Skip to main content

વડોદરા ક્રાઇમ ન્યૂઝ:'મારા પતિ ક્યાં છે, તમારી સાથે રહીને ખોટા રસ્તે જાય છે', તેમ કહેતા મહિલાની છેડતી કરી, વ્યાજખોરના ત્રાસથી યુવકે ઝેર ગટગટાવ્યું

વડોદરા શહેરમાં 'મારા પતિ ક્યાં છે, તમારી સાથે રહીને ખોટા રસ્તે જાય છે', તેમ કહેતા એક શખસે મહિલાની છેડતી કરી હતી અને ત્રણ શખસે સાસુ-સસરા અને બનેવીને પટ્ટાથી માર માર્યો હતો. આ મામલે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છ. મહિલા સાથે છેડતી
વડોદરામાં રહેતી મહિલાએ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિ રાત્રે 8.30 વાગ્યા સુધી ઘરે ન આવ્યા નહોતા. જેથી રાત્રે 10 વાગ્યે હું તેમને શોધવા માટે નીકળી હતી. જ્યાં મારા પતિના મિત્ર વારીસ, અખીલેશ યાદવ અને દીપક યાદવ હાજર હતા. મારા પતિ અવારનવાર તેમની સાથે ફરવા અને દારૂ પીવા જતા હોય છે. જેથી મેં તેઓને કહ્યું હતું કે, મારા પતિ ક્યાં છે, ઘરે આવ્યા નથી. તમારી સાથે રહીને ખોટા રસ્તે જાય છે. આરોપીઓ જાતિ વિષયક અપશબ્દો બોલ્યા
જેથી ત્રણેય આરોપી મને ગાળો બોલવા લાગ્યા હતા અને જાતિ વિષયક અપશબ્દો પણ કહ્યા હતા. મારા સાસુ-સસરા આવતા તેમને પણ જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા અને મારા સાસુ-સસરાને પટ્ટા વડે માર માર્યો હતો અને દીપક યાદવે મારી છેડતી કરી હતી. મારા જીજાજી ત્યાં આવતા ત્રણેય આરોપીઓએ તેમને પટ્ટાથી માર્યા હતા. આ મામલે મેં ત્રણેય આરોપી સામે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વ્યાજખોરના ત્રાસથી દવા પીધી
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા પિંકીબેન મલીકે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી અમજદ ઉર્ફે નનુ શરીફખાન પઠાણ (રહે. આલીયા રેસિડેન્સી, ગોરવા, વડોદરા હાલ રહે. ચિસ્તીયાનગર, છાણી જકાતનાકા)એ વગર લાયસન્સે ધીરધારનો ધંધો કરીને મારા પતિ જયભગવાન મલિકને ટુકડે ટુકડે 10 ટકાના વ્યાજે 5 લાખ રૂપિયા આપ્યા હતા, ત્યારબાદ આરોપીએ વ્યાજ દર 30 ટકા કરી નાખ્યો હતો અને 32 લાખ રૂપિયા બળજબરીથી કઢાવી લીધા હતા અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જેથી મારા પતિએ તેમના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી. આ મામલે મેં ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતા પર અત્યાચાર
મૂળ ઉત્તરપ્રદેશની અને વડોદરામાં રહેતી પરિણીતાને પતિ સાસુ, ત્રણેય નણંદોએ દહેજ બાબતે માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો. આ મામલે પતિ સાસુ, ત્રણેય નણંદો સામે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


http://dlvr.it/T6149C

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...