Skip to main content

કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ નેતાને આડે હાથ લીધા:ખડગે કહેતા રાજસ્થાન-ગુજરાતને કાશ્મીર સાથે શું લેવા દેવા, તમે 80 પાર કરી ગયા પણ દેશવાસીઓને ઓળખી ન શક્યા: અમિત શાહ

લોકસભા ચૂંટણીના પ્રચારને લઈને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્ષત્રિયોના વર્ચસ્વ ધરાવતાં એવા નરોડા વિસ્તારમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે અમિત શાહે નરોડા ગામમાં જાહેર સભા સંબોધી હતી. જો કે, વિરોધ થવાની શક્યતા વચ્ચે પોલીસના ચુસ્ત બંદોબસ્તમાં અમિત શાહની જાહેર સભામાં યોજાઈ હતી. જાહેર સભા સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, સૌથી પહેલાં આપની માફી માગું છું. આવવામાં એક કલાક મોડું થયું. ગુજરાતમાં 7મી તારીખે મતદાન થવાનું છે. ચૂંટણીના બે તબક્કા પૂરા થયા છે. આજે નરોડાની જનતા સામે બે તબક્કાના પરિણામ કહું છું કે, આપણા નરેન્દ્રભાઇ 100 પૂરી કરી છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો છે. મને વિશ્વાસ છે કે 25 બેઠક પર કમળ ખીલવાનું છે. દેશ વિરોધીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા
સમગ્ર દેશમાં મોદી મોદીના નારા છે. આ લોકપ્રિયતાનું મોડલ ગુજરાતે આપ્યું છે. ગુજરાતમાં મોદીએ વિકાસની શરૂઆત કરી. શહેર કે ગામડું, જંગલ હોય કે દરિયા કિનારો, પહાડ હોય કે મેદાન દરેક જગ્યાએ વિકાસ પહોંચાડવાનું કામ કર્યું. અમદાવાદીઓ ખાસ યાદ રાખવાનું કે કોંગ્રેસની સરકારમાં એક વર્ષની અંદર 6-6 મહિના કરફ્યૂ રહેતો હતો. આજે 23 વર્ષના યુવાનને કરફ્યૂ વિશે પૂછો તો ખબર જ ન હોય. દેશ વિરોધીઓને જેલના સળિયા પાછળ નાખવાનું કામ ગુજરાતમાં થયું છે. આ કાશ્મીર આપણું છે કે નહિ? આ કોંગ્રેસના નેતા ખડગેએ કહ્યું કે, રાજસ્થાન અને ગુજરાતવાળાને કાશ્મીર સાથે શું લેવા દેવા. ખડગેજી તમને 80 પાર કરી ગયા પરંતુ આ દેશવાસીઓને તમે ઓળખી ન શક્યા. દેશમાંથી નકસલવાદ પૂરો કરી દેવાશે
70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી 370ની કલમ સાચવીને બેઠી હતી. કાશમીર અને દેશમાં આંતકવાદ પ્રસર્યો અને વકર્યો હજારો લોકો સહિત પરંતુ 370 કલમને હાથ અડાડતા નહોતા. નરેન્દ્ર મોદીએ કાશમીરમાંથી 370 કલમ દૂર કરી. આંતકવાદ સામે નરેન્દ્ર મોદીએ કઠોર હાથે કામ લીધું. પાંચ વર્ષમાં બિહારને નકસલવાદથી મુક્ત થયું. રાંચી અને ઝારખંડ પણ મુક્ત થઈ ગયું. થોડું છતિસગઢમાં છે પરંતુ હવે ત્યાં ભાજપ સરકાર છે. આજે જ 9 નકસલવાદીઓ ઠાર માર્યા છે. ત્રીજી વાર વડાપ્રધાન બનાવી દો બે વર્ષમાં જ દેશમાંથી નકસલવાદ પૂરો કરી દેવાશે. આજે એક મોદી ગેરંટી આપવા આવ્યો છું કે 5માંથી 3ના નંબરનું દેશનું અર્થતંત્ર બની જશે. આજે ગુજરાત સેમી કંડકટર, ઇલેક્ટ્રીક ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવા જઈ રહ્યું છે. કોંગ્રેસ નકારાત્મક છે, બધામાં વિરોધ કરે છે
કોંગ્રેસીયાઓને વિરોધ સિવાય કઈ ન આવડે. સરદાર સરોવર ડેમનો પથ્થરો જવાહરલાલ નહેરુએ મૂક્યો પરંતુ ડેમ પૂરો ના થયો. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાર બાદ ડેમ પૂરો થયો અને વડાપ્રધાન બન્યા ત્યારે દરવાજા ખોલ્યા. કોંગ્રેસવાળા ફરકતા જ નથી. કચ્છમાં ધરતીકંપ આવ્યો અટલજીએ આર્થિક પેકેજ આપ્યું જેને કોંગ્રેસે રોકી રાખ્યું. ગુજકોક કાયદો પણ રોકીને રાખ્યો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને ગુજકોક પાસ થયો. કોંગ્રેસ નકારાત્મક છે. બધામાં વિરોધ કરે છે. હું અમદાવાદમાં નાનપણથી રહું છું. આજે પશ્વિમ અને પૂર્વ બધે આજે મકાનના ભાવ સરખા થઈ ગયા છે. પૂર્વ અમદાવાદ રખિયાલથી નરોડા સુધી સ્વસ્થ અને સુંદર બન્યું.


http://dlvr.it/T6DzQK

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp