સ્થાનિક લોકો દ્વારા નેશનલ હાઈવેનો વિરોધ:સોમનાથ-ભાવનગર હાઇવે પર મોરડીયા ગામ નજીક ઓવરબ્રિજમાંથી આવક જાવક માટે જગ્યા ના મુકાતા લોકોમાં આક્રોશ
સોમનાથ-ભાવનગર હાઇવે પર મોરડીયા ગામ નજીક સ્થાનિક લોકો દ્વારા નેશનલ હાઈવેનો વિરોધ કર્યો. ગામની વચ્ચેથી પસાર થતા નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજમાંથી આવક જાવક માટે જગ્યા ના મુકાતા વિરોધ નોંધાવ્યો હતો. ગીર સોમનાથમાં આકાર પામી રહેલો ફોરટેક હાઇવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. ત્યારે સોમનાથ-ભાવનગર ફોરટેક હાઇવેનું કામ ચાલી રહ્યું છે. ત્યારે સુત્રાપાડાના મોરડીયા ગામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગામ લોકોનું કહેવુ છે કે, મોરડીયા ગામ રોડની બન્ને સાઈડ છે જેના કારણે રોડ નીચેથી અવર જવર થઇ શકે તે માટે રોડ નીચે જગ્યા બનાવી આપવામાં આવી છે. મતલબ કે નાનો ઓવરબ્રિજ બનાવવામાં આવે, પરંતુ ગામ લોકો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી ગામ લોકોની માગ ન સંતોષાતા ગામના લોકો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચારવામાં આવી છે. જો કે સવાલ એ છે કે ગામની બિલકુલ નજીક હાઇવે દ્વારા સોલાજ ગામના ફાટક પાસે ઓવરબ્રિજ બનાવ્યો છે. છતાં ગામ લોકો ગામની આંગણવાડી અને સ્કૂલ પાસે બ્રિજ બનાવની માગ કરી રહ્યાં છે. મોરડીયા ગામથી આશરે 200 મીટર દૂર અન્ય ઓવરબ્રિજ છે. હવે જોવું એ રહ્યું કે હાઇવે ઓથોરિટી ગામ લોકોની માગ સંતોષે કે કેમ.
http://dlvr.it/T5yp4w
http://dlvr.it/T5yp4w
Comments
Post a Comment