Skip to main content

સમુદ્રમાં સાગર સુરક્ષા કવચ મોકડ્રીલ યોજાઇ:ગીર સોમનાથના દરિયામાં સાત બોટો સાથે પકડાયા; આતંકવાદી પોલીસ-કોસ્ટ ગાર્ડ તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો

ગીર સોમનાથના દરિયાઈ સરહદની સુરક્ષાની ચકાસણી કરવા સાગર સુરક્ષા કવચ મોકડ્રીલ યોજાઈ હતી. તેમાં દરિયામાંથી 7 બોટો સાથે એતંકવાદીઓ ઝડપી લેવાયા હતા. બાદમાં આ મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું. આ ડ્રીલમાં પોલીસ ઉપરાંત કોસ્ટ ગાર્ડ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ જોડાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાનો 100 કિ.મી.થી પણ વધારે સરહદી સાગર કિનારો હોઈ દરિયાઈ સરહદની સુરક્ષાની ચકાસણી માટે સાગરસુરક્ષા કવચ મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક, એલસીબી પોલીસ અધિકારી એ.બી. જાડેજા તથા સ્ટાફ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ. જે.એન. ગઢવી દરિયાઈ સરહદના તમામ પોલીસ થાણા અધિકારીઓ, સ્ટાફ, બંદર વિભાગ, ફીશરીઝ, કોસ્ટ ગાર્ડ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હતો. સતત 48 કલાક સુધી આ સાગર સુરક્ષા કવચ ડ્રીલ યોજાઈ હતી. મળેલી બાતમીના પગલે દરિયામાંથી આતંકવાદી હુમલો કરવા આવી રહેલ 7 બોટો અને આતંકવાદી પકડી પાડવામાં આવેલ. બાદમાં આ મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું. દુરબીન, વાયરલેસ સેટ્સ, બેટરી, હથિયારો સાથેના જવાના ખડેપગે રહ્યાં હતાં. દરિયાઈ માર્ગે કોઈપણ આતંકવાદી કે ડ્રગ્સ હેરફેર કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિનો જડબેસલાક સજ્જડ સામનો કરી શકાય તે માટે દર છ માસ અંતરે મોકડ્રીલ યોજી ફરજ ઉપરના જવાનોની સતર્કતાની ચકાસણી કરવામાં આવે છે. આ સાગર સુરક્ષા કવચ મોકડ્રીલ પૂર્ણ થયાબાદ તેનું નિરીક્ષણ, ક્ષતિ, અપનાવવા જેવી પધ્ધતિઓનું અવલોકન કરાય છે.


http://dlvr.it/T65mnj

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp