Skip to main content

AMTSની સુવિધા બાબતે લોકોની ફરિયાદ:બસ ઊભી ન રાખવી નહીં, વધુ સ્પીડે દોડાવવી, ડ્રાઇવરો અને કંડક્ટરોની ગેરવર્તણૂકની 3 વર્ષમાં લોકોએ 10,970 ફરિયાદ કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસો દ્વારા અકસ્માત કરવાની ઘટનામાં વધારો થયો છે, ત્યારે નાગરિકો દ્વારા પણ AMTS બસની સુવિધાઓ મામલે ફરિયાદ કરવામાં આવતી હોય છે. છેલ્લા ત્રણ વર્ષમાં 10,970 જેટલી ફરિયાદો નાગરિક દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટને કરવામાં આવી છે. બસના ડ્રાઇવરો દ્વારા બસ સ્ટેન્ડ ઉપર બસ ઉભી રાખવી નહીં વધુ સ્પીડમાં બસ ચલાવવી, ડ્રાઇવરો અને કંડક્ટરો દ્વારા ગેર વર્તણુક કરવી, બસ નું ટ્રાફિક સિગ્નલ ભંગ કરવો વગેરે જેવી નાની મોટી મળેલી ફરિયાદો દ્વારા સ્પષ્ટ જણાય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું પરિવહન સેવા પૂરી પાડતી AMTS બસનું યોગ્ય સંચાલન કરવામાં આવતું નથી. સુવિધા નહીં પરંતુ દુવિધા: વિપક્ષ
વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, શહેરના નાગરિકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઓછા ખર્ચે પરિવહન સેવા શરૂ તો કરવામાં આવી છે, પરંતુ આ સુવિધા નહીં પરંતુ દુવિધા બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 2019- 20થી લઈ અત્યાર સુધી ત્રણ વર્ષમાં નાગરિકો દ્વારા વિવિધ પ્રકારની 10,970 જેટલી ફરિયાદ કરવામાં આવી છે જે સ્પષ્ટ દર્શાવે છે કે પરિવહનની સુવિધા કથળી ગઈ છે. નાગરિકો દ્વારા કોર્ટમાં 323 જેટલા કેસ પણ કરવામાં આવ્યા છે. સત્તાધારી ભાજપ દ્વારા આ બસ સેવા રાજકીય પક્ષોના કાર્યક્રમમાં ભીડભીગી કરવા જ ઉપયોગમાં લેવામાં આવે છે. "મેનેજરની ભરતી કરવામાં આવતી નથી"
વધુમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર સત્તામાં છે પરંતુ છેલ્લા 15 વર્ષથી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ટ્રાન્સપોર્ટ મેનેજરની જગ્યા ઇન્ચાર્જથી ચલાવવામાં આવે છે. કોઈ કાયમી ટ્રાન્સપોર્ટ મેનેજરની ભરતી કરવામાં આવતી નથી આમ ભાજપ દ્વારા AMTS તરફ ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે બસ પરિવહનની સુવિધા દિવસોને દિવસે કથળી રહી છે.


http://dlvr.it/T5ySJq

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp