Skip to main content

સ્થાનિક લોકો દ્વારા નેશનલ હાઈવેનો વિરોધ:સોમનાથ-ભાવનગર હાઇવે પર મોરડીયા ગામ નજીક ઓવરબ્રિજમાંથી આવક જાવક માટે જગ્યા ના મુકાતા લોકોમાં આક્રોશ

સોમનાથ-ભાવનગર હાઇવે પર મોરડીયા ગામ નજીક સ્થાનિક લોકો દ્વારા નેશનલ હાઈવેનો વિરોધ કર્યો. ગામની વચ્ચેથી પસાર થતા નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજમાંથી આવક જાવક માટે જગ્યા ના મુકાતા વિરોધ નોંધાવ્યો હતો. ગીર સોમનાથમાં આકાર પામી રહેલો ફોરટેક હાઇવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. ત્યારે સોમનાથ-ભાવનગર ફોરટેક હાઇવેનું કામ ચાલી રહ્યું છે. ત્યારે સુત્રાપાડાના મોરડીયા ગામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગામ લોકોનું કહેવુ છે કે, મોરડીયા ગામ રોડની બન્ને સાઈડ છે જેના કારણે રોડ નીચેથી અવર જવર થઇ શકે તે માટે રોડ નીચે જગ્યા બનાવી આપવામાં આવી છે. મતલબ કે નાનો ઓવરબ્રિજ બનાવવામાં આવે, પરંતુ ગામ લોકો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી ગામ લોકોની માગ ન સંતોષાતા ગામના લોકો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચારવામાં આવી છે. જો કે સવાલ એ છે કે ગામની બિલકુલ નજીક હાઇવે દ્વારા સોલાજ ગામના ફાટક પાસે ઓવરબ્રિજ બનાવ્યો છે. છતાં ગામ લોકો ગામની આંગણવાડી અને સ્કૂલ પાસે બ્રિજ બનાવની માગ કરી રહ્યાં છે. મોરડીયા ગામથી આશરે 200 મીટર દૂર અન્ય ઓવરબ્રિજ છે. હવે જોવું એ રહ્યું કે હાઇવે ઓથોરિટી ગામ લોકોની માગ સંતોષે કે કેમ.


http://dlvr.it/T5yp4w

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n