Skip to main content

ચૈત્ર પુનમનો પવિત્ર દિવસ:હરસિધ્ધી શક્તિ પીઠ, લાડોલ ખાતે સુરતના ઉદ્યોગપતી ભક્તપરીવાર દ્વારા માઁ હરસિધ્ધીને રત્નજડિત મુગટ અર્પણ કરાયો

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ હરસિધ્ધી માતાજી મંદિરે ચૈત્ર પુનમના દિવસે માનવમહેરામણ ઊમટ્યું હતું. સંપુર્ણ દિવસ દરમ્યાન હજારો ભક્તો માતાજીના દર્શન માટે પધાર્યા હતા. ત્યારે વર્ષોથી દરવર્ષે ચૈત્ર પુનમ પર યજ્ઞ કરાવતા માતાજીના ભક્ત એવા બાબુભાઈ ગોપાળદાસ પટેલના સુપુત્રો તથા સુરતના ઉદ્યોગપતિ એવા કમલેશભાઈ પટેલ, રજનીભાઈ પટેલ, રાજેષભાઈ પટેલ (જગથ કન્સ્ટ્રકશન) દ્વારા પોતાનો સંકલ્પ પુર્ણ થતા મા હરસિધ્ધીને રત્નજડિત મુગટ અર્પણ કર્યો હતો. જે મુગટમાં જુદા જુદા રત્નો જેવા કે માણેક, પન્ના અને હીરા ઝડીને તૈયાર કરવામાં આવ્યો છે. મુગટ નકશી કામ અને સુંદર મીના કામ સાથે ખુબ જ સુંદર રીત તૈયાર કરી માઁ હરસિધ્ધીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહંત અશ્વિનભાઈ જાની દ્વારા પણ યજમાન પરીવારને આર્શીવાદ પાઠવવામાં આવ્યાં હતાં. 51 દિવાની મહાઆરતી સાથે માતાજીને મુગટ અર્પણ કરી ધામ-ધુમથી ભક્ત પરીવાર દ્વારા હરખ સાથે વાજતે ગાજતે માતાજીને મુગટ અર્પણ કરી દિવ્ય શ્રીંગાર કરવામાં આવ્યો હતો. એમ યુવા આચાર્ય વિશ્વાસભાઈ જાની દ્વારા જણાવવામાં આવ્યું છે.


http://dlvr.it/T5vq2R

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n