી બાવળીયાએ નિવેદન આપ્યું હતું. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકિય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રેલી, સંમેલનો, લોક સંપર્ક કરી મતદારોને રીઝવવાના પ્રયાસ કરાય રહ્યાં છે. ત્યારે ભાજપ દ્વારા બોટાદના રાણપુર ખાતે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ સિહોરાના સમર્થનમાં કોળી સમાજ સંવાદ બેનર હેઠળ કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલન રાજ્યનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. તો ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય લાલજી મેર, પૂર્વ સાંસદ સોમા પટેલ, કરશન વેગડ સહિતના કોળી સમાજના આગેવાનો સમ્મેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ચુવાળીયા કોળી સમાજના ચંદુભાઈ સિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજમાં રોષ ફેલાયો હતો અને તળપદા કોળી સમાજ દ્વારા સંમેલનો યોજી વિરોધ કરી તળપદા કોળી સમાજને ટિકિટ આપવા માગ ઉઠી હતી, પરંતુ ભાજપ દ્વારા કોઈ ફેરફાર કરાયો નથી. જે મામલે કુંવરજી બાવળીયાને પુછતા તેમણે જણાવ્યું હતું કે, આ બેઠક પર ચુવાળીયા કોળી કે તળપદા કોળી સમાજ એક જ છે અને કોઈ વિવાદ નથી અને સમસ્ત કોળી સમાજ ભાજપની સાથે છે. ભાજપને જ મતદાન કરશે તેમ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.


http://dlvr.it/T66Z1F

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp