Skip to main content

ગંદકીનું સામ્રાજ્ય:મોડાસાની મરિયમ પાર્ક સોસા. પાસે લોકોએ ગંદકીના ઢગ કર્યા

મોડાસા શહેરની મરિયમ પાર્ક સોસાયટીના નાકા પાસે થી પસાર થતાં ડુગરવાડા રોડ ઉપર જાહેરમાં લોકોએ રોકટોક વગર ગંદકીના ઢગ ખડકવાની શરૂ કરતાં આ વિસ્તારમાં લોકો ઘન કચરાના પોટલા બાંધીને જાહેર રસ્તા ઉપર ફેંકી જતાં હોવાની સ્થાનિકોની બૂમ ઉઠી છે. પરિણામે ગંદકી ખદબદી હોવાથી સ્થાનિકો અને ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. નગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા લોકોને નોટિસ ફટકારીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગણી ઉઠી છે. મોડાસા શહેરમાંથી પસાર થતાં ડુગરવારા રોડ ઉપર રેલવે ક્રોસિંગ પાસે અગાઉ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકો દ્વારા કરાયેલી ગંદકી મશીનરી દ્વારા દૂર કરાઇ હતી. ત્યારબાદ મરિયમ પાર્ક સોસાયટીના નાકા પાસેથી પસાર થતાં જાહેર રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી લોકો રોકટોક વગર ઘન કચરો ફેંકી જતાં હોવાની બૂમ ઉઠી છે. આ જાહેર જગ્યા ઉપર લોકો રાત્રે અને વહેલી સવારે ઘન કચરાના પોટલા ફેંકી જતાં હોવાથી ગંદકીના ઢગ ખડકાવાના શરૂ થયા છે. મોડાસિયા કડવા પાટીદાર સમાજના અને ડુગરવાડાના અગ્રણી ભીખાભાઈ પટેલે જણાવ્યું કે સાંજ સમયે વાતાવરણમાં એટલી હદે દુર્ગંધ ફેલાય છે કે ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. લોકો ઘન કચરાના પોટલા બાંધીને જાહેર રસ્તા ઉપર ફેંકી જતાં રોષ


http://dlvr.it/T61v1s

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n