કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ નેતાને આડે હાથ લીધા:ખડગે કહેતા રાજસ્થાન-ગુજરાતને કાશ્મીર સાથે શું લેવા દેવા, તમે 80 પાર કરી ગયા પણ દેશવાસીઓને ઓળખી ન શક્યા: અમિત શાહ
લોકસભા ચૂંટણીના પ્રચારને લઈને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્ષત્રિયોના વર્ચસ્વ ધરાવતાં એવા નરોડા વિસ્તારમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે અમિત શાહે નરોડા ગામમાં જાહેર સભા સંબોધી હતી. જો કે, વિરોધ થવાની શક્યતા વચ્ચે પોલીસના ચુસ્ત બંદોબસ્તમાં અમિત શાહની જાહેર સભામાં યોજાઈ હતી. જાહેર સભા સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, સૌથી પહેલાં આપની માફી માગું છું. આવવામાં એક કલાક મોડું થયું. ગુજરાતમાં 7મી તારીખે મતદાન થવાનું છે. ચૂંટણીના બે તબક્કા પૂરા થયા છે. આજે નરોડાની જનતા સામે બે તબક્કાના પરિણામ કહું છું કે, આપણા નરેન્દ્રભાઇ 100 પૂરી કરી છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો છે. મને વિશ્વાસ છે કે 25 બેઠક પર કમળ ખીલવાનું છે. દેશ વિરોધીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા
સમગ્ર દેશમાં મોદી મોદીના નારા છે. આ લોકપ્રિયતાનું મોડલ ગુજરાતે આપ્યું છે. ગુજરાતમાં મોદીએ વિકાસની શરૂઆત કરી. શહેર કે ગામડું, જંગલ હોય કે દરિયા કિનારો, પહાડ હોય કે મેદાન દરેક જગ્યાએ વિકાસ પહોંચાડવાનું કામ કર્યું. અમદાવાદીઓ ખાસ યાદ રાખવાનું કે કોંગ્રેસની સરકારમાં એક વર્ષની અંદર 6-6 મહિના કરફ્યૂ રહેતો હતો. આજે 23 વર્ષના યુવાનને કરફ્યૂ વિશે પૂછો તો ખબર જ ન હોય. દેશ વિરોધીઓને જેલના સળિયા પાછળ નાખવાનું કામ ગુજરાતમાં થયું છે. આ કાશ્મીર આપણું છે કે નહિ? આ કોંગ્રેસના નેતા ખડગેએ કહ્યું કે, રાજસ્થાન અને ગુજરાતવાળાને કાશ્મીર સાથે શું લેવા દેવા. ખડગેજી તમને 80 પાર કરી ગયા પરંતુ આ દેશવાસીઓને તમે ઓળખી ન શક્યા. દેશમાંથી નકસલવાદ પૂરો કરી દેવાશે
70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી 370ની કલમ સાચવીને બેઠી હતી. કાશમીર અને દેશમાં આંતકવાદ પ્રસર્યો અને વકર્યો હજારો લોકો સહિત પરંતુ 370 કલમને હાથ અડાડતા નહોતા. નરેન્દ્ર મોદીએ કાશમીરમાંથી 370 કલમ દૂર કરી. આંતકવાદ સામે નરેન્દ્ર મોદીએ કઠોર હાથે કામ લીધું. પાંચ વર્ષમાં બિહારને નકસલવાદથી મુક્ત થયું. રાંચી અને ઝારખંડ પણ મુક્ત થઈ ગયું. થોડું છતિસગઢમાં છે પરંતુ હવે ત્યાં ભાજપ સરકાર છે. આજે જ 9 નકસલવાદીઓ ઠાર માર્યા છે. ત્રીજી વાર વડાપ્રધાન બનાવી દો બે વર્ષમાં જ દેશમાંથી નકસલવાદ પૂરો કરી દેવાશે. આજે એક મોદી ગેરંટી આપવા આવ્યો છું કે 5માંથી 3ના નંબરનું દેશનું અર્થતંત્ર બની જશે. આજે ગુજરાત સેમી કંડકટર, ઇલેક્ટ્રીક ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવા જઈ રહ્યું છે. કોંગ્રેસ નકારાત્મક છે, બધામાં વિરોધ કરે છે
કોંગ્રેસીયાઓને વિરોધ સિવાય કઈ ન આવડે. સરદાર સરોવર ડેમનો પથ્થરો જવાહરલાલ નહેરુએ મૂક્યો પરંતુ ડેમ પૂરો ના થયો. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાર બાદ ડેમ પૂરો થયો અને વડાપ્રધાન બન્યા ત્યારે દરવાજા ખોલ્યા. કોંગ્રેસવાળા ફરકતા જ નથી. કચ્છમાં ધરતીકંપ આવ્યો અટલજીએ આર્થિક પેકેજ આપ્યું જેને કોંગ્રેસે રોકી રાખ્યું. ગુજકોક કાયદો પણ રોકીને રાખ્યો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને ગુજકોક પાસ થયો. કોંગ્રેસ નકારાત્મક છે. બધામાં વિરોધ કરે છે. હું અમદાવાદમાં નાનપણથી રહું છું. આજે પશ્વિમ અને પૂર્વ બધે આજે મકાનના ભાવ સરખા થઈ ગયા છે. પૂર્વ અમદાવાદ રખિયાલથી નરોડા સુધી સ્વસ્થ અને સુંદર બન્યું.
http://dlvr.it/T6DzQK
સમગ્ર દેશમાં મોદી મોદીના નારા છે. આ લોકપ્રિયતાનું મોડલ ગુજરાતે આપ્યું છે. ગુજરાતમાં મોદીએ વિકાસની શરૂઆત કરી. શહેર કે ગામડું, જંગલ હોય કે દરિયા કિનારો, પહાડ હોય કે મેદાન દરેક જગ્યાએ વિકાસ પહોંચાડવાનું કામ કર્યું. અમદાવાદીઓ ખાસ યાદ રાખવાનું કે કોંગ્રેસની સરકારમાં એક વર્ષની અંદર 6-6 મહિના કરફ્યૂ રહેતો હતો. આજે 23 વર્ષના યુવાનને કરફ્યૂ વિશે પૂછો તો ખબર જ ન હોય. દેશ વિરોધીઓને જેલના સળિયા પાછળ નાખવાનું કામ ગુજરાતમાં થયું છે. આ કાશ્મીર આપણું છે કે નહિ? આ કોંગ્રેસના નેતા ખડગેએ કહ્યું કે, રાજસ્થાન અને ગુજરાતવાળાને કાશ્મીર સાથે શું લેવા દેવા. ખડગેજી તમને 80 પાર કરી ગયા પરંતુ આ દેશવાસીઓને તમે ઓળખી ન શક્યા. દેશમાંથી નકસલવાદ પૂરો કરી દેવાશે
70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી 370ની કલમ સાચવીને બેઠી હતી. કાશમીર અને દેશમાં આંતકવાદ પ્રસર્યો અને વકર્યો હજારો લોકો સહિત પરંતુ 370 કલમને હાથ અડાડતા નહોતા. નરેન્દ્ર મોદીએ કાશમીરમાંથી 370 કલમ દૂર કરી. આંતકવાદ સામે નરેન્દ્ર મોદીએ કઠોર હાથે કામ લીધું. પાંચ વર્ષમાં બિહારને નકસલવાદથી મુક્ત થયું. રાંચી અને ઝારખંડ પણ મુક્ત થઈ ગયું. થોડું છતિસગઢમાં છે પરંતુ હવે ત્યાં ભાજપ સરકાર છે. આજે જ 9 નકસલવાદીઓ ઠાર માર્યા છે. ત્રીજી વાર વડાપ્રધાન બનાવી દો બે વર્ષમાં જ દેશમાંથી નકસલવાદ પૂરો કરી દેવાશે. આજે એક મોદી ગેરંટી આપવા આવ્યો છું કે 5માંથી 3ના નંબરનું દેશનું અર્થતંત્ર બની જશે. આજે ગુજરાત સેમી કંડકટર, ઇલેક્ટ્રીક ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવા જઈ રહ્યું છે. કોંગ્રેસ નકારાત્મક છે, બધામાં વિરોધ કરે છે
કોંગ્રેસીયાઓને વિરોધ સિવાય કઈ ન આવડે. સરદાર સરોવર ડેમનો પથ્થરો જવાહરલાલ નહેરુએ મૂક્યો પરંતુ ડેમ પૂરો ના થયો. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાર બાદ ડેમ પૂરો થયો અને વડાપ્રધાન બન્યા ત્યારે દરવાજા ખોલ્યા. કોંગ્રેસવાળા ફરકતા જ નથી. કચ્છમાં ધરતીકંપ આવ્યો અટલજીએ આર્થિક પેકેજ આપ્યું જેને કોંગ્રેસે રોકી રાખ્યું. ગુજકોક કાયદો પણ રોકીને રાખ્યો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને ગુજકોક પાસ થયો. કોંગ્રેસ નકારાત્મક છે. બધામાં વિરોધ કરે છે. હું અમદાવાદમાં નાનપણથી રહું છું. આજે પશ્વિમ અને પૂર્વ બધે આજે મકાનના ભાવ સરખા થઈ ગયા છે. પૂર્વ અમદાવાદ રખિયાલથી નરોડા સુધી સ્વસ્થ અને સુંદર બન્યું.
http://dlvr.it/T6DzQK
Comments
Post a Comment