Skip to main content

છેતરપિંડી:ભીમાસરમાં કંપનીના ઓપરેટરના ખાતામાંથી 3.11 લાખ સેરવી લેવાયા

અંજાર તાલુકાના ભીમાસર ગામ નાજીકાવેલી રત્નમણી કંપનીના ઓપરેટરને અજાણ્યા શખ્સે ફોન કરી પોતાના 15 હાજર ભૂલથી તેમના ખાતામાં આવી ગયા હોવાનું કહી ચાલુ ફોનમાં ગુગલ પે પર રીક્વેસ્ટ એક્સેપ્ટ કરતા રોકડ 40 હજાર ઉપાડી લીધા બાદ ઓટીપી મારફતે રૂપિયા 2.71 લાખની લોન લઇ 3.11 લાખનો ચૂનો લગાવ્યો હોવાનું બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ સાબરકાંઠાના અને હાલ સહારા ગ્રામ ભીમાસરમાં રહેતા ફરિયાદી સુરેશભાઈ રાવતાભાઈ પટેલે અંજાર પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ નંબરના ધારક સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ ગત 2 માર્ચના પોતે ઘરે હતા એ દરમિયાન બપોરના સમયે અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો.જેમાં સામાવાળાએ પોતાના 15 હજાર ભૂલથી ફરિયાદીના ખાતામાં આવી ગયા હોવાનું કહી પરત આપવા કહ્યું હતું.જેથી ફરિયાદીએ મોબાઈલમાં જોતા મેસેજ આવેલ હતો પરંતુ રૂપિયા જમા થયેલા ન હતા.જેથી આરોપીએ ગુગલ પે ખોલી તેમાં જોવાનું ખાતે ફરિયાદીએ તેમાં આવેલી રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી જે બાદ ફરિયાદીના એક્સીસ બેંકના ખાતામાંથી રૂપિયા 40 હજાર ઉપડી ગયા હતા.ત્યારબાદ રૂપિયા પરત આપવાનું કહી આરોપીએ ફરિયાદી પાસેથી ઓટીપી મેળવી ફોન કાપી નાખ્યો હતો.જેના અડધા કલાક બાદ ફરીથી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને સાત દિવસમાં રૂપિયા પરત આવી જશે તેવું કહ્યું હતું.આ બાબતે ફરિયાદીએ મિત્ર સર્કલમાં વાત કરતા ઠગાઈનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું અને ફરિયાદી ગાંધીધામની એક્સીસ બેંક ખાતે દોડી ગયા હતા.જ્યાં તેમને જાણવા મળ્યું કે રોકડ 40 હજાર ટ્રાન્સફર થયા છે અને રૂપિયા 2.71 લાખની લોન લઇ સામાવાળાએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લઇ કુલ રૂપિયા 3.11 લાખની છેતરપિંડી કરી હતી.બનાવને પગલે અંજાર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


http://dlvr.it/T6FG1y

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n