Skip to main content

AMTSની સુવિધા બાબતે લોકોની ફરિયાદ:બસ ઊભી ન રાખવી નહીં, વધુ સ્પીડે દોડાવવી, ડ્રાઇવરો અને કંડક્ટરોની ગેરવર્તણૂકની 3 વર્ષમાં લોકોએ 10,970 ફરિયાદ કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસો દ્વારા અકસ્માત કરવાની ઘટનામાં વધારો થયો છે, ત્યારે નાગરિકો દ્વારા પણ AMTS બસની સુવિધાઓ મામલે ફરિયાદ કરવામાં આવતી હોય છે. છેલ્લા ત્રણ વર્ષમાં 10,970 જેટલી ફરિયાદો નાગરિક દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટને કરવામાં આવી છે. બસના ડ્રાઇવરો દ્વારા બસ સ્ટેન્ડ ઉપર બસ ઉભી રાખવી નહીં વધુ સ્પીડમાં બસ ચલાવવી, ડ્રાઇવરો અને કંડક્ટરો દ્વારા ગેર વર્તણુક કરવી, બસ નું ટ્રાફિક સિગ્નલ ભંગ કરવો વગેરે જેવી નાની મોટી મળેલી ફરિયાદો દ્વારા સ્પષ્ટ જણાય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું પરિવહન સેવા પૂરી પાડતી AMTS બસનું યોગ્ય સંચાલન કરવામાં આવતું નથી. સુવિધા નહીં પરંતુ દુવિધા: વિપક્ષ
વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, શહેરના નાગરિકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઓછા ખર્ચે પરિવહન સેવા શરૂ તો કરવામાં આવી છે, પરંતુ આ સુવિધા નહીં પરંતુ દુવિધા બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 2019- 20થી લઈ અત્યાર સુધી ત્રણ વર્ષમાં નાગરિકો દ્વારા વિવિધ પ્રકારની 10,970 જેટલી ફરિયાદ કરવામાં આવી છે જે સ્પષ્ટ દર્શાવે છે કે પરિવહનની સુવિધા કથળી ગઈ છે. નાગરિકો દ્વારા કોર્ટમાં 323 જેટલા કેસ પણ કરવામાં આવ્યા છે. સત્તાધારી ભાજપ દ્વારા આ બસ સેવા રાજકીય પક્ષોના કાર્યક્રમમાં ભીડભીગી કરવા જ ઉપયોગમાં લેવામાં આવે છે. "મેનેજરની ભરતી કરવામાં આવતી નથી"
વધુમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર સત્તામાં છે પરંતુ છેલ્લા 15 વર્ષથી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ટ્રાન્સપોર્ટ મેનેજરની જગ્યા ઇન્ચાર્જથી ચલાવવામાં આવે છે. કોઈ કાયમી ટ્રાન્સપોર્ટ મેનેજરની ભરતી કરવામાં આવતી નથી આમ ભાજપ દ્વારા AMTS તરફ ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે બસ પરિવહનની સુવિધા દિવસોને દિવસે કથળી રહી છે.


http://dlvr.it/T5ySJq

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

અમદાવાદ નવરાત્રિ LIVE:માડી તારા મંદિરીયામાં ઘંટારવ વાગે... અમદાવાદીઓએ ગરબાની રમઝટ બોલાવી, સાણંદમાં ખેલૈયાઓએ ઠુમકાં લગાવ્યા https://ift.tt/eA8V8J

સાણંદના કલ્હાર બંગલો ખાતે ગરબાની રમઝટ બોલાવી,સાઉથ બોપલના ગાલા ગ્લોરી ખાતે નવરાત્રિની ઉજવણી,અમદાવાદ એરપોર્ટ ખાતે શેરી ગરબાનું આયોજન કરાયું from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3v3ERcz

સૌરાષ્ટ્રની રસધાર:ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘બહારવટિયો’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે https://ift.tt/eA8V8J

from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3bvkk7q