Skip to main content

લશ્કરના નિવૃત જવાનનું સન્માન:24 વર્ષ દેશની સરહદો ઉપર સેવા આપી માદરે વતન આવેલા લશ્કરના જવાનનું ગામલોકોએ સન્માન કર્યું, ડીજે-ઢોલ સાથે શોભાયાત્રા કાઢી ઘરે લઈ ગયા

દેશની સરહદો અને દેશના નાગરિકો સુરક્ષિત રહે તેમાટે સરહદો ઉપર ભારતીય ભૂમિદળના અનેક જવાનો ખડેપગે ઉભા રહી દેશની રક્ષા કરવાની પોતાની ફરજ બજાવતા હોય છે. ત્યારે આવા લશ્કરના જવાન ફરજમાંથી નિવૃત્ત થઈ માદરે વતન આવે છે. ત્યારે ત્યાં ગામલોકો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે ત્યારે પરિવાર થી દુર રહી દેશની સુરક્ષા માટે આપેલા અમૂલ્ય યોગદાન અને એ માટે વેઠેલી અનેક તકલીફો અને દુઃખ કદાચ એ જવાન ભુલાવી દેતો હોય છે. શેષ જીવન પરિવાર સાથે રહી જીવવાનો આનંદ તેના હસતા ચહેરા ઉપર જોવા મળી જતો હોય છે. આવા જ એક ઘોઘંબા તાલુકાના નાનકડા ગામ લાબડાધરાનો યુવાન 24 વર્ષ પહેલાં ભારતીય ભૂમિદળમાં પસંદગી પામી દેશની રક્ષા માટેની તેની જવાબદારી પુરી કરી વતન પરત ફરતા તેનું ડીજે, ઢોલ સાથે ભવ્ય સ્વાગત ઘોઘંબામાં કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા કાઢી પુરા સન્માન સાથે એક લશ્કરના જવાનને છાજે તે રીતે ગામલોકો તેને ઘરે લઈ ગયા હતા. ત્યારે દેશભક્તિ ના ગીતો સાથે નીકળેલી શોભાયાત્રા નિહાળતા ઘોઘંબા નગર સહિત અનેક લોકોની છાતી આ જવાનની દેશસેવાને લઈ ગર્વથી ફૂલી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. લાબડાધરા ગામના રમણભાઈ રાઠવા 24 વર્ષથી ભારતીય ભૂમિદળમાં જવાન તરીકે દેશના અલગ અલગ રાજ્યોમાં ફરજ બજાવી રહ્યા હતા. તે ફરજ નિવૃત્ત થતા માદરે વતન આવતા ગામલોકો દ્વારા તેઓનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ઘોઘંબાની એસ.એચ.વરિયા હાઈસ્કુલમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કરી લશ્કરની ભરતીમાં પસંદગી પામતા ટ્રેઇનિંગ માટે ગયા હતા અને ત્યાર પછી સતત દેશના અલગ અલગ રાજ્યોમાં ફરજ બજાવી હતી. લાબડાધરા ગામના અને રાઠવા સમાજના લોકોએ ભેગા મળી રમણભાઈ રાઠવાને ખુલ્લી જીપમાં બેસાડી ઘોઘંબા નગર અને ત્યાંથી તેના ગામ સુધી શોભાયાત્રા કાઢી હતી. અનેક મહાનુભાવોએ જવાનને તેની સેવા માટે ફૂલહાર પહેરાવી અભિનંદન આપ્યા હતા. ત્યારે હર્ષ સાથે રમણભાઈએ તમામ યુવાનોને સખત પરિશ્રમ કરો અને દેશની સેવા કરવા લશ્કરમાં જોડાવાનો સંદેશો આપ્યો હતો.


http://dlvr.it/T4z38n

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp