Skip to main content

સેવાકાર્ય:હનુમાન જયંતિ નિમિત્તે શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા સેવાકાર્ય

પોરબંદર માં હનુમાન જયંતી નિમિત્તે શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓ યોજાઈ હતી.જેમાશિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ ના સહકાર થી કુંડળ વાળા હનુમાનજી ના મંદિરે દર્શન તથા સહગાર કરવામાં આવ્યો હતો. તથા દીપક પ્રગટાવવામા આવ્યા હતા.આ સનાતન ધર્મ ના કાર્યોની સાથે સાથે સામાજિક શૈક્ષણિક કાર્ય પણ કરવામાં આવ્યું હતું જેમાં જરૂરીયાતમંદ પરિવારના બાળકોને તથા પરીવારોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગાયોને ઘાસચારો, કુતરાઓને રોટલા અને પક્ષીઓ ને ચણ નાખવામાં આવી હતી.આ સેવાકાર્ય માટે શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતગિરી ગોસ્વામી તથા શ્રી કનકસિંહ રાયજાદા વાંકાનેર, શ્રી દેવશીભાઇ મકવાણા, શ્રી હરિદાસ બાપુ દુધરેજીયા નો સહયોગ પ્રાપ્ત થયો હતો. બાળકોને કપડાં,ગાયોને ઘાસચારો, કુતરાઓને રોટલા, પક્ષીઓને ચણ આપવામાં આવ્યું


http://dlvr.it/T5zHYR

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp