વાઘોડિયા રોડની 10 સોસાયટીના રહીશોએ પાણીના પ્રેશર અને 9 મીટરનો રોડ ખુલ્લો કરવાની માગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. મહિલાઓએ કહ્યું કે, કામ જ નથી થતાં તો વોટ કેમ આપીએ? જોકે સ્થળ પર દોડી આવેલી પોલીસે બેનર ઉતારી લેતાં નારાજગી ફેલાઈ હતી. પૂર્વ વાઘોડિયા રોડ સોસાયટી ઉત્થાન સમિતિએ પાલિકાએ કામો ન કરતાં ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી બેનર લગાવ્યાં હતાં. વાઘોડિયા રોડની 10 સોસાયટીના રહીશોએ પાણીના દબાણ અને 9 મીટરનાે રોડ ન બનાવાતાં રોષ વ્યક્ત કર્યો હતો.રહીશ ભારતીબેન મોદીએ કહ્યું કે, ક્રિષ્ણા કોમ્પ્લેક્સથી સાંનિધ્ય ટાઉનશિપ સુધીનો રોડ સાંકડો હોવાથી અકસ્માતો થાય છે. 9 મીટરનો રોડ મંજૂર થયો હોવા છતાં પાલિકા દ્વારા 4 મીટરનો રોડ બનાવાઇ રહ્યો છે. 10 સોસાયટીઓનો વિરોધ } સાંનિધ્ય ટાઉનશિપ } કામલાપાર્ક સોસાયટી } શ્રી બંસરી રેસિડેન્સી } શ્યામલ રેસિડેન્સી } રાજીવનગર } પર્ણછાયા-2 } આશ્રય રેસિડેન્સી } અંતા એરાઈઝ } દ્વારકેશ કુંજ } પર્ણશીલ
http://dlvr.it/T6836D
http://dlvr.it/T6836D
Comments
Post a Comment