પોરબંદર માં હનુમાન જયંતી નિમિત્તે શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓ યોજાઈ હતી.જેમાશિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ ના સહકાર થી કુંડળ વાળા હનુમાનજી ના મંદિરે દર્શન તથા સહગાર કરવામાં આવ્યો હતો. તથા દીપક પ્રગટાવવામા આવ્યા હતા.આ સનાતન ધર્મ ના કાર્યોની સાથે સાથે સામાજિક શૈક્ષણિક કાર્ય પણ કરવામાં આવ્યું હતું જેમાં જરૂરીયાતમંદ પરિવારના બાળકોને તથા પરીવારોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગાયોને ઘાસચારો, કુતરાઓને રોટલા અને પક્ષીઓ ને ચણ નાખવામાં આવી હતી.આ સેવાકાર્ય માટે શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતગિરી ગોસ્વામી તથા શ્રી કનકસિંહ રાયજાદા વાંકાનેર, શ્રી દેવશીભાઇ મકવાણા, શ્રી હરિદાસ બાપુ દુધરેજીયા નો સહયોગ પ્રાપ્ત થયો હતો. બાળકોને કપડાં,ગાયોને ઘાસચારો, કુતરાઓને રોટલા, પક્ષીઓને ચણ આપવામાં આવ્યું
http://dlvr.it/T5zHYR
http://dlvr.it/T5zHYR
Comments
Post a Comment