લખી રાખો, 2004 જેવાં પરિણામો આવશે:કોંગ્રેસના અમિત ચાવડાએ કહ્યું- કામના નામે મત મળે એમ નથી, એટલે ભાજપ રામના નામે મત લેવા નીકળ્યો છે
ગુજરાતના રાજકારણમાં અમિત ચાવડાનાં મૂળ ઊંડાં છે. તેમની પાંચ પેઢી કોંગ્રેસ સાથે જોડાયેલી છે. પોતે પાંચ ટર્મથી ધારાસભ્ય છે. 2004 અને 2007માં બોરસદના ધારાસભ્ય રહ્યા અને છેલ્લી ત્રણ ટર્મથી આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભા સીટ પરથી ચૂંટાઈ આવે છે. એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પણ હતા. ભાજપનો દબદબો અને મોદી લહેર વચ્ચે પણ અમિત ચાવડા હાર્યા નથી. આ વખતે કોંગ્રેસે તેમને આણંદ લોકસભા સીટની ટિકિટ આપી છે.
વિધાનસભામાં પાંચ ટર્મથી અડગ અમિત ચાવડા લોકસભામાં કેવી રીતે ફાઈટ આપશે, ક્ષત્રિય ફેક્ટર તેમને કેવી અસર કરશે, આણંદ માટે તેમનો રોડ મેપ શું છે, આ તમામ સવાલોના જવાબ જાણવા દિવ્ય ભાસ્કરે તેમની સાથે વિસ્તારથી વાત કરી. વાંચો તેમનો સંપૂર્ણ ઈન્ટરવ્યૂ... સવાલ: તમે કયા ગેમ પ્લાન સાથે પ્રજા વચ્ચે જઈ રહ્યા છો?
જવાબ: આ વખતે પહેલીવાર એવું બની રહ્યું છે કે આ ચૂંટણી કોઈ રાજકીય પક્ષ નહીં, પણ પ્રજા લડી રહી છે. હવે પ્રજા પરિવર્તન ઝંખી રહી છે, જેની સીધી અસર અમે પ્રચાર-પ્રસારમાં જઈએ છીએ એમાં દેખાઈ રહી છે. પ્રજા હવે છેલ્લાં 10 વર્ષના કેન્દ્ર સરકારના શાસન અને રાજ્ય સરકારના શાસન એમ ડબલ એન્જિનની સરકારથી બધી જ રીતે ત્રાહિ મામ્ થઈ ચૂકી છે. જે પણ વાયદા, વચન અને ગેરંટી આપ્યાં હતાં એ જુમલા સાબિત થયાં છે. એવા સંજોગોમાં પ્રજાએ 2004માં જે પરિણામ આપ્યું હતું એનું 2024માં પુનરાવર્તન આ વખતે થવાનું છે. જ્યારે પરિણામ આવશે ત્યારે ગુજરાતની મોટા ભાગની સીટો પર કોંગ્રેસને આશીર્વાદ મળશે અને દેશમાં પણ કોંગ્રેસની સરકાર બનશે. સવાલઃ ભાજપ રામમંદિર, 370, CAAના મુદ્દે પ્રજા વચ્ચે જાય છે. કોંગ્રેસ પાસે કયા મુદ્દા છે? જવાબઃ જ્યાં સુધી આણંદ જિલ્લાની અને ગુજરાતની વાત છે તો ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી જે વિકાસ થયો છે, જે પણ સંસ્થાઓ બની છે, કોઈપણ યોજના કે પછી પ્રોજેક્ટ આવે છે એ તમામ કોંગ્રેસની દેન છે. અહીં પશુપાલકો માટે અમૂલ ડેરીની સ્થાપના કોંગ્રેસે કરી, ખેડા જિલ્લા બેંકના માધ્યમ થકી ખેડૂતોને ધિરાણ આપવાની વ્યવસ્થા કોંગ્રેસે કરી, અહીં એગ્રિકલ્ચર યુનિવર્સિટી બનાવવામાં આવી, સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી બનાવવામાં આવી, ઈરમા જેવી દેશમાં વિખ્યાત સંસ્થા બનાવવામાં આવી છે. કરમસદની મેડિકલ હોસ્પિટલ હોય કે ધુવારણનું પાવર હાઉસ હોય કે પછી મહી કડાણાનો ડેમ હોય કે પછી આણંદ જિલ્લાની તમામ જીઆઈડીસી હોય, એ પણ કોંગ્રેસે જ બનાવી છે. આણંદની જેટલી નહેર છે, બ્રિજ છે, આખા જિલ્લાની સરકારી કોલેજો છે એ તમામ કોંગ્રેસની જ દેને છે. અમારા તો આ મુદ્દા છે. સવાલ: આ સિવાય ક્યા મુદ્દા છે તમારી પાસે?
જવાબ : છેલ્લાં 10 વર્ષમાં ભાજપની સરકાર રહી અને એ પહેલાં કોંગ્રેસની સરકાર રહી એનાં લેખાં-જોખાં કરીએ તો છેલ્લાં 10 વર્ષમાં કેન્દ્ર સરકારનો એકપણ મોટો પ્રોજેક્ટ આણંદ જિલ્લાને નથી મળ્યો. એકપણ યોજના કે એકપણ નવો કાયદો નથી આવ્યો, જેનાથી લોકોને ફાયદો થયો હોય. પ્રજા આજે મોંઘવારીનો માર સહન કરી રહી છે. 2014માં કહેવામાં આવ્યું હતું કે અમે 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું, આજે એને પણ 10 વર્ષ થઈ ગયાં, મોંઘવારી આસમાને છે.
કાળું નાણું પાછું લાવીશું, 15 લાખ લોકોનાં ખાતાંમાં આપીશું, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું, દરેક વ્યક્તિને પાકું મકાન આપીશું, ખેડૂતોની આવક ડબલ કરી નાખીશું, આવાં અનેક સપનાં લોકોને બતાવ્યાં હતાં. આ તમામ વાયદા, વચન અને ગેરંટી જુમલા સાબિત થયાં અને એના જ કારણે આણંદ જિલ્લાના લોકો કેન્દ્ર સરકારને પણ ઓળખી ગયા છે કે આ તો ભાષણોવાળી સરકાર છે. રાજ્યની સરકારે ત્રણ દાયકાના શાસન પછી પણ આણંદ જિલ્લાને જે ભેદભાવ અને અન્યાય કર્યો છે એનો પણ આ વખતે જવાબ મળશે.
આણંદની સ્થાપના 1998માં થઈ, આજે 25 વર્ષ થયાં, ભાજપના શાસનમાં જિલ્લાના લોકોને એક સિવિલ હોસ્પિટલ નથી મળી શકી. એના પરથી તમે સમજી શકો છો કે ભાજપના રાજમાં લોકોની સાથે કેટલો અન્યાય અને ભેદભાવ થયો છે. સવાલઃ એવું કયું કારણ છે, જેના કારણે આણંદમાં સિવિલનું ખાતમુહૂર્ત થાય છે, પણ હજી સુધી બની શકી નથી?
જવાબઃ તમે વિધાનસભાના રેકોર્ડ પર જોશો તો અમે છેલ્લાં 15 વર્ષથી વિધાનસભામાં આ પ્રશ્નો ઉઠાવીએ છીએ. દર વર્ષે સરકાર વાયદા કરે છે કે આ વખતે થઈ જશે, પણ અત્યારસુધી ત્રણ-ત્રણ વખત ખાતમુહૂર્ત થયાં. જ્યારે ઉપમુખ્યમંત્રી અહીં આવીને ખાતમુહૂર્ત કરતા હોય અને એના ત્રણ કે છ મહિના પછી એનું સ્થળ બદલાઈ જાય. આ બાબતે સરકારની નીતિ પણ નથી અને નિયત પણ નથી. મુઠ્ઠીભર લોકોના લાભ અને દબાણથી ભાજપની સરકાર આણંદ જિલ્લામાં હોસ્પિટલ નથી બનાવતી.
કોરોનાના સમયમાં સુવિધા નહોતી, અહીં પૂરતા પ્રમાણમાં બેડ નહોતાં અને સુવિધા ન મળવાના કારણે આણંદ જિલ્લામાં લોકો તરફડી-તરફડીને મૃત્યુ પામતા જોયા છે. જો જિલ્લામાં સિવિલ હોસ્પિટલ બની ગઈ હોત તો અનેક લોકોનો જીવ બચાવી શક્યા હોત. આ એક જ દાખલો છે કે ભાજપની નીતિ અને નિયત આણંદ જિલ્લાને ન્યાય આપવા માટે અને આણંદ જિલ્લાનો વિકાસ કરવા માટેની નથી. સવાલઃ ભાજપ 5 લાખની લીડથી જીતવાની વાત કરે છે, જીત માટે કોંગ્રેસની શું સ્ટ્રેટેજી છે?
જવાબઃ જે મોટી-મોટી વાતો કરી હતી અને અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ક્યાંક ભાજપના નેતાઓને કાળા વાવટા દેખાડવામાં આવે છે. ભાજપના કોઈ નેતાએ ગામમાં પ્રવેશ ન કરવો એવાં બોર્ડ લાગ્યાં છે. દર ત્રીજા દિવસે ઉમેદવાર બદલવો પડે છે, ચારેય બાજુ ભાજપનો કકળાટ આજે રસ્તા પર જોવા મળે છે. જ્યાં સુધી મુદ્દાઓની વાત છે તો સામાન્ય માણસને અસરકર્તા મુદ્દાઓ છે જ નહીં. આજે મોંઘવારીનો માર દરેક માણસ સહન કરી રહ્યો છે.
કોંગ્રેસના સમયમાં 400 રૂપિયામાં મળતી ગેસની બોટલ આજે 1000 રૂપિયામાં મળી રહી છે. જે પેટ્રોલ-ડીઝલ 60 કે 65 રૂપિયા મળતું હતું એ આજે 95 રૂપિયામાં મળે છે. આવી પરિસ્થિતિમાં ઘર ચલાવવું મુશ્કેલ છે, લાખો યુવાનો બેરોજગાર છે. 56ની છાતીવાળા વડાપ્રધાનની જે વાતો થઈ હતી, આ તમામ મુદ્દાઓ કોઈપણ રીતે સાચા સાબિત થયા નથી. એટલા જ માટે કામના નામે મત મળે એમ નથી એટલે રામના નામે મત લેવા નીકળ્યા છે, પણ આ વખતે પ્રજા તેમને સારી રીતે ઓળખી ગઈ છે. સવાલઃ રામમંદિર અંગે કોંગ્રેસના સ્ટેન્ડથી કેમ નેતાઓ નારાજ થયા, કેમ રાજીનામું આપ્યું?
જવાબઃ જેને સત્તાની લાલશા હતી, વ્યક્તિગત રીતે પોતાના ધંધાના સ્વાર્થ હતા, પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષાને કારણે પક્ષ બદલવો હતો એટલે તેમણે આવાં બહાનાં કાઢ્યાં. જ્યાં સુધી રામમંદિરની વાત છે તો એ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આધારે બન્યું છે. એને કોંગ્રેસપક્ષે પણ આવકાર્યું, બધા ધર્મ અને બધા જ સમાજના લોકોએ આવકાર્યું.
આણંદ જિલ્લામાં તો અમે જાહેરમાં વાત કરીએ છીએ કે ભગવાન રામ ક્ષત્રિય કુળના હતા, અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના છે. ભગવાન રામનું મંદિર બને એમાં અમને સૌને આનંદ જ હોય, પણ ધર્મના નામે રાજનીતિ થઈ રહી છે, કેમ કે શાસનથી પોતાનાં કરેલાં કામોથી, પોતાની નિયત અને નીતિથી મત નથી મળતા એટલે ધર્મના નામે મત લઈ રહ્યા છે, જેને પ્રજા સારી રીતે ઓળખી ગઈ છે. સવાલઃ રૂપાલાના નિવેદન વિશે શું કહેશો, કેમ કે રાજકારણ ગરમાયું છે, અમિત ચાવડા આનો લાભ લેવાનો પ્રયત્ન કરશે?
જવાબઃ અમે ક્યારેય જાતિ અને ધર્મના નામે મત માગવાનો પ્રયત્ન નથી કર્યો, પણ પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન આવ્યું એ ભાજપની નીતિ અને નિયતનાં દર્શન કરાવતું હોય એવું ચોક્કસથી કહી શકાય. ભાજપના અને કેન્દ્ર સરકારના મંત્રી આવી હલકી કક્ષાની ભાષામાં રાજપૂત સમાજ કે જેના વડવાઓએ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે બલિદાન આપ્યાં હોય, આઝાદ ભારત દેશને એકજૂથ કરવા માટે પોતાનું સર્વસ્વ આપ્યું હોય, જેના લોહીમાં શૂરવીરતા સાથે ક્ષમાના ગુણ હોય એવા રાજપૂત સમાજની બહેન-દીકરીઓ માટે આવી હલકી કક્ષાના નિવેદન કરવા એ હું માનું છું કે આવું ભાજપનો કોઈ નેતા જ કરી શકે. સવાલઃ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી થઈ રહી છે...
જવાબઃ હા. માગ તો થાય જ ને, પણ દુઃખ અને શરમની બાબત છે કે દેશના વડાપ્રધાન ગુજરાતી છે, કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતી છે. રાજ્યના મુખ્યમંત્રી ભાજપના છે. તેમના જ કેબિનેટ મંત્રી આવી હલકી કક્ષાનું નિવેદન કરે એના વિરોધમાં આખા ગુજરાતમાં તથા દેશમાં આક્રોશ હોય અને એમ છતાં એકપણ ભાજપનો નેતા એમ નથી કહેતો કે રૂપાલાએ ખોટું કર્યું છે, તેમને ટિકિટ ન આપવી જોઈએ એવી એક વાત એકપણ નેતા નથી કહેતો.
તમે જુઓ છો કે ક્ષત્રિય સમાજના યુવાનો તો વિરોધ કરી રહ્યા છે, પણ તેમની સાથે ક્ષત્રિયાણીઓ પણ રસ્તા પર ઊતરીને વિરોધ કરી રહી છે. રાજકોટમાં અન્નનો ત્યાગ કરવાની વાત આવે, જૌહર કરવાની વાત આવે, તેમ છતાં સરકારમાંથી કોઈપણ વ્યક્તિ બોલવા તૈયાર ન હોય, ભાજપ તેની ટિકિટ બદલવા તૈયાર ન હોય એનો સ્પષ્ટ મતલબ છે કે ભાજપ અભિમાનમાં છે. આ લોકોને સત્તાની લાલસામાં કોઈની ચિંતા નથી. સવાલઃ આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ હતો, એને તોડીને ભાજપે કમળ કેવી રીતે ખીલવ્યું?
જવાબઃ તમારી વાત સાચી છે. આણંદ જિલ્લો કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને વર્ષોથી અહીં તમામ જગ્યાએ કોંગ્રેસનું જ પ્રતિનિધિત્વ રહ્યું છે, પણ ક્યાંક છેલ્લાં 10 વર્ષમાં નાના-મોટા મતભેદને કારણે, ધર્મની રાજનીતિ આવવાના કારણે, સત્તામાં બેઠેલા લોકોની સામ, દામ અને દંડની નીતિથી કોંગ્રેસની પીછેહઠ થઈ છે. આણંદની જનતા ખૂબ જ કોઠાસૂઝવાળી જનતા છે. એક વખત, બે વખત ભૂલ થઈ ગઈ, પણ આ વખતે 2024માં આખા જિલ્લામાં તમે જોશો તો જનતાએ સ્વયં નક્કી કરી લીધું છે કે જે અમારી ભૂલ થઈ છે એને આ વખતે સુધારી લઈશું, અમારે આંગળી ઊંચી કરવાવાળો સંસદસભ્ય નથી જોઈતો પણ અમારે તો જો સિવિલ હોસ્પિટલ ન મળે તો એની સામે અવાજ ઉઠાવનારો સંસદસભ્ય જોઈએ છે. લોકોના પ્રશ્નોને વાચા આપે, આ વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ લઈ આવે, યુવાનોના રોજગારની વાત કરે, આ વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાની વાત કરે, અહીં ઉદ્યોગો લઈને આવે, અહીંના ખેડૂતોને નવી ટેક્નોલોજી સાથે પાકના સારા ભાવ મળે એવો સંસદસભ્ય જોઈએ છે. હું માનું છું કે પાછલા સમયમાં કોંગ્રેસનાં ખરાબ પરિણામ આવ્યાં પણ આ વખતની લોકસભાની ચૂંટણીથી કોંગ્રેસતરફી સારાં પરિણામો આવવાની શરૂઆત થઈ જશે. સવાલઃ એવા કયાં ત્રણ કારણ છે, જેથી આણંદમાં આ વખતે પંજાને લોકો આવકારશે? તમારો રોડમેપ શું છે?
જવાબઃ પ્રજા મંદી, મોંઘવારી અને ભ્રષ્ટ્રાચારથી ત્રસ્ત છે. એ માટે અમે અવાજ ઉઠાવીશું. જિલ્લાના સ્થાનિક યુવાનોને જિલ્લાની અંદર જ રોજગારી મળે એ માટે કેન્દ્ર સરકારમાંથી સ્ટાર્ટઅપ અને પ્રોજેકટ લાવવાની પ્રાયોરિટી રહેશે. અહીં શાકભાજી, બટાટા સહિત અહીંની જે ખેતી છે એમાં ફૂડ પાર્ક જેવા પ્રોજેક્ટ લાવીને એમાં વેલ્યુ એડિશન કઈ રીતે થાય એવા પ્રોજેક્ટ લાવીશું. ખંભાતને અડીને જે વિસ્તાર છે ત્યાં ખારાશનો ખૂબ જ મોટો પ્રશ્ન છે, ત્યાં પીવાના પાણીનો પણ પ્રશ્ન છે એટલે ખંભાત હોય, ભાલગારો હોય કે પછી મહીકાંઠો હોય ત્યાં ખારાશ અટકાવીને શુદ્ધ પીવાનું પાણી મળે એ અમારી પ્રાયોરિટી છે. આખા જિલ્લામાં તાલુકા લેવલે જે સરકારી કોલેજો, જીઆઈડીસીની વ્યવસ્થા નથી એ કરવા માટેની પ્રાયોરિટી રહેશે અને એક વર્ષમાં સિવિલ હોસ્પિટલ બની જાય એ અમારી સૌથી પહેલી પ્રાયોરિટી રહેશે. સવાલઃ કોંગ્રેસમાં એવું શું બને છે કે નેતાઓ પક્ષપલટો કરે છે અને ટકતા નથી?
જવાબઃ અમિત ચાવડા તો કોંગ્રેસમાં જ છે અને અમારો પરિવાર ચાર પેઢીથી કોંગ્રેસમાં જ છે. આઝાદીની લડાઈમાં મારા દાદા સ્વ.ઈશ્વરભાઈ ચાવડા એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે વર્ષો સુધી રહ્યા, દેશ આઝાદ થયો સામાજિક ક્રાંતિ માટે, સામાજિક દૂષણો દૂર કરવા માટે, શૈક્ષણિક અને શ્વેત ક્રાંતિ માટે, હરિત ક્રાંતિ માટે તમામ કામમાં યોગદાન રહ્યું છે. માધવસિંહ સોલંકી સાહેબ આ વિસ્તારના પનોતા પુત્ર ગુજરાતના ચારવાર મુખ્યમંત્રી બન્યા. તેમણે બક્ષીપંચ સમાજને તેમણે અનામત આપી છે. મફત કન્યા કેળવણી, મફત મધ્યાહન ભોજન, બાળક ત્યાં શાળા લાવ્યા અને અનેક પ્રોજેક્ટ પણ લાવ્યા.
કેન્દ્રમાં પણ જ્યારે જ્યારે કોંગ્રેસ આવી ત્યારે કાયદાકીય રીતે લોકોને અધિકાર પૂરા પાડ્યા છે. ચોથી પેઢી અમિત ચાવડા પણ 5 ટર્મથી ધારાસભ્ય છે પ્રજા વચ્ચે કામ કરે છે અને પ્રજાનો વિશ્વાસ આજ સુધી તૂટવા નથી દીધો. ચાર પેઢીના રાજકારણમાં આ કપડાં પર ક્યારેય ડાઘ નથી પડવા દીધો. સવાલઃ જયંત બોસ્કીના સક્રિય થતાં અમિત ચાવડાને નુકસાન થશે?
જવાબઃ ચૂંટણી છે એટલે બધા રાજકીય પક્ષો અપક્ષો પોતાનું નસીબ અજમાવતા હોય છે, અલગ અલગ ગણતરીઓ પણ હોય છે, પણ મેં પહેલાં જ કહ્યું હતું કે આ વખતે આણંદની જનતાને પોતાના માટે લડવાવાળો, પોતાનો અને પોતાના પરિવારનો ભાઈ હોય એવો સંસદસભ્ય ચૂંટવો છે અને એના માટે ચૂંટવાની તૈયારીઓ પ્રજા કરી રહી છે. પ્રજા આ વખતે પરિવર્તન માટે મતદાન કરશે. આજે આણંદ જિલ્લામાં અમિત ચાવડા ઉમેદવાર તરીકે નહીં, આણંદની જનતા ઉમેદવાર તરીકે લડે છે. આ વખતે આણંદની ચૂંટણી સામાજિક ન્યાય અને અસ્તિત્વની ચૂંટણી છે. આ લડાઈમાં તમામ સમાજ અમારી સાથે છે. સવાલઃ ભરતસિંહે કેમ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો?
જવાબઃ ભરતસિંહ અમારા સૌના સન્માનીય નેતા છે, પાર્ટી તરફથી જમ્મુ-કશ્મીરના પ્રભારી બનાવવામાં આવ્યા છે એટલે ત્યાં પણ ચૂંટણી છે, એટલે બંને જગ્યાએ સમય ન આપી શકે એ કારણોસર તેમણે આણંદમાંથી ચૂંટણી લડવાની ના પાડી. અત્યારે પણ અમે બધા સાથે જ છીએ અને આણંદની બેઠક જિતાડવામાં પણ તેમનો મહત્ત્વનો રોલ રહેવાનો છે. સવાલઃ ભરતસિંહને મળેલી બે હારમાંથી આપે શું શીખ લીધી છે?
જવાબઃ હાર કે જીત કોઈ વ્યક્તિગત નથી હોતી. ચૂંટણીમાં હાર-જીત એક ટીમની હોય છે. અમે છેલ્લી 2 લોકસભાની બેઠકો હાર્યા, પણ તમે જોયું હશે કે 2014ની લોકસભાની હાર પછી 2015માં તાલુકા જિલ્લાની બેઠકો જીત્યા, 2017માં 7માંથી 5 વિધાનસભા પણ જીત્યા હતા. ત્યાર પછી 2019ની લોકસભાની ચૂંટણીમાં ફરી હાર મળી અને બધે જ હાર થઈ એટલે પછી એનાં કારણો પર અમે લંબાણપૂર્વક ચર્ચા કરી છે, આત્મમંથન અને વિશ્લેષણ કરીને નવી રણનીતિ સાથે આગળ વધી રહ્યા છીએ અને લખી રાખો... ગુજરાતનાં પરિણામ 2004 જેવાં હશે. આ વખતે 2024ની ચૂંટણીમાં આણંદમાં કોંગ્રેસનો તિરંગો લહેરાશે. સવાલઃ ભાજપના ઉમેદવારોને મીડિયા સાથે વાત કરવાની ના પાડવામાં આવી છે આને કઈ રીતે જુઓ છો?
જવાબઃ ભાજપમાં કોઈ જ લોકશાહી જેવું છે નહીં, બધા જ લોકો જાણે છે કે ડર અને ભય હેઠળ કાર્યકર્તા અને નેતાઓને કામ કરવું પડે છે. હું તો પાંચ ટર્મથી વિધાનસભામાં કામ કરું છું એટલે મેં જોયું છે કે ચૂંટાયેલો ધારાસભ્ય હોય, મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એને પણ બોલવાનો અધિકાર નથી. ફક્ત બે જ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં બોલવાનો અધિકાર છે. એ લોકોએ જેટલી ચિઠ્ઠી અને જેટલી સ્ક્રિપ્ટ આપી હોય એટલું જ બોલવાનું હોય છે. બાકી કોઈને અભિવ્યક્તિની આઝાદી નથી. જાણે પાર્ટીમાં સરમુખત્યારશાહી હોય એવું જ વાતાવરણ ચાલી રહ્યું છે, એના જ કારણે આજે દેશમાં પણ સરમુખત્યારશાહીથી રાજ કરી રહ્યા હોય એવું લાગે છે અને એતેને બદલવા માટે જ કટિબદ્ધ થયા છીએ.
http://dlvr.it/T5w82F
વિધાનસભામાં પાંચ ટર્મથી અડગ અમિત ચાવડા લોકસભામાં કેવી રીતે ફાઈટ આપશે, ક્ષત્રિય ફેક્ટર તેમને કેવી અસર કરશે, આણંદ માટે તેમનો રોડ મેપ શું છે, આ તમામ સવાલોના જવાબ જાણવા દિવ્ય ભાસ્કરે તેમની સાથે વિસ્તારથી વાત કરી. વાંચો તેમનો સંપૂર્ણ ઈન્ટરવ્યૂ... સવાલ: તમે કયા ગેમ પ્લાન સાથે પ્રજા વચ્ચે જઈ રહ્યા છો?
જવાબ: આ વખતે પહેલીવાર એવું બની રહ્યું છે કે આ ચૂંટણી કોઈ રાજકીય પક્ષ નહીં, પણ પ્રજા લડી રહી છે. હવે પ્રજા પરિવર્તન ઝંખી રહી છે, જેની સીધી અસર અમે પ્રચાર-પ્રસારમાં જઈએ છીએ એમાં દેખાઈ રહી છે. પ્રજા હવે છેલ્લાં 10 વર્ષના કેન્દ્ર સરકારના શાસન અને રાજ્ય સરકારના શાસન એમ ડબલ એન્જિનની સરકારથી બધી જ રીતે ત્રાહિ મામ્ થઈ ચૂકી છે. જે પણ વાયદા, વચન અને ગેરંટી આપ્યાં હતાં એ જુમલા સાબિત થયાં છે. એવા સંજોગોમાં પ્રજાએ 2004માં જે પરિણામ આપ્યું હતું એનું 2024માં પુનરાવર્તન આ વખતે થવાનું છે. જ્યારે પરિણામ આવશે ત્યારે ગુજરાતની મોટા ભાગની સીટો પર કોંગ્રેસને આશીર્વાદ મળશે અને દેશમાં પણ કોંગ્રેસની સરકાર બનશે. સવાલઃ ભાજપ રામમંદિર, 370, CAAના મુદ્દે પ્રજા વચ્ચે જાય છે. કોંગ્રેસ પાસે કયા મુદ્દા છે? જવાબઃ જ્યાં સુધી આણંદ જિલ્લાની અને ગુજરાતની વાત છે તો ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી જે વિકાસ થયો છે, જે પણ સંસ્થાઓ બની છે, કોઈપણ યોજના કે પછી પ્રોજેક્ટ આવે છે એ તમામ કોંગ્રેસની દેન છે. અહીં પશુપાલકો માટે અમૂલ ડેરીની સ્થાપના કોંગ્રેસે કરી, ખેડા જિલ્લા બેંકના માધ્યમ થકી ખેડૂતોને ધિરાણ આપવાની વ્યવસ્થા કોંગ્રેસે કરી, અહીં એગ્રિકલ્ચર યુનિવર્સિટી બનાવવામાં આવી, સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી બનાવવામાં આવી, ઈરમા જેવી દેશમાં વિખ્યાત સંસ્થા બનાવવામાં આવી છે. કરમસદની મેડિકલ હોસ્પિટલ હોય કે ધુવારણનું પાવર હાઉસ હોય કે પછી મહી કડાણાનો ડેમ હોય કે પછી આણંદ જિલ્લાની તમામ જીઆઈડીસી હોય, એ પણ કોંગ્રેસે જ બનાવી છે. આણંદની જેટલી નહેર છે, બ્રિજ છે, આખા જિલ્લાની સરકારી કોલેજો છે એ તમામ કોંગ્રેસની જ દેને છે. અમારા તો આ મુદ્દા છે. સવાલ: આ સિવાય ક્યા મુદ્દા છે તમારી પાસે?
જવાબ : છેલ્લાં 10 વર્ષમાં ભાજપની સરકાર રહી અને એ પહેલાં કોંગ્રેસની સરકાર રહી એનાં લેખાં-જોખાં કરીએ તો છેલ્લાં 10 વર્ષમાં કેન્દ્ર સરકારનો એકપણ મોટો પ્રોજેક્ટ આણંદ જિલ્લાને નથી મળ્યો. એકપણ યોજના કે એકપણ નવો કાયદો નથી આવ્યો, જેનાથી લોકોને ફાયદો થયો હોય. પ્રજા આજે મોંઘવારીનો માર સહન કરી રહી છે. 2014માં કહેવામાં આવ્યું હતું કે અમે 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું, આજે એને પણ 10 વર્ષ થઈ ગયાં, મોંઘવારી આસમાને છે.
કાળું નાણું પાછું લાવીશું, 15 લાખ લોકોનાં ખાતાંમાં આપીશું, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું, દરેક વ્યક્તિને પાકું મકાન આપીશું, ખેડૂતોની આવક ડબલ કરી નાખીશું, આવાં અનેક સપનાં લોકોને બતાવ્યાં હતાં. આ તમામ વાયદા, વચન અને ગેરંટી જુમલા સાબિત થયાં અને એના જ કારણે આણંદ જિલ્લાના લોકો કેન્દ્ર સરકારને પણ ઓળખી ગયા છે કે આ તો ભાષણોવાળી સરકાર છે. રાજ્યની સરકારે ત્રણ દાયકાના શાસન પછી પણ આણંદ જિલ્લાને જે ભેદભાવ અને અન્યાય કર્યો છે એનો પણ આ વખતે જવાબ મળશે.
આણંદની સ્થાપના 1998માં થઈ, આજે 25 વર્ષ થયાં, ભાજપના શાસનમાં જિલ્લાના લોકોને એક સિવિલ હોસ્પિટલ નથી મળી શકી. એના પરથી તમે સમજી શકો છો કે ભાજપના રાજમાં લોકોની સાથે કેટલો અન્યાય અને ભેદભાવ થયો છે. સવાલઃ એવું કયું કારણ છે, જેના કારણે આણંદમાં સિવિલનું ખાતમુહૂર્ત થાય છે, પણ હજી સુધી બની શકી નથી?
જવાબઃ તમે વિધાનસભાના રેકોર્ડ પર જોશો તો અમે છેલ્લાં 15 વર્ષથી વિધાનસભામાં આ પ્રશ્નો ઉઠાવીએ છીએ. દર વર્ષે સરકાર વાયદા કરે છે કે આ વખતે થઈ જશે, પણ અત્યારસુધી ત્રણ-ત્રણ વખત ખાતમુહૂર્ત થયાં. જ્યારે ઉપમુખ્યમંત્રી અહીં આવીને ખાતમુહૂર્ત કરતા હોય અને એના ત્રણ કે છ મહિના પછી એનું સ્થળ બદલાઈ જાય. આ બાબતે સરકારની નીતિ પણ નથી અને નિયત પણ નથી. મુઠ્ઠીભર લોકોના લાભ અને દબાણથી ભાજપની સરકાર આણંદ જિલ્લામાં હોસ્પિટલ નથી બનાવતી.
કોરોનાના સમયમાં સુવિધા નહોતી, અહીં પૂરતા પ્રમાણમાં બેડ નહોતાં અને સુવિધા ન મળવાના કારણે આણંદ જિલ્લામાં લોકો તરફડી-તરફડીને મૃત્યુ પામતા જોયા છે. જો જિલ્લામાં સિવિલ હોસ્પિટલ બની ગઈ હોત તો અનેક લોકોનો જીવ બચાવી શક્યા હોત. આ એક જ દાખલો છે કે ભાજપની નીતિ અને નિયત આણંદ જિલ્લાને ન્યાય આપવા માટે અને આણંદ જિલ્લાનો વિકાસ કરવા માટેની નથી. સવાલઃ ભાજપ 5 લાખની લીડથી જીતવાની વાત કરે છે, જીત માટે કોંગ્રેસની શું સ્ટ્રેટેજી છે?
જવાબઃ જે મોટી-મોટી વાતો કરી હતી અને અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ક્યાંક ભાજપના નેતાઓને કાળા વાવટા દેખાડવામાં આવે છે. ભાજપના કોઈ નેતાએ ગામમાં પ્રવેશ ન કરવો એવાં બોર્ડ લાગ્યાં છે. દર ત્રીજા દિવસે ઉમેદવાર બદલવો પડે છે, ચારેય બાજુ ભાજપનો કકળાટ આજે રસ્તા પર જોવા મળે છે. જ્યાં સુધી મુદ્દાઓની વાત છે તો સામાન્ય માણસને અસરકર્તા મુદ્દાઓ છે જ નહીં. આજે મોંઘવારીનો માર દરેક માણસ સહન કરી રહ્યો છે.
કોંગ્રેસના સમયમાં 400 રૂપિયામાં મળતી ગેસની બોટલ આજે 1000 રૂપિયામાં મળી રહી છે. જે પેટ્રોલ-ડીઝલ 60 કે 65 રૂપિયા મળતું હતું એ આજે 95 રૂપિયામાં મળે છે. આવી પરિસ્થિતિમાં ઘર ચલાવવું મુશ્કેલ છે, લાખો યુવાનો બેરોજગાર છે. 56ની છાતીવાળા વડાપ્રધાનની જે વાતો થઈ હતી, આ તમામ મુદ્દાઓ કોઈપણ રીતે સાચા સાબિત થયા નથી. એટલા જ માટે કામના નામે મત મળે એમ નથી એટલે રામના નામે મત લેવા નીકળ્યા છે, પણ આ વખતે પ્રજા તેમને સારી રીતે ઓળખી ગઈ છે. સવાલઃ રામમંદિર અંગે કોંગ્રેસના સ્ટેન્ડથી કેમ નેતાઓ નારાજ થયા, કેમ રાજીનામું આપ્યું?
જવાબઃ જેને સત્તાની લાલશા હતી, વ્યક્તિગત રીતે પોતાના ધંધાના સ્વાર્થ હતા, પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષાને કારણે પક્ષ બદલવો હતો એટલે તેમણે આવાં બહાનાં કાઢ્યાં. જ્યાં સુધી રામમંદિરની વાત છે તો એ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આધારે બન્યું છે. એને કોંગ્રેસપક્ષે પણ આવકાર્યું, બધા ધર્મ અને બધા જ સમાજના લોકોએ આવકાર્યું.
આણંદ જિલ્લામાં તો અમે જાહેરમાં વાત કરીએ છીએ કે ભગવાન રામ ક્ષત્રિય કુળના હતા, અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના છે. ભગવાન રામનું મંદિર બને એમાં અમને સૌને આનંદ જ હોય, પણ ધર્મના નામે રાજનીતિ થઈ રહી છે, કેમ કે શાસનથી પોતાનાં કરેલાં કામોથી, પોતાની નિયત અને નીતિથી મત નથી મળતા એટલે ધર્મના નામે મત લઈ રહ્યા છે, જેને પ્રજા સારી રીતે ઓળખી ગઈ છે. સવાલઃ રૂપાલાના નિવેદન વિશે શું કહેશો, કેમ કે રાજકારણ ગરમાયું છે, અમિત ચાવડા આનો લાભ લેવાનો પ્રયત્ન કરશે?
જવાબઃ અમે ક્યારેય જાતિ અને ધર્મના નામે મત માગવાનો પ્રયત્ન નથી કર્યો, પણ પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન આવ્યું એ ભાજપની નીતિ અને નિયતનાં દર્શન કરાવતું હોય એવું ચોક્કસથી કહી શકાય. ભાજપના અને કેન્દ્ર સરકારના મંત્રી આવી હલકી કક્ષાની ભાષામાં રાજપૂત સમાજ કે જેના વડવાઓએ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે બલિદાન આપ્યાં હોય, આઝાદ ભારત દેશને એકજૂથ કરવા માટે પોતાનું સર્વસ્વ આપ્યું હોય, જેના લોહીમાં શૂરવીરતા સાથે ક્ષમાના ગુણ હોય એવા રાજપૂત સમાજની બહેન-દીકરીઓ માટે આવી હલકી કક્ષાના નિવેદન કરવા એ હું માનું છું કે આવું ભાજપનો કોઈ નેતા જ કરી શકે. સવાલઃ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી થઈ રહી છે...
જવાબઃ હા. માગ તો થાય જ ને, પણ દુઃખ અને શરમની બાબત છે કે દેશના વડાપ્રધાન ગુજરાતી છે, કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતી છે. રાજ્યના મુખ્યમંત્રી ભાજપના છે. તેમના જ કેબિનેટ મંત્રી આવી હલકી કક્ષાનું નિવેદન કરે એના વિરોધમાં આખા ગુજરાતમાં તથા દેશમાં આક્રોશ હોય અને એમ છતાં એકપણ ભાજપનો નેતા એમ નથી કહેતો કે રૂપાલાએ ખોટું કર્યું છે, તેમને ટિકિટ ન આપવી જોઈએ એવી એક વાત એકપણ નેતા નથી કહેતો.
તમે જુઓ છો કે ક્ષત્રિય સમાજના યુવાનો તો વિરોધ કરી રહ્યા છે, પણ તેમની સાથે ક્ષત્રિયાણીઓ પણ રસ્તા પર ઊતરીને વિરોધ કરી રહી છે. રાજકોટમાં અન્નનો ત્યાગ કરવાની વાત આવે, જૌહર કરવાની વાત આવે, તેમ છતાં સરકારમાંથી કોઈપણ વ્યક્તિ બોલવા તૈયાર ન હોય, ભાજપ તેની ટિકિટ બદલવા તૈયાર ન હોય એનો સ્પષ્ટ મતલબ છે કે ભાજપ અભિમાનમાં છે. આ લોકોને સત્તાની લાલસામાં કોઈની ચિંતા નથી. સવાલઃ આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ હતો, એને તોડીને ભાજપે કમળ કેવી રીતે ખીલવ્યું?
જવાબઃ તમારી વાત સાચી છે. આણંદ જિલ્લો કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને વર્ષોથી અહીં તમામ જગ્યાએ કોંગ્રેસનું જ પ્રતિનિધિત્વ રહ્યું છે, પણ ક્યાંક છેલ્લાં 10 વર્ષમાં નાના-મોટા મતભેદને કારણે, ધર્મની રાજનીતિ આવવાના કારણે, સત્તામાં બેઠેલા લોકોની સામ, દામ અને દંડની નીતિથી કોંગ્રેસની પીછેહઠ થઈ છે. આણંદની જનતા ખૂબ જ કોઠાસૂઝવાળી જનતા છે. એક વખત, બે વખત ભૂલ થઈ ગઈ, પણ આ વખતે 2024માં આખા જિલ્લામાં તમે જોશો તો જનતાએ સ્વયં નક્કી કરી લીધું છે કે જે અમારી ભૂલ થઈ છે એને આ વખતે સુધારી લઈશું, અમારે આંગળી ઊંચી કરવાવાળો સંસદસભ્ય નથી જોઈતો પણ અમારે તો જો સિવિલ હોસ્પિટલ ન મળે તો એની સામે અવાજ ઉઠાવનારો સંસદસભ્ય જોઈએ છે. લોકોના પ્રશ્નોને વાચા આપે, આ વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ લઈ આવે, યુવાનોના રોજગારની વાત કરે, આ વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાની વાત કરે, અહીં ઉદ્યોગો લઈને આવે, અહીંના ખેડૂતોને નવી ટેક્નોલોજી સાથે પાકના સારા ભાવ મળે એવો સંસદસભ્ય જોઈએ છે. હું માનું છું કે પાછલા સમયમાં કોંગ્રેસનાં ખરાબ પરિણામ આવ્યાં પણ આ વખતની લોકસભાની ચૂંટણીથી કોંગ્રેસતરફી સારાં પરિણામો આવવાની શરૂઆત થઈ જશે. સવાલઃ એવા કયાં ત્રણ કારણ છે, જેથી આણંદમાં આ વખતે પંજાને લોકો આવકારશે? તમારો રોડમેપ શું છે?
જવાબઃ પ્રજા મંદી, મોંઘવારી અને ભ્રષ્ટ્રાચારથી ત્રસ્ત છે. એ માટે અમે અવાજ ઉઠાવીશું. જિલ્લાના સ્થાનિક યુવાનોને જિલ્લાની અંદર જ રોજગારી મળે એ માટે કેન્દ્ર સરકારમાંથી સ્ટાર્ટઅપ અને પ્રોજેકટ લાવવાની પ્રાયોરિટી રહેશે. અહીં શાકભાજી, બટાટા સહિત અહીંની જે ખેતી છે એમાં ફૂડ પાર્ક જેવા પ્રોજેક્ટ લાવીને એમાં વેલ્યુ એડિશન કઈ રીતે થાય એવા પ્રોજેક્ટ લાવીશું. ખંભાતને અડીને જે વિસ્તાર છે ત્યાં ખારાશનો ખૂબ જ મોટો પ્રશ્ન છે, ત્યાં પીવાના પાણીનો પણ પ્રશ્ન છે એટલે ખંભાત હોય, ભાલગારો હોય કે પછી મહીકાંઠો હોય ત્યાં ખારાશ અટકાવીને શુદ્ધ પીવાનું પાણી મળે એ અમારી પ્રાયોરિટી છે. આખા જિલ્લામાં તાલુકા લેવલે જે સરકારી કોલેજો, જીઆઈડીસીની વ્યવસ્થા નથી એ કરવા માટેની પ્રાયોરિટી રહેશે અને એક વર્ષમાં સિવિલ હોસ્પિટલ બની જાય એ અમારી સૌથી પહેલી પ્રાયોરિટી રહેશે. સવાલઃ કોંગ્રેસમાં એવું શું બને છે કે નેતાઓ પક્ષપલટો કરે છે અને ટકતા નથી?
જવાબઃ અમિત ચાવડા તો કોંગ્રેસમાં જ છે અને અમારો પરિવાર ચાર પેઢીથી કોંગ્રેસમાં જ છે. આઝાદીની લડાઈમાં મારા દાદા સ્વ.ઈશ્વરભાઈ ચાવડા એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે વર્ષો સુધી રહ્યા, દેશ આઝાદ થયો સામાજિક ક્રાંતિ માટે, સામાજિક દૂષણો દૂર કરવા માટે, શૈક્ષણિક અને શ્વેત ક્રાંતિ માટે, હરિત ક્રાંતિ માટે તમામ કામમાં યોગદાન રહ્યું છે. માધવસિંહ સોલંકી સાહેબ આ વિસ્તારના પનોતા પુત્ર ગુજરાતના ચારવાર મુખ્યમંત્રી બન્યા. તેમણે બક્ષીપંચ સમાજને તેમણે અનામત આપી છે. મફત કન્યા કેળવણી, મફત મધ્યાહન ભોજન, બાળક ત્યાં શાળા લાવ્યા અને અનેક પ્રોજેક્ટ પણ લાવ્યા.
કેન્દ્રમાં પણ જ્યારે જ્યારે કોંગ્રેસ આવી ત્યારે કાયદાકીય રીતે લોકોને અધિકાર પૂરા પાડ્યા છે. ચોથી પેઢી અમિત ચાવડા પણ 5 ટર્મથી ધારાસભ્ય છે પ્રજા વચ્ચે કામ કરે છે અને પ્રજાનો વિશ્વાસ આજ સુધી તૂટવા નથી દીધો. ચાર પેઢીના રાજકારણમાં આ કપડાં પર ક્યારેય ડાઘ નથી પડવા દીધો. સવાલઃ જયંત બોસ્કીના સક્રિય થતાં અમિત ચાવડાને નુકસાન થશે?
જવાબઃ ચૂંટણી છે એટલે બધા રાજકીય પક્ષો અપક્ષો પોતાનું નસીબ અજમાવતા હોય છે, અલગ અલગ ગણતરીઓ પણ હોય છે, પણ મેં પહેલાં જ કહ્યું હતું કે આ વખતે આણંદની જનતાને પોતાના માટે લડવાવાળો, પોતાનો અને પોતાના પરિવારનો ભાઈ હોય એવો સંસદસભ્ય ચૂંટવો છે અને એના માટે ચૂંટવાની તૈયારીઓ પ્રજા કરી રહી છે. પ્રજા આ વખતે પરિવર્તન માટે મતદાન કરશે. આજે આણંદ જિલ્લામાં અમિત ચાવડા ઉમેદવાર તરીકે નહીં, આણંદની જનતા ઉમેદવાર તરીકે લડે છે. આ વખતે આણંદની ચૂંટણી સામાજિક ન્યાય અને અસ્તિત્વની ચૂંટણી છે. આ લડાઈમાં તમામ સમાજ અમારી સાથે છે. સવાલઃ ભરતસિંહે કેમ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો?
જવાબઃ ભરતસિંહ અમારા સૌના સન્માનીય નેતા છે, પાર્ટી તરફથી જમ્મુ-કશ્મીરના પ્રભારી બનાવવામાં આવ્યા છે એટલે ત્યાં પણ ચૂંટણી છે, એટલે બંને જગ્યાએ સમય ન આપી શકે એ કારણોસર તેમણે આણંદમાંથી ચૂંટણી લડવાની ના પાડી. અત્યારે પણ અમે બધા સાથે જ છીએ અને આણંદની બેઠક જિતાડવામાં પણ તેમનો મહત્ત્વનો રોલ રહેવાનો છે. સવાલઃ ભરતસિંહને મળેલી બે હારમાંથી આપે શું શીખ લીધી છે?
જવાબઃ હાર કે જીત કોઈ વ્યક્તિગત નથી હોતી. ચૂંટણીમાં હાર-જીત એક ટીમની હોય છે. અમે છેલ્લી 2 લોકસભાની બેઠકો હાર્યા, પણ તમે જોયું હશે કે 2014ની લોકસભાની હાર પછી 2015માં તાલુકા જિલ્લાની બેઠકો જીત્યા, 2017માં 7માંથી 5 વિધાનસભા પણ જીત્યા હતા. ત્યાર પછી 2019ની લોકસભાની ચૂંટણીમાં ફરી હાર મળી અને બધે જ હાર થઈ એટલે પછી એનાં કારણો પર અમે લંબાણપૂર્વક ચર્ચા કરી છે, આત્મમંથન અને વિશ્લેષણ કરીને નવી રણનીતિ સાથે આગળ વધી રહ્યા છીએ અને લખી રાખો... ગુજરાતનાં પરિણામ 2004 જેવાં હશે. આ વખતે 2024ની ચૂંટણીમાં આણંદમાં કોંગ્રેસનો તિરંગો લહેરાશે. સવાલઃ ભાજપના ઉમેદવારોને મીડિયા સાથે વાત કરવાની ના પાડવામાં આવી છે આને કઈ રીતે જુઓ છો?
જવાબઃ ભાજપમાં કોઈ જ લોકશાહી જેવું છે નહીં, બધા જ લોકો જાણે છે કે ડર અને ભય હેઠળ કાર્યકર્તા અને નેતાઓને કામ કરવું પડે છે. હું તો પાંચ ટર્મથી વિધાનસભામાં કામ કરું છું એટલે મેં જોયું છે કે ચૂંટાયેલો ધારાસભ્ય હોય, મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એને પણ બોલવાનો અધિકાર નથી. ફક્ત બે જ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં બોલવાનો અધિકાર છે. એ લોકોએ જેટલી ચિઠ્ઠી અને જેટલી સ્ક્રિપ્ટ આપી હોય એટલું જ બોલવાનું હોય છે. બાકી કોઈને અભિવ્યક્તિની આઝાદી નથી. જાણે પાર્ટીમાં સરમુખત્યારશાહી હોય એવું જ વાતાવરણ ચાલી રહ્યું છે, એના જ કારણે આજે દેશમાં પણ સરમુખત્યારશાહીથી રાજ કરી રહ્યા હોય એવું લાગે છે અને એતેને બદલવા માટે જ કટિબદ્ધ થયા છીએ.
http://dlvr.it/T5w82F
Comments
Post a Comment