Skip to main content

પ્રિયંકા ગાંધી પ્રચાર માટે પ્રથમવાર ગુજરાતમાં:સુરતમાં હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા બાય રોડ ધરમપુર આવશે, અનંત પટેલને જીતાડવા જંગી જાહેર સભા સંબોધશે

લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા દેશમાં લોકોસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઈન્ડિયા ગઠબંધન અને NDA વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. વલસાડ લોકસભા બેઠક ઉપર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. ત્યારે આજે અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરમાં આવી રહ્યા છે. જ્યા આજે સભાને સંબોધન કરશે. ​​​​​​ જોકે, સુરતમાં હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા હવે બાય રોડ ધરમપુર આવશે. પ્રિયંકા ગાંધી પ્રથમવાર પ્રચાર માટે ગુજરાત આવી રહ્યાં છે
કોંગ્રેસના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ આ અગાઉ ક્યારેય લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ગુજરાતમાં આવ્યા નથી. પ્રિયંકા ગાંધી કોંગ્રેસના વલસાડ બેઠક પરના ઉમેદવાર અનંત પટેલના પ્રચાર માટે આદિવાસી વિસ્તાર ધરમપુરમાં જાહેર સભાને સંબોધન કરશે. લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા સમગ્ર દેશમાં રાજકીય રંગ જામ્યો છે. લોકસભાની સામાન્ય ચૂંટણી સાત તબક્કામાં યોજાનાર છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મે ના રોજ મતદાન થશે. જેને લઈને કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો તેમજ ઉમેદવારો પ્રચારમાં જોડાયા છે. વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરના દરબાર ગઢમાં 27 એપ્રિલના રોજ મતદારોને સંબોધન કરવા અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરવા આવી રહ્યા છે. પ્રિયંકા ગાંધી ધરમપુરમાં વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસના કાર્યકરોની જંગી સભા સંબોધવા 27 એપ્રિલે આવશે. જેની જાણ કોંગ્રેસના અગ્રણીઓને અને કાર્યકરોને થતા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રિયંકા ગાંધીનો વલસાડ જિલ્લામાં પ્રથમ પ્રવાસ હોવાથી મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો પ્રિયંકા ગાંધીના સ્વાગતની તૈયારીમાં જોતરાય ગયા છે. પ્રિયંકા ગાંધીમાં સ્વ. ઇન્દિરા ગાંધીની પ્રતિકૃતિ દેખાતી હોવાથી વલસાડ લોકસભા બેઠકમાં આવતા વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક અને વાંસદા અને ડાંગ વિધાનસભા બેઠક ઉપરથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો મતદારો જંગી સભામાં પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરવા આવશે.


http://dlvr.it/T64gcz

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n