Skip to main content

ચૈત્ર પુનમનો પવિત્ર દિવસ:હરસિધ્ધી શક્તિ પીઠ, લાડોલ ખાતે સુરતના ઉદ્યોગપતી ભક્તપરીવાર દ્વારા માઁ હરસિધ્ધીને રત્નજડિત મુગટ અર્પણ કરાયો

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ હરસિધ્ધી માતાજી મંદિરે ચૈત્ર પુનમના દિવસે માનવમહેરામણ ઊમટ્યું હતું. સંપુર્ણ દિવસ દરમ્યાન હજારો ભક્તો માતાજીના દર્શન માટે પધાર્યા હતા. ત્યારે વર્ષોથી દરવર્ષે ચૈત્ર પુનમ પર યજ્ઞ કરાવતા માતાજીના ભક્ત એવા બાબુભાઈ ગોપાળદાસ પટેલના સુપુત્રો તથા સુરતના ઉદ્યોગપતિ એવા કમલેશભાઈ પટેલ, રજનીભાઈ પટેલ, રાજેષભાઈ પટેલ (જગથ કન્સ્ટ્રકશન) દ્વારા પોતાનો સંકલ્પ પુર્ણ થતા મા હરસિધ્ધીને રત્નજડિત મુગટ અર્પણ કર્યો હતો. જે મુગટમાં જુદા જુદા રત્નો જેવા કે માણેક, પન્ના અને હીરા ઝડીને તૈયાર કરવામાં આવ્યો છે. મુગટ નકશી કામ અને સુંદર મીના કામ સાથે ખુબ જ સુંદર રીત તૈયાર કરી માઁ હરસિધ્ધીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહંત અશ્વિનભાઈ જાની દ્વારા પણ યજમાન પરીવારને આર્શીવાદ પાઠવવામાં આવ્યાં હતાં. 51 દિવાની મહાઆરતી સાથે માતાજીને મુગટ અર્પણ કરી ધામ-ધુમથી ભક્ત પરીવાર દ્વારા હરખ સાથે વાજતે ગાજતે માતાજીને મુગટ અર્પણ કરી દિવ્ય શ્રીંગાર કરવામાં આવ્યો હતો. એમ યુવા આચાર્ય વિશ્વાસભાઈ જાની દ્વારા જણાવવામાં આવ્યું છે.


http://dlvr.it/T5vq2R

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp